Thursday, March 31, 2016

સિન્કલેર લુઈ અને પત્ની ડોરોથી


સિન્કલેર લુઈ 
(અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર, 1885-1951)

અંગ્રેજ નવલકથાકાર ને નાટ્યકાર સિન્કલેર લુઈને  વર્ષ 1930 માં સાહિત્ય માં  ' નોબેલ ' પારિતોષિક વિજેતા જાહેર કરાયા હતા. એ વખતે લુંઈના પ્રશન્ષકોની ભરમાર હતી. તેમાની એક પ્રશંશક યુવતીએ લુંઈને પત્ર લખ્યો: ' હું તમને મળવા ઝંખું છું, અને જો તમારી સેક્રેટરીની જગ્યા ખાલી હોય તો  હું એ સેવા આપવા તૈયાર છું. એટલું જ નહિ, તમારું " કઈ પણ " કામ હશે તે હું ખુશી-ખુશી કરીશ. હું " કઈ પણ " લખું છું એટલે ખરે ખર  " કઈ પણ " !!! અને " કઈ પણ " હશે, તે કરીશ.

સિંકલેરે પોતાની પત્ની ડોરોથી ને એ પત્ર આપ્યો અને એનો જવાબ મોકલવાની જવાબદારી આપી.

તેની પત્ની ડોરોથી એ જવાબમાં લખ્યું: ' લુંઈની સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર તરીકે હું જ કામ કરું છું! અને તમનું " બધું જ " કામ હું કરું છું. હું અહી " બધું જ " લખું છું એટલે તમે વિશ્વાસ કરજો, " બધું જ " અને હા ખરેખર "બધું જ "!!! 

-સત્ય ઘટના (1930)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...