ગાંધીજી
સત્ય અને અહિંસાવાદી કર્મયોગી, 1869-1948
સમય વ્યવસ્થાપન
ગાંધીજી સમય જાળવવાની બાબતમાં અદ્ભુત ચોકસાઈ ધરાવતા હતા. એક વાર તેઓ ગળી ના ખેતમજુરો પર થઇ રહેલ અત્યાચાર નિવારવા માટે ચંપારણ (બિહાર) ગયા હતા. ત્યારે અંગ્રેજ સરકારે તેમના પર કેસ દાખલ કરીને તેમને 11 વાગે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપ્યું.
કોર્ટ સુધી પહોંચવા માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરવામાં આવી. પંદર મિનીટ માં પહોંચી જવાય એમ હોવા છતાં તેમણે એવો આગ્રહ રાખ્યો કે ગાડી સાડા દસ વાગે આવી જવી જોઈએ. જેથી એમાં કોઈ ચૂક થાય તો તેઓ પગે ચાલીને સમયસર પહોંચી શકે.
આ પ્રકારના અનેક પ્રસંગોથી તેમનું જીવન ભર્યું પડ્યું છે. અહી એક ખુબ રોચક અને પ્રચલિત પ્રસંગનો ઉલ્લેખ કરું, ગોધરામાં યોજાયેલી રાજકીય પરિષદમાં લોકમાન્ય તિલક અર્ધો કલાક મોડા આવ્યા, ત્યારે ગાંધીજીએ કટાક્ષમાં કહ્યું હતું: " સ્વરાજ અર્ધો કલાક મોડું આવશે !!"
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...