Wednesday, August 15, 2018

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત



ઈ.સ ૧૯૧૧ સુધી ભારતની રાજધાની બંગાળ હતી પરંતુ ઈ.સ ૧૯૦૫ માં જયારે બંગાળના વિભાજનને લઈને અંગ્રેજોની સામે બંગભંગ આંદોલનના વિરોધમાં બંગાળના લોકો જાગૃત થયા તો અંગ્રેજોએ પોતાને બચાવવા માટે કલકતાથી હટાવીને રાજધાનીને દીલ્હી લઈ ગયા અને ૧૯૧૧ માં દિલ્હીને રાજધાની જાહેર કરી દીધી. સંપૂર્ણ ભારતમાં લોકો વિદ્રોહની ભાવનાથી ભરેલા હતા ત્યારે અંગ્રેજોએ પોતાના ઇંગ્લેન્ડ ના રાજા ને ભારત આવવાનું  આમત્રણ આપ્યું કારણકે લોકો શાંત થઇ જાય. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ૧૯૧૧ માં ભારત આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પર દબાણ કરવામાં આવ્યું કે તેમને એક ગીત જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખવું  પડશે.

તે સમયે ટાગોરનો પરિવાર અંગ્રેજોથી ખુબ નજીક હતો, તેમના પરિવારના ઘણા બધા લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા હતા, તેમના મોટા ભાઈ અવનીન્દ્ર નાથ ટાગોર ઘણા દિવસો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કલકતા ડીવીઝન ના નિર્દેશક રહ્યા .તેમના પરિવારના ઘણા નાણા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રોકાયેલા હતા અને પોતે રવીન્દ્રનાથ ટાગોરની પણ અંગ્રેજો માટે સહાનુભૂતિ હતી.

રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત લખ્યું તેમના બોલ છે “ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા” આ ગીત ના તમામ શબ્દોમાં અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમનું ગુણગાન છે જેનો અર્થ સમજવાથી ખ્યાલ આવશે કે આ તો હકીકત માં જ અંગ્રેજો ની પ્રંશસામાં લખવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રગાન નો અર્થ કંઇક આ રીતે થાય છે "ભારત ના નાગરિક, ભારતની જનતા પોતાના મનથી તમને ભારતના ભાગ્યવિધાતા સમજે છે અને માને પણ છે. હે અધિનાયક તું જ ભારતનો ભાગ્યવિધાતા છો તારી જય હો ! જય હો ! જય હો ! તમારા ભારત આવવાથી તમામ પ્રાંત પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા એટલે કે મહારાષ્ટ્ર, દ્રવિડ એટલે કે દક્ષિણ ભારત. ઉત્કલ એટલે કે ઓરિસ્સા, બંગાળ વગેરે અને જેટલી પણ નદી છે જેમ કે યમુના અને ગંગા આ તમામ આનંદિત છે, ખુશ છે, પ્રસન્ન છે, તમારું નામ લઈને જ અમે જીવીએ છીએ અને તમારા નામનો આર્શીવાદ માંગીએ છીએ. અમે તમારા જ ગુણગાન ગાઈએ છીએ હે ભારતના ભાગ્યવિધાતા (સુપરહીરો) તમારી જય હો જય હો જય હો !"

જ્યોર્જ પંચમ ભારત આવ્યો ૧૯૧૧ માં અને તેમના સ્વાગત માટે આ ગીત ગાવામાં આવ્યું જયારે તે ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો તો ત્યાં તેમને તે જન ગણ મન નો અંગ્રેજી અનુવાદ કરાવ્યો. કેમકે જયારે ભારતમાં તેમનું આ ગીત થી સ્વાગત થયું હતું ત્યારે તેમની સમજ માં ન આવ્યું કે આ ગીત શા માટે ગાવામાં આવ્યું અને તેમનો અર્થ શું થાય છે જયારે અંગ્રેજી ભાષાંતર તેમને સાંભળ્યું તો તે બોલ્યો કે આટલું બધું સન્માન અને આટલી બધી પ્રશંશા તો મારી આજ સુધી ઈંગ્લેન્ડ માં પણ કોઈ એ નથી કરી તે ખુબ ખુશ થયો અને તેમને આદેશ આપ્યો કે જેને પણ આ ગીત તેમના (જ્યોર્જ પંચમ ના)માટે લખ્યું છે તેમને ઈંગ્લેન્ડ બોલાવવામાં આવે અને ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોર ઈંગ્લેન્ડ ગયા. જ્યોર્જ પંચમ તે સમયે નોબલ પુરસ્કાર સમિતિનો અધ્યક્ષ પણ હતો.

તેમને રવીન્દ્રનાથ ટાગોર ને નોબલ પુરસ્કાર થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે આ નોબલ પુરસ્કારને લેવાની ના પાડી દીધી કેમકે ગાંધીજીએ ખુબ જ ખરાબ રીતે રવીન્દ્રનાથ ટાગોરને આ ગીત માટે ઠપકો આપ્યો હતો ત્યારે ટાગોરે કહયું કે તમે મને નોબલ પુરસ્કાર આપવા જ ઇચ્છતા હો તો મેં એક ગીતાંજલી નામની એક રચના લખી છે તેના પર મને પુરસ્કાર આપો પણ આ ગીતના નામ પર ન આપો અને આજ પ્રચાર કરવામાં આવે કે મને જે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તે ગીતાંજલી નામની રચના પર આપવામાં આવ્યો છે અને જ્યોર્જ પંચમ માની ગયા અને રવીન્દ્રનાથ ટાગોરને ઈ.સ ૧૯૧૩મ ગીતાંજલી નામની રચના ઉપર નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો.

રવીન્દ્રનાથ ટાગોરની અંગ્રેજો પ્રત્યેની સહાનુભૂતિ ત્યારે ખત્મ થઇ કે જયારે ઈ.સ ૧૯૧૯ મા જલીયાવાલા કાંડ થયો અને ત્યારે ગાંધીજી એ તેમને પત્ર લખ્યો અને કહયું કે હજુ પણ તારી આંખોમાંથી અંગ્રેજીયત નો પડદો નહિ ઉતરે તો ક્યારે ઉતરશે, તું અંગ્રેજોનો આટલો બધો ગુલામ કેમ થઇ ગયો છે, તું તેમનો આટલો સમર્થક કેમ થઇ ગયો છે ? પછી ગાંધીજી જાતે રવીન્દ્રનાથને મળવા ગયા અને તેમને ખુબ જ ઠપકો આપ્યો અને કહયું કે હજુ સુધી તું અંગ્રેજોની આંધળી ભક્તિમા ડૂબેલો છે ? ત્યારે રવીન્દ્રનાથ ટાગોર ની આંખો ખુલી ત્યાર બાદ આ  જલીયાવાલા કાંડ નો વિરોધ કર્યો અને નોબલ પુરસ્કાર અંગ્રેજી હુકુમતને પાછો આપ્યો. ઈ.સ ૧૯૧૯ થી પેહલા જે કંઈ પણ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું તે અંગ્રેજી સરકારના પક્ષમા હતું અને ૧૯૧૯ પછી તેમના લેખો અંગ્રેજોની વિરુદ્ધમા લખવાની શરૂઆત કરી.

રવીન્દ્રનાથ ટાગોરના બનેવી સુરેન્દ્રનાથ બેનરજી લંડનમાં રહેતા હતા અને આઈસીએસ ઓફિસર હતા તેમના બનેવીને તેમને એક પત્ર લખ્યો હતો (આ ૧૯૧૯ પછીની ઘટના છે ) આ પત્રમાં તેમને લખ્યું છે કે આ ગીત ‘જન ગણ મન ‘ અંગ્રેજો દ્વારા મારા પર દબાણ કરીને લખાવવામાં આવ્યું છે આ ગીતનાં શબ્દોનો અર્થ  સારો નથી માટે આ ગીત ને ન ગાવામાં આવે તો શારુ છે પણ છેલ્લે તેમને લખ્યું કે આ પત્ર ને કોઈને પણ ન બતાવવો કેમકે હું આને માત્ર તમારા પુરતો જ સીમિત રાખવા માંગું છું પરંતુ જયારે મારૂ મૃત્યુ થઇ જાયે ત્યારપછી જ તમામ લોકોને કહેવાનું, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોર નાં મૃત્યુ પછી આ પત્રને સુરેન્દ્રનાથ બેનરજીએ સાર્વજનિક કર્યો અને દેશવાસીઓને કહયું કે આ જન ગણ મન ગીત ન ગાવામાં આવે.

૧૯૪૧ સુધી કોંગ્રેસ પાર્ટી થોડી ઉપર આવી ગઈ હતી પણ તે બે પક્ષમા વહેચાઈ ગઈ હતી જેમાં એક તરફ સમર્થ બાળ ગંગાધર તિલક હતા અને બીજી બાજુ જવાહરલાલ નેહરુ હતા. સરકાર બનાવવાના મુદાને લઇ ને આ બને પક્ષ વચ્ચે મતભેદો હતા નેહરુ ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતની સરકાર અંગ્રેજી ની સાથે કોઈ સયોજન કરી ને સરકાર બને જયારે બીજી બાજુ ગંગાધર તિલક કેહતા હતા કે  અંગ્રેજોની સાથે મળીને સરકાર બનાવવી એ તો ભારતના લોકોને ધોખો આપવા જેવું છે આ મતભેદનાં કારણે લોકમાન્ય તિલક કોંગ્રેસમાંથી નીકળી ગયા અને તેમને એક ગરમ પક્ષ બનાવ્યો આમ કોંગ્રેસ નાં બે ભાગ થઇ ગયા એક નરમ પક્ષ અને એક ગરમ પક્ષ ...

ગરમ પક્ષના નેતા હતા લોકમાન્ય તિલક જેવા ક્રાંતિકારી તે દરેક જગ્યાએ વંદે માતરમ ગાતા હતા અને નરમ પક્ષનાં નેતા હતા જવાહરલાલ નેહરુ (અહીં હું સ્પષ્ટ કરી આપું કે ગાંધીજી તે સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા હતા તે કોઈ ની પણ તરફેણ મા ન હતા પણ ગાંધીજી બને પક્ષ માટે આદરણીય હતા કેમ કે ગાંધીજી દેશના લોકો નાં આદરણીય હતા) પરંતુ નરમ પક્ષ વાળા વધુ પડતા અંગ્રેજોની સાથે રહેતા હતા તેમની સાથે રેહવું, તેમને સાંભળવા, તેમની બેઠકોમાં ભાગ લેવો આમ દરેક સમયે અંગ્રેજોની સાથે સમજોતો કરીને રેહતા હતા વંદે માતરમથી અંગ્રેજોને ખુબ જ ગુસ્સો આવતો હતો અને નરમ પક્ષ વાળા ગરમ પક્ષ ને ચીડવવા માટે ૧૯૧૧ મા લખવામાં આવેલું ગીત ‘જન ગણ મન’ ગાતા હતા અને ગરમ પક્ષ વાળા વંદે માતરમ ગાતા હતા.

નરમ પક્ષ વાળા અંગ્રેજોના સમર્થક હતા અને અંગ્રેજોને આ ગીત પસંદ ન હતું ત્યારે અંગ્રેજોના કહેવા પર નરમ પક્ષનાં લોકોએ તે સમયે એક અફવા ફેલાવી કે મુસલમાનોએ વંદે માતરમ નાં ગાવું જોઈએ કેમ કે તેમાં મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે અને આપણે જાણીએ છીએ કે મુસલમાન મૂર્તિ પૂજાના વિરોધી છે તે સમયે મુસ્લિમ લીગ પણ બની ગઈ હતી જેના પ્રમુખ હતા મોહમદ અલી જીન્હા હતા તેમને પણ આનો વિરોધ કરવાનું શરૂ કર્યું કેમ કે જીન્હા પણ (તે સમય ) ભારતીય હતા મન, કર્મ, અને વચનથી અંગ્રેજી જ હતા તેમને પણ અંગ્રેજો નાં ઈશારા પર કેહવાનું શરૂ કર્યું અને મુસલમાનો ને વંદે માતરમ ગાવાની મનાઈ કરી આપી જયારે ભારત ઈ.સ ૧૯૪૭ માં સ્વતંત્ર થઇ ગયું ત્યારે જવાહર નહેરુએ તેમાં રાજનીતિ કરી ત્યારે સંવિધાન સભામાં ચર્ચા ચાલી અને સંવિધાન સભામાં ૩૧૯ માંથી ૩૧૮ સાસંદ એવા હતા કે જેમને બંકીમચંદ્ર દ્વારા લખાયેલું વંદે માતરમ ને રાષ્ટ્રગીત સ્વીકાર કરવા માટે સહમતી દર્શાવી પણ એક જ સાંસદે આ પ્રસ્તાવ ને માન્ય ન રાખ્યો અને તે  સાંસદનું નામ હતું પંડીત જવાહરલાલ નેહરુ. તેમનું તર્ક એ હતું કે વંદે માતરમ ગીત થી મુસલમાનોના દિલને હાની થાય છે માટે આ ગીત ન ગાવું જોઈએ (આમ તો આ ગીતથી મુસલમાનોને નહિ પણ અંગ્રેજો નાં દિલને હાની થતી હતી) હવે આ પ્રશ્નનું નિવારણ કરે કોણ? ત્યારે તે પહુચ્યા ગાંધીજીની પાસે ત્યારે ગાંધીજીએ કહયું કે જન ગણ મન નાં પક્ષ માં તો હું પણ નથી અને તું વંદે માતરમના પક્ષ માં નથી તો કોઈ ત્રીજું ગીત તૈયાર કરવામાં આવે ત્યારે મહાત્મા ગાંધીજીએ ત્રીજા ગીત નાં વિકલ્પ તરીકે ઝંડા ગીત આપ્યું “વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઉચા રહે હમારા” પણ નેહરુજી તેમાં પણ તૈયાર ન થયા...! આ ગીત શ્રી શ્યામલાલ ગુપ્ત "પાર્ષદ"જીએ કોંગ્રેસના ઝંડા માટે આઝાદી પહેલા લખેલું હતું લગભગ 1923-24માં. અને એ જ શ્યામલાલજીએ ભારતની આઝાદી પછી આ જ ગીત માટે કોંગ્રેસનો આંતરકલહ અને સત્તાપ્રેમ જોઈને એક લાઈન ઉમેરી હતી: " ઇસકી શાન ભલે હી જાયે, પર કુર્સી ના જાને પાયે! "

નેહરુજીનું કેહવું હતું કે ઝંડા ગીત ઓર્કેસ્ટ્રા પર નહિ ચાલે અને જન ગણ મન ઓર્કેસ્ટ્રા પર ચાલશે તે સમયે વાત બની નહિ તો નેહરુજી એ આ મુદા ને ગાંધીજી નાં મૃત્યુ સુધી દબાવી રાખ્યો અને ગાંધીજીના મૃત્યુ પછી નેહરુજીએ જન ગણ મન ને રાષ્ટ્રગીત જાહેર કરી દીધું અને જબરદસ્તી ભારતીયોને અપનાવવા માટે મજબુર કર્યા પણ આ ગીતના જે શબ્દો છે તે શબ્દો કંઇક અલગ જ બાબત પ્રસ્તુત કરે છે અને બીજો પક્ષ નારાજ ના થાય માટે વંદે માતરમને પણ રાષ્ટ્રીય ગીત બનાવી દીધું પણ ક્યારેય ગાવામાં આવ્યું નહિ. નેહરુજી એવું કોઈ કામ કરવા ઇચ્છતા  ન હતા કે જેનાથી અંગ્રેજો નાં પક્ષને હાની થાય , મુસલમાનોના એટલા બધા હિમાયતી કેમ હતા કે જે વ્યક્તિ એ પાકિસ્તાન બનાવી દીધું તે સમયે આ દેશના મુસલમાન પાકિસ્તાન ઈચ્છતા ન હતા જન ગણ મનને એટલા માટે માન આપવામાં આવ્યું કે તે અંગ્રેજોની ભક્તિ માટે ગાવામાં આવ્યું હતું અને વંદે માતરમ એટલા માટે પાછળ રહી ગયું કેમ કે આ ગીત થી અંગ્રેજોને દર્દ થતું હતું.

બીબીસીએ એક સર્વે કર્યો હતો, તેમણે  દુનિયામાં જેટલા પણ ભારતીયો રેહતા હતા તેમને પૂછ્યું કે તમને આ બંને ગીતમાંથી કયું ગીત સૌથી વધુ પસંદ છે ત્યારે ૯૯% લોકોએ કહયું કે વંદે માતરમ. બીબીસી નાં આ સર્વે થી એક વાત સાફ થઇ કે દુનિયા નાં સૌથી લોકપ્રિય ગીતમાં બીજા નંબર પર વંદે માતરમ છે, કેટલાય દેશો છે જેમના લોકોને વંદે માતરમના શબ્દો સમજતા નથી પરંતુ તે કહે છે કે આ ગીતમાં જે લય છે તેનાથી એક ઉત્સાહ પેદા થાય છે .

      તો  આ ઇતિહાસ વંદે માતરમ અને 
જન ગણ મન નો છે.
         
વંદે માતરમ......જય હિન્દ.......જય મા ભારતી.....!
ઇતિહાસમાંથી સંપાદિત.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...