Saturday, May 27, 2017
ચંદનનો બગીચો
Friday, May 26, 2017
દીકરી વહુ બન્યા બાદ....
"રિઝલ્ટ"
ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ ?? "દુવિધા"
નુકસાન
Thursday, May 25, 2017
શબ્દો ની કિંમત
જેવો સમય એવા શબ્દો
એકવખત લક્ષ્મી અને પનોતી વચ્ચે વિવાદ થયો. લક્ષ્મી કહે કે હું સારી દેખાવ છું અને પનોતી કહે કે હું સારી દેખાવ છું. છેવટે બંનેએ નક્કી કર્યુ કે કોઇ માણસને મળીને આપણે એમને જ પુછીએ કે આપણામાંથી વધુ સુંદર કોણ દેખાય છે ?
લક્ષ્મી અને પનોતી બંને પૃથ્વી પર આવ્યા. રસ્તામાં જ એક માણસ મળી ગયો. લક્ષ્મીજી એ પુછ્યુ , ” અમારા બંનેમાંથી કોણ વધુ સુંદર દેખાય છે ? ” પેલાએ તો તુરત જવાબ આપ્યો , ” લક્ષ્મીજી આપ વધુ સુંદર છો.” પનોતીને ખોટુ લાગ્યુ અને એણે પેલા માણસને લક્ષ્મી હોવા છતા એ લક્ષ્મીનું સુખ ન લેવા દીધુ.
થોડા આગળ ગયા અને એક બીજો માણસ મળ્યો એમને પણ આ જ પ્રશ્ન પુછવામાં આવ્યો. એમણે કહ્યુ , ” પનોતીજી આપ વધુ સારા લાગો છો. ” આ સાંભળીને લક્ષ્મીજીને દુખ લાગ્યુ અને એણે પેલા માણસને નિર્ધન બનાવી દીધો.
થોડા આગળ ગયા અને ત્રીજો માણસ મળ્યો. એમને પણ અગાઉ જેવો જ સવાલ પુછવામાં આવ્યો. ઉતાવળે જવાબ આપવાને બદલે એણે થોડો વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો , ” આપ બંને ખુબ સુંદર લાગો છો. લક્ષ્મીજી આપ આવતા હોય ત્યારે સુંદર લાગો છો અને પનોતીજી આપ જતા હોય ત્યારે સુંદર લાગો છો. ”
જવાબ સાંભળીને બંને રાજી થયા અને બદલામાં પેલો માણસ ન્યાલ થઇ ગયો.
ક્યા સમયે શું બોલવું એ ખુબ મહત્વનું છે. સમય અને સ્થિતી જોઇને જે માણસ બોલી શકે એના પર લક્ષ્મીજીની કૃપા તો વરસે જ પણ પનોતીજી પણ એની રક્ષામાં રહે.
"રાજ"ની મમ્મી
ભાંગેલાનો ભાઇબંધ
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી
ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા. મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.
પરિસ્થિતિનો આનંદ
મેરા દરદ ન જાને કોઇ
પરિસ્થિતિનો આનંદ
આનંદમાં કેમ રહેવું ?
એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધીમે સમુદ્રના મધ્યભાગમાં આવેલા ટાપુઓ તરફ આગળ વધી રહ્યુ હતુ. બધા આનંદથી ગીતો ગાતા ગાતા સફરની મજા લઇ રહ્યા હતા.
સાવ અચાનક દરીયામાં તોફાન શરુ થયુ અને ધીમે ધીમે તોફાન વધવા લાગ્યુ. વહાણ પણ હાલક ડોલક થવા લાગ્યુ. વહાણ પર રસોઇની સેવા માટે લેવામાં આવેલો એક રસોઇયો રડવા લાગ્યો. ધીમે ધીમે એના રડવાનો અવાજ એટલો વધ્યો કે બધાના કાન દુ:ખવા લાગ્યા.
રાજાએ ગુસ્સે થઇને કહ્યુ , ” આ રસોઇયાને ઉપાડીને દરીયામાં નાંખી દો. ક્યારનો રડ-રડ કરીને બીજાને પરેશાન કરે છે.” પ્રધાને રાજાને સમજાવતા કહ્યુ કે એને દરીયામાં ફેંકવાની જરુર નથી આપ મારા પર છોડી દો હું તેને રડતો બંધ કરી દઇશ. રાજાએ જે કરવુ હોય એ કરવાની પ્રધાનને મંજૂરી આપી.
પ્રધાન રસોઇયા પાસે ગયા અને તેને દોરડેથી બાંધીને વહાણમાંથી નીચે લટકાવ્યો. રસોઇયો તો એકદમ ગભરાઇ ગયો. લટકતા- લટકતા તોફાનનો સામનો કરવો ખુબ મુશ્કેલ હતો. થોડીવાર એને એમ જ રહેવા દઇને પછી પ્રધાને એને ફરીથી વહાણમાં લઇ લીધો.
જેવો એ વહાણમાં આવ્યો અને એને દોરડાઓ છોડીને મુકત કરવામાં આવ્યો કે તુરંત જ દોડીને એક ખુણામાં બેસી ગયો અને સાવ મુંગો થઇ ગયો. રાજાએ આવું કેવી રીતે બન્યુ એ જાણવા માટે પ્રધાનની પૃછા કરી તો પ્રધાને કહ્યુ , ” મહારાજ , માણસ ત્યાં સુધી બરાડા પાડે છે અને ફરીયાદો કરે છે જ્યાં સુધી એણે પોતે અત્યારે જે સ્થિતીમાં જેવી રહ્યો છે એના કરતા ખરાબ પરિસ્થિતી નથી જોઇ. જ્યારે એ હાલની પરિસ્થિતી કરતા પણ ખરાબ પરિસ્થિતીનો અનુભવ કરે છે ત્યારે એને હાલની પરિસ્થિતી વધુ સારી લાગે છે. ”
મિત્રો , આપણે આપણી હાલની પરિસ્થિતીની અનેક ફરીયાદો કરીએ છીએ. ફરીયાદો બંધ કરીને પરિસ્થિતી બદલવાના પ્રયાસો કરીશું તો તેમાં ચોક્કસ સફળતા મેળશે...
જીવનનું પડદા પાછળનું સત્ય
સ્વામી રામતિર્થ
બરાક ઓબામા
નુકસાન અને કુટુંબપ્રેમ
Wednesday, May 24, 2017
વાણી-વર્તન અને વિશ્વાસ સંપાદન
સ્ત્રીને ખરેખર શું જોઈએ છે?
Monday, May 15, 2017
રજાચીઠ્ઠી
ના બોલવામાં નવ ગુણ
2. કોઈના કજિયા કંકાસ માં નિમિત્ત ના બનાય.
3. શત્રુ ઉભા ના થાય
4. આપણો વાંક ના નીકળે.
5. વ્યાપારજીવન ના રહસ્યો ના છતાં થાય.
6. કોઈની નિંદા ના થાય.
7. બીજાની ખાનગી વાત ના કેહવાઈ જાય.
8. લોકોનો વિશ્વાસ તૂટે નહીં.
9. મનની શાંતિ જળવાઈ રહે