આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો
એકવાર સ્વામી રામતિર્થ ઋષિકેશમાં ગંગા નદીના કિનારે ફરી રહ્યા હતા. એમણે એક સન્યાસીને જોયા એટલે એમની પાસે જઇને વાતો ચાલું કરી.
“શું આપ સન્યાસી છો ?”
” જી, હા હું યોગી છું”
”આપ કેટલા વર્ષથી યોગી છો?”
“ લગભગ 40 વર્ષથી “
” ઓહ ! આપ ખુબ અનુભવી છો. આપે આ 40 વર્ષ દરમિયાન કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવી હોય તો એ જણાવવાની કૃપા કરશો ?”
પેલા સન્યાસીએ થોડા અભિમાન સાથે કહ્યુ , “ ગંગા નદીનો આ વિશાળ પટ્ટ આપને દેખાય છે ને તે પાણીના પ્રવાહ પર, હું સડક પર ચાલતો હોવ એ રીતે ચાલી શકું છું.”
સ્વામી રામતિર્થે કહ્યુ , “ આ સિવાય કોઇ બીજી ઉપલ્બ્ધિ મેળવી છે આપે ?”
પેલા સન્યાસીએ કહ્યુ, “ પાણી પર ચાલવાની આ ઉપલબ્ધિ તમને નાની લાગે છે ?”
સ્વામી રામતિર્થે હસતા હસતા કહ્યુ, “ યોગીરાજ , તમે તમારી જીંદગીના 40 વર્ષ ખર્ચીને જે ઉપલબ્ધિ મેળવી છે તેની કિંમત મારે મન તો બે આના જેટલી જ છે કેમ કે બે આનામાં નાવ વાળો કોઇપણ વ્યક્તિને નાવમાં બેસાડીને સામે કાંઠે આરામથી પહોંચાડી દે છે.
માણસે એવી વિદ્યા શિખવી જોઇએ જે પોતાના માટે તો ફાયદાકારક હોય જ પણ સાથે-સાથે જગતના અન્ય લોકો માટે પણ એ લાભકારક હોય..
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...