-સત્ય ઘટના (1930)
Thursday, March 31, 2016
સિન્કલેર લુઈ અને પત્ની ડોરોથી
-સત્ય ઘટના (1930)
અટલબિહારી બાજપેયી
આલ્બર્ટ સ્વાઈત્ઝર
થોમસ મુર
જ્યોતીન્દ્ર દવે
કવિ ન્હાનાલાલ દલપતરામ
જીમી કાર્ટર
Wednesday, March 30, 2016
દાન્તે
એ સાંભળીને બિશપ હસી પડ્યા.
કળિયુગ
એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.
અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.
ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?
નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.
સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.
ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."
ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ!!!
વડીલ
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.
એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, " બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? " વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, " બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."
દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાય ગયુ છે દિકરાને પિતાની આ વાત ગળે ન ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઇ ગયા.
દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એમને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો. એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ, " તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? " વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.
દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."
મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.
જો કોઈ વ્યક્તિ તમારી સામે ઝુકી ને નમૃતાથી વાત કરે તો માનવું કે તેનુ કદ તમારાથી ચોકકસ મોટુ હશે..
કવિ અવધેશ નારાયણ
શિખામણ
ગાંધીજી અને સમય વ્યવસ્થાપન
અબ્રાહમ લિંકન
સફળતા - આલ્બર્ટ આઇન્સ્તાઇન
Tuesday, March 29, 2016
ધીરજ
Monday, March 28, 2016
નેઇલ એસ્કેલીન
આત્મવિશ્વાસ
યુધિસ્ઠીર અને ભીમ
" મુલ્લા નસરુદ્દીન - હસી કા ફરિશ્તા "
મુલ્લા નસરુદ્દીનનો અંતકાલ નિકટ આવ્યો ત્યારે એમની પત્ની કાળા વસ્ત્રો પહેરીને આંસુભરી આંખોએ તેમના ખાટલા પાસે બેઠી હતી. એ જોઇને મુલ્લાજી એ કહ્યું, " બીબી, આવી ઉદાસ શા માટે થઇ ગઈ છો ? ઉઠો, મો ધોઈને સારા કપડા પહેરી લો, અને મારી પાસે હસતા-હસતા આવો."
" તમારો અંતકાલ નજરોની સામે હોય ત્યારે હું આવું શી રીતે કરી શકું?" તેમણે વ્યથિત સ્વરમાં કહ્યું.
'મરણ નજીક છે એટલે જ તો તને સજીધજીને અહી બેસવાનું કહું છું, જેથી મોતનો ફરિશ્તો કદાચ તને પસંદ કરી લે અને મને જતો કરે !!' એમ કહેતા મુલ્લાજી ખડખડાટ હસી પડ્યા.
તેમના પત્ની વ્યથિત હોવા છતાં તેમની આ મશ્કરી સાંભળીને હસી પડ્યા, અને બીજી જ ક્ષણે મુલ્લાજીના પ્રાણ-પંખેરું ઉડી ગયા.
--" મુલ્લા નસરુદ્દીન - હસી કા ફરિશ્તા " માંથી સંક્ષેપ
જગદીશચંદ્ર બી. બોઝ
"કન્ફ્યુસીયસ"
આશુતોષ મુખર્જી
Wednesday, March 23, 2016
મહાન વ્યાકરણ આચાર્ય -- "પાણીની"
" ટોલ્સટોય "
Tuesday, March 22, 2016
" પરિવર્તન "
-- "આપણે માણસ" માંથી.
" પપ્પા "
શું પપ્પા કદી રીટાયર્ડ થઈ શકે ?
હા, હું મારા પપ્પાને અડ્યો છું.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી. ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
છતા’ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.
બસ એટલે પપ્પા મહાન છે.
"મિ. રિઝવાન આડતિયા"
"નવ્વાણું નો ધક્કો"
કુંભાર જેવો માણસ
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...
માનનારા માને તો, આકરી સજા છે,
કુંદન કસોટીની કસપટ્ટી આપદા,
હસતાં હસતાં ભાઈ એને સહી લેવી... આપણી વ્યથાની વાત...
દુઃખના બાવળ બળે
સુખડ જલે ને પડે રાખની ઢગલી
બાવળના કોયલા પડે મારા મનવા
સુખના સુખડ જલે.
અબ્રાહમ લિંકન
સુખી રહેવાનો મંત્ર
થોમસ લિંકન
સંતોષ નું સ્મિત
Monday, March 21, 2016
સલાહ
આત્મવિશ્વાસ
અબ્રાહમ લિંકન
દોનોતેલો અને ટીકા
કફન
નહીતર આ આંખ માં ઘણું બધું દફન છે.....!
............................."ગમતીલા શબ્દો"®