અબ્રાહમ લિંકને એક વાર જોયું કે એક નાનો છોડ ફૂંકાઈ રહેલ તીવ્ર પવનની સામે ઝઝૂમી રહ્યો છે. અને એ છોડના ફૂલો પર બેઠેલી મધમાખીઓનો રસ ચૂસવામાં વ્યસ્ત છે. સખત પવનના ઝાપટાને લીધે છોડ વારંવાર જમીન પર અથડાતો અને પાછો ઉંચો થઇ જતો હતો. તેમ છતાં મધમાખીઓ ફૂલો સાથે સખત ચોંટી રહીને રસ ચૂસ્યા કરતી હતી.
એ દ્રશ્ય તેમના ચિત્તમાં ઘર કરી ગયું।. એ અંગે તેમણે કોઈ મીટીંગમાં કહ્યું: ' મને લાગે છે કે જે લોકો મધમાખીની જેમ પોતાના કામ સાથે ચીટકી રહે છે, તેમને જ જીવન મધ પ્રાપ્ત થાય છે. વિરોધના ગમે તેટલા વા-વંટોળિયા ની વચ્ચે પણ હાથમાં લીધેલા કર્યો, ખંતપૂર્વક વળગીને રહી કરતા રહેવાથી માણસને સિદ્ધિ અવશ્ય મળે છે.
અબ્રાહમ લિંકન (અમેરિકન રાષ્ટ્રપ્રમુખ, 1809-1865)
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...