Tuesday, May 22, 2018

એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય ?


▪એવું ન બને કે પતિઓને પણ પિયર હોય?▪
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
વેકેશન....શબ્દ માત્રથી જ છલકાતો ઉમંગ! આનંદ, મુક્ત થઈ ફરવાનો એહસાસ...! વેકેશન આવે એટલે સૌથી પહેલું શું યાદ આવે? જી, બાળકો માટે મામાનું ઘર અને પત્ની, દીકરી માટે એમનું પિયર!! 

મામાનું ઘર ભાણેજથી છલકાય, મોજ મસ્તી અને એય હૈયા હિલ્લોળા લેતા હોય તથા પત્ની/દીકરીઓ એમના પિયર રોકાવા જાય અને પોતાના બાળપણને વાગોળતી હોય એવું ચિત્ર તરત જ આપણી નજર સમક્ષ ઉપસી આવે, ખરું ને? 

પણ મારી ટૂંકી નજરથી અવલોકન કરતાં, ખબર નહીં કેમ આ વેકેશન મને કોઈની તરફદારી કરતું હોય એમ લાગ્યું!! આપણે વેકેશન ઉજવણીની આ સામાજિક પ્રણાલીમાં અને ખરું કહો તો આપણાં સાહિત્યમાં કોઈને ભૂલી તો નથી ગયાને? 

હા, આ વેકેશન એટલે વરસથી રાહ જોવાતો બાળકોનો આંનદ-પ્રમોદ કરવાનો ભણતરના બોજ વિનાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે (ભલે કહેવાતું હોય કે આપણે ખૂબ મોર્ડન યુગમાં જીવી રહ્યા છીએ તો પણ) પત્ની-દીકરીઓ માટે સાસરિયામાં કામની પળોજણથી અને સાસુ-સસરાની આમન્યાથી મુક્ત થઈ પિયરમાં રિલેક્સ થવાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે મામા-ભાણેજનો સંબંધ વધુ પ્રગાઢ અને મૈત્રીપૂર્ણ રીતે પાંગરવાનો સુખદ સમય!

હા, આ વેકેશન એટલે નાના-નાનીનો એમના પૌત્ર-પૌત્રી અને દીકરી સાથે ખુશનુમા પરોઢ ઉજવવાનો સુખદ સમય!

હા, વેકેશન એટલે આ જ બઘું! એવું જ મેં વાંચ્યું છે, સાંભળ્યું છે અને કહેવાતું આવ્યું છે!

આ સર્વેના ઉલ્લેખમાં આપણે ભૂલી ગયાં દાદા-દાદીને અને આ પતિદેવોને ! આ વેકેશન જ એવો સમય છે કે જેમાં આ લોકો ઘણુંખરું એકલતા સારે છે. કેમ પતિઓને વેકેશન ના હોય?  તેઓ આ સંદર્ભે વેકેશનમાં ક્યાં જાય? તેમને પણ ક્યારેક કામની પળોજણ અને કુટુંબની જવાબદારીનું પોટલું થોડું હળવું થાય અને ક્યાંક બાજુ પર મૂકી શકાય એવો સુખદ સમય ન મળી શકે? અહીં આપણે વેકેશનમાં ફરવાની વાત નથી કરતા...ત્યાં પણ એને જવાબદારીઓનું પોટલું તો ઊંચકવાનું જ છે! આપણે અહીં પત્નીના પિયર જેવી રિલેક્સ પળોની વાત કરીએ છીએ!

પતિઓને એવું પિયર ના મળી શકે? કે જ્યાં એ પણ વેકેશન ગાળવા જાય, કોઈ માથે હાથ ફેરવે અને ભલે ને મોડા ઉઠે કે કામકાજ ન કરે કોઈ ટોકવાવાળું ન હોય, કોઈ બોસ ન હોય, કોઈ નોકરી ન હોય, જ્યાં બેસીને એ પણ એનું બાળપણ તાજું કરી શકે!

દાદા અને/અથવા દાદીને કે જેઓને રોજ એમના પૌત્ર-પૌત્રીની અને પતિદેવોને એમના દીકરા-દીકરીઓની ચિચિયારીઓ, કીકીયારીઓ, મસ્તી સાંભળવા-જોવાની, એમની સાથે રમવાની આદત પડી ચુકી હોય છે એમની એકલતાનું શું? 

આપણે એવું માનીએ, સાંભળીયે અને વાંચીએ છીએ કે, વેકેશનમાં પત્નીઓ બાળકોને લઈ પિયર જાય એટલે પતિદેવોને જલસા પડી જાય...પણ ખરેખર તો ચિત્ર આનાથી એકદમ વિપરીત જ હોય છે. પત્ની-બાળકો વગરનું ઘર એને કરડવા દોડતું હોય એમ લાગે છે. તેઓની ગેરહાજરીમાં સર્જાયેલા શૂન્યાવકાશને વખોડતાં આ વેકેશન ક્યારે પતે એવું એ વિચારતો હોય છે!

રિસર્ચ પણ એમ કહે છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષ એકલતા એટલી ખેલદિલીથી જીરવી નથી શકતો!

અને એટલે જ બની શકે, કદાચ આ વેકેશન એમને ના ગમે!!

અને તેઓની આ વ્યથાનો ઉલ્લેખ ક્યાંય જોવા નથી મળતો. અને એટલે જ આ વેકેશન, મને કોઈની તરફદારી કરતું હોય એવું સ્પષ્ટપણે લાગે છે! જાણે એવું લાગે કે પિયરમાંથી જ આ વેકેશન શબ્દનો જન્મ થયો હોય!

▪એટલે જ હવે વિચાર આવે છે કે એવું ન થઈ શકે કે પતિઓને પણ પિયર હોય?▪

― ડો. કાર્તિક ડી. શાહ
➖➖➖➖➖➖➖

Saturday, May 19, 2018

કે. એલ. સાયગલ


કુંદનલાલ સાયગલનો જન્મ 1904ની 11 એપ્રિલે જમ્મુમાં થયો હતો અને 1947ની 18 જાન્યુઆરીએ જલંધરમાં એમનું નિધન થયું હતું. માત્ર 42 વર્ષના આયુષ્યમાં સાયગલે ગાયક અને અભિનેતા તરીકે ભારતભરમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

સાયગલના માતા કેસરબાઈ ધાર્મિક ગીતોનાં ચાહક હતા. તેઓ પુત્ર કુંદનને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં એમની સાથે લઈ જતાં હતાં, જ્યાં ભજન, કીર્તન ગવાતા હતાં. એમની પાસેથી જ બાળક કુંદનને સંગીત પ્રત્યે આકર્ષણ થયું હતું અને ગાવાનો શોખ જાગ્યો હતો.

જમ્મુથી સાયગલ યુવાન વયે કલકત્તા ગયા હતા અને ત્યાં ઘણી વાર મેહફિલ-એ-મુશાયરામાં ગાતા હતા. સાયગલના વખતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર કલકત્તા શહેર હતું, પણ બાદમાં મુંબઈ બન્યું હતું. 1930ના દાયકાના આરંભમાં શાસ્ત્રીય સંગીતકાર અને ફિલ્મ સંગીતકાર હરિશ્ચંદ્ર બાલી સાથે ઓળખાણ થતાં બાલીએ સાયગલને કલકત્તામાં ફિલ્મ સ્ટુડિયો ન્યૂ થિયેટર્સ સાથે એમને કોન્ટ્રાક્ટ કરાવી આપ્યો હતો, મહિને 200 રૂપિયાનો. એને પગલે સાયગલની મુલાકાત પંકજ મલિક, કે.સી. ડે, પહાડી સન્યાલ જેવા એ વખતના જાણીતા ગીતકાર-સંગીતકારો સાથે થઈ હતી.

સાયગલ અભિનેતા તરીકે જાણીતા થયા હતા. હિન્દી સિનેમાના એ વખતના પહેલા સુપરસ્ટાર કહેવાય છે. પંદર વર્ષની કારકિર્દીમાં સાયગલે 36 ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં 28 હિન્દી, સાત બંગાળી અને એક તામિલ ફિલ્મ હતી. સાયગલની પહેલી હિન્દી ફિલ્મ હતી ‘મોહબ્બત કે આંસુ’, જે 1932માં રિલીઝ થઈ હતી.

1933માં, સાયગલે ‘પુરાણ ભગત’ ફિલ્મમાં ગાયેલા ચાર ભજન ઝડપથી આખા દેશમાં લોકપ્રિય થયા હતા.
સાયગલે કુલ 185 ગીતો ગાયા હતા, જેમાંના 142 ફિલ્મી ગીતો હતા અને 43 બિન-ફિલ્મી ગીતો હતા. ફિલ્મી ગીતોમાં 110 હિન્દી, 30 બંગાળી અને બે તામિલ હતા.

1930-50ના દાયકામાં સાયગલના સ્વરની લોકપ્રિયતા એટલી બધી હતી કે એ સમયે લોકપ્રિય રહેલા રેડિયો સીલોન પર 1947ના વર્ષ સુધી રોજ સવારે 7.55 વાગ્યે સાયગલનું ગીત વગાડવામાં આવતું હતું.

લતા મંગેશકર અને કિશોર કુમારે તો જાહેરમાં નિવેદન કરીને કહ્યું હતું કે તેઓ સાયગલને પોતાનાં સંગીત ગુરુ માને છે.

1946-47માં જિંદગીના આખરી દોરમાં તેઓ વધુપડતો શરાબ પીવાને કારણે થાકી જતા-તૂટી જતા. ઈન્જેક્શનો પણ એમને લેવા પડતા. ત્યારે એમના મગજમાં એક વાત ખરાબ રીતે ઘર કરી ગયેલી કે જ્યાં સુધી તેઓ પીશે નહીં ત્યાં સુધી સારી રીતે ગાઈ નહીં શકે. પરિણામે થયું એવું કે શાહજહાં ફિલ્મ માટે લખેલું મારું ગીત ગમ દિયે મુશ્તકિલ કિતના નાજુક હૈ દિલ ગાતી વખતે પહેલે દિવસે તેઓ શરાબ પીને આવ્યા ત્યારે બેસૂરા થઈ ગયા. જે ગાયકને દુનિયા સૂરોના બાદશાહ ગણતી એ જ ગાયક સૂરમાં ગાઈ નહોતા શકતા.

સંગીતકાર નૌશાદ સાહેબે ખૂબ જ આદરપૂર્વક નમ્રતાથી સાયગલ સાહેબને કહ્યું: ‘લાગે છે કે તમારી તબિયત નાદુરસ્ત છે. તેથી જ તમે બરાબર ગાઈ નથી શકતા. નહીંતર સાયગલ સૂરમાં ન ગાય એવું તે કદી બને. બહેતર છે કે કાલે તમારી તબિયત સારી થાય પછી જ આવો તો રેકોર્ડિંગ પતી જાય.’
બીજે દિવસે સાયગલ સાહેબ આવ્યા ત્યારે પહેલા દિવસ જેવી જ દશા હતી. ત્યાં સુધી હું એમને એકેય વાર મળ્યો નહોતો અને તેઓ મને જાણતા નહોતા તેથી ક્રોધાવેશમાં નૌશાદ સાહેબને એમણે પૂછ્યું, ‘કોણે ગીત લખ્યું છે?’

હું ત્યાં જ બેઠો હતો. બોલ્યો, ‘મેં જ લખ્યું છે જી.’
એમને મને પૂછ્યું, ‘તમને ખબર છે તમે શું લખ્યું છે?’
મેં તરત જ ટકોર કરી: ‘તમે ગાઈ નથી શકતા એમાં હું શું કરું, મારો શો કસૂર છે એમાં?’ સ્વાભાવિક છે મારા આવા જવાબથી એમને થોડું માઠું પણ લાગ્યું. પણ હું શું કરી શકું?

તેથી નૌશાદ સાહેબે ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું કે બીજે દિવસે તેઓ પીધા વિના જ આવે. સાયગલ સાહેબ આનાકાની કરતા બોલ્યા, ‘નહીં નહીં એવું તો થઈ જ ન શકે.

નૌશાદ સાહેબે તોડ કાઢ્યો: ‘આપણે એમ કરીએ એકવાર વગર પીધે રેકોર્ડ કરીએ, બીજીવાર પીધા પછી રેકોર્ડ કરીએ.’ 

બીજે દિવસે વગર પીધે ગવડાવવામાં આવ્યું. એમણે લાજવાબ ગાયું. છતાં એમને સંતોષ ન થયો. એમણે તો પીને ફરીથી ગાવાની જીદ પકડી. સાયગલની જીદ સામે નમતું જોખવું જ પડે. પીને ગાયું ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. નૌશાદ સાહેબે બંને ગીત સંભળાવીને અભિપ્રાય પૂછ્યો ત્યારે સાયગલ સાહેબે કબૂલ કર્યું, ‘પહેલા વગર પીધે ગાયેલું એ જ ગીત બહેતર છે.


નૌશાદે વળતી ટકોર કરી: ‘તો કયા બેવકૂફે તમને કહ્યું કે પીધા પછી જ તમે બહેતર ગાઈ શકો છો’  ― આ બધું જ અક્ષરસ: મઝરૂહ સુલ્તાનપુરીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું !! 

એમનું આ ટૂંકું આયખું કેટલાંય રોચક પ્રસંગો અને દરિયાદીલીથી ભરપૂર છે. એમ જ કાંઈ લોકોના હૃદય પર રાજ નહોતા કરી શકયા તેઓ...એ પાછળ એમની લાગણીઓ, માનવતા અને ત્યાગની ભાવના જવાબદાર હતી....મળીયે પાછા થોડા સમયમાં એક બીજો પ્રસંગ લઈને !

― સંકલન: ડો. કાર્તિક શાહ

Friday, May 18, 2018

કે. એલ. સાયગલ - ઉમદા વ્યક્તિત્વ


૧૯૫૭ - ૫૮ની સાલમાં અમદાવાદના રિગલ કે લાઇટહાઉસ સિનેમામાં “સાયગલકી અમર કહાની” નામનું કે.એલ.સાયગલનું bio-pic આવ્યું. ફિલ્મમાં જોયેલી સાયગલ સાહેબની જીવન યાત્રા કેવળ સંગીતના ઉત્સવ જેવી ન રહેતાં માનવતા અને કરૂણાના વહેણ જેવી હતી. ક્યારે ચિત્ર શરૂ થયું, ક્યારે સમાપ્ત થયું તેનો ખ્યાલ ન રહ્યો.. કેવળ અંતિમ ‘શૉટ’ બાદ ગાલ પર ભિનાશ અનુભવી ત્યારે સમજાયું ફિલ્મ પૂરી થઇ હતી. 

ફિલ્મનો એક પ્રસંગ માનસપટલ પર હંમેશ માટે અંકાઇ ગયો. આ પ્રસંગ હતો કલકત્તામાં તેમને પહેલ વહેલું કામ મળ્યું હતું તેનું -- કાપડની ફેરી કરી વેચાણ કરવાનું!! આ પ્રસંગ દિગ્દર્શકે ચિતર્યો હતો.


એક મજુરના માથે કાપડનો મોટો થેલો મૂકાવી કુંદનલાલ સહગલ - જે બદલાઇને સાયગલ થઇ ગયું -કલકત્તાની શ્રીમંત વ્યક્તિઓની હવેલીમાં જઇ કાપડ, સાડીઓ બતાવે અને વેચે. એક વાર તેઓ કોઇ ગૃહિણીને સાડીઓ બતાવી રહ્યા હતા. તેમની પાછળ તેમની દાસી તથા દાસીની પુત્રી ઉભાં હતા. દાસીની નાનકડી દિકરીને એક સાડી ગમી અને તે બોલી પડી, “મા, કોતો શુંદર શાડી! આમાકે ખૂબ ભાલો લાગે. કિનબે તો?” (કેટલી સુંદર સાડી છે! મને ખુબ ગમી. વેચાતી લઇશું કે?)

અરે જા, જા,” શેઠાણી તાડૂકી. “આ સાડી લેવાની તારી ક્યાં હેસિયત છે!

સાયગલે શેઠાણીને કહ્યું, “એની હેસિયત હોય કે ન હોય, પણ આપની આવી ઉમદા સાડી લેવાની લાયકાત નથી,” કહી, પેલી મોંઘી સાડી દાસી પુત્રીને આપી, થેલો ઉપાડાવી ત્યાંથી ચાલી નીકળ્યા. દુકાને પહોંચી શેઠને કહ્યું, “સાડીના પૈસા મારા પગારમાંથી કાપી લેજો !!

આ સાયગલ સાહેબ માનવતાના ઝરણાં જેવા હતાં અને આવા એક નહિ કેટલાય પ્રસંગો મોજુદ છે એમનાં, ધીરે ધીરે એક પછી એક શેર કરીશ. અને આવા ઉમદા વ્યક્તિત્વને લીધે જ પંજાબી હોવા છતાં કોલકાતાએ એમને પોતીકા માની લીધા હતાં....

વધુ પ્રસંગ લઈને ફરી મળીશું....

- સંકલન: કાર્તિક શાહ 

Tuesday, May 8, 2018

Understanding the offset/wet ink transfer error


Wet ink transfer error or offset error is the most common error in the currency note printing world wide. Is the wet ink transfer really happens from a sheet to other sheet or it is something more interesting?? And how can such incidents happen during the printing process? 

Here's how : below is a simple illustration of the normal printing process, in which the printing plate for the portrait is a the top drum (Drum A) and as the paper goes in between the drums, the plate on drum A is pressed against drum B and the image of the portrait gets transferred to the paper.


Now image transfer happens when there is a momentary break in the paper feeding and as a result the image on drum A gets transferred to Drum B, as shown below :



And when the paper feed resumes, the wet ink on drum B gets printed to the bottom of the same paper. The image transferred will fade as more paper gets fed into the printing drums :



The image on drum A is a negative, when transferred to drum B, it will be a positive and final transfer to paper will result in a negative image.

Like others, this type of error can range from minor to a complete offset, with the later being more desirable to collectors. While a rational theory, note that the errors described or pictured here are not caused by wet sheet transfer, or ink transferring from still-wet sheets to other sheets!!

Hope this will provide some clarity on how such ink transfer can happen when banknotes are being printed.

Happy Collecting !

By Dr Kartik D Shah