Sunday, August 21, 2016

" ગુર્જીએફ " -- ક્રોધ



ગુર્જીએફ
ગુર્જીએફ એક મહાન તત્વચિંતક હતાં જગતભરમાં જાણીતા થયાં હતાં.
તેઓ જ્યારે યુવાન હતાં ત્યારે ખૂબ જ સંઘર્ષ માં હતાં અને કોઈ તેમને વિશેષ ઓળખતું પણ નહોતું.


તેમનાં પિતા ઘણાં બુદ્ધિશાળી હતાં. જ્યારે તેઓ મરણ પથારી એ હતાં ત્યારે તેમણે પોતાના પુત્રને બોલાવીને કહ્યુ, " બેટા, હુ ગરીબ છું. તારા માટે કશી મૂડી મુકી જતો નથી. મારી પાસે તને આપવા યોગ્ય કોઈ વસ્તુ નથી. પરંતું મારા પિતાએ મને જે આપ્યું હતુ તેં હુ તને પણ આપતો જાઉં છું,  જીવનભર તુ એને સાચવજે અને નિભાવવજે. "

પુત્ર ગુર્જીએફએ જિજ્ઞાસા થી પુછ્યું, " એ શુ છે તેં કહો !! "
પિતાએ કહ્યુ, " ક્રોધ પર કાબુ!! બેટા, તુ હંમેશા ક્રોધ પર કાબુ રાખજે. તને જ્યારે ક્રોધ આવે ત્યારે ચોવીસ કલાક પછી જ એનો જે જવાબ આપવો હોય તેં આપજે. તેં પહેલા ક્રોધ કરતો નહીં. "

પછી તેમણે શાંત ચિત્તે કહ્યુ, " બસ, આ જ મારી મોટી મૂડી છે, તેને હુ તને આપુ છું. મને મળેલી આ મૂડી મેં સાચવીને રાખી છે તુ પણ સાચવીને રાખજે !!"

ગુર્જીએફએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, અપમાન સહન કર્યું....ગુસ્સો આવે ત્યારે ચોવીસ કલાક પછી જવાબ આપીશ એમ કહેતાં રહ્યાં....

અને ગુસ્સા પર કાબુ મેળવી જતે દિવસે તેઓ જગતમાં મહાન વિચારક તરીકે પ્રસિધ્ધ થઈ ગયા..!!

સફળતા- જ્યોર્જ બર્નાર્ડ શો

જ્યોર્જ બર્નાર્ડ શો

સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો નું નામ આગળની હરોળમાં છે.

એમની જીવન-આત્મકથા વાંચવા જેવી છે. જો વાંચીએ તૌ તેમનાં જીવન સંઘર્ષના પ્રસંગો વાંચીને આંખો ભીની થઈ જાય.

આર્થિક વિટંબણા મા તેમની યુવાની વીતી હતી. તેમણે જીવન જીવવા પ્રતિકૂળ સંજોગો સામે ભીષણ જંગ ખેલ્યો હતો.

ઘણા વર્ષો સુધી તેઓ નાટકો લખતા રહ્યાં, પરંતું તેમને એકેય પૈસો મળતો નહીં...!

એવાં સંઘર્ષમાં તેઓ નાટકો લખતાં જ રહ્યાં, બસ લખતાં જ રહ્યાં....અને છેવટે વિશ્વના મહાન નાટ્યકાર તરીકે જાણીતા અને માનીતા થયાં...!

એક જિજ્ઞાસુ માણસે તેમને એક દિવસ એક સમારંભમાં પ્રશ્ન પૂછયો: "આપ વિશ્વના મહાન નાટ્યકાર કેવી રીતે બની શક્યા?"

સફળતાનું સાચું રહસ્ય તેમનાં ઉત્તરમાંથી પ્રાપ્ત થાય છે. એમનો ઉત્તર હતો, " હુ દસ કામ કરતો હતો પરંતું તેમાંથી મને એકમાં જ સફળતા મળતી હતી! મારે સો ટકા સફળતા જોઈતી હતી, એટ્લે મેં મારા કાર્યોમાં દસ ગણો વધારો કરી દીધો!! પરિશ્રમ દસ ગણો થવાથી સફળતા શાને ન મળે???!!!"