જ્યોર્જ બર્નાર્ડ શો
સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો નું નામ આગળની હરોળમાં છે.
એમની જીવન-આત્મકથા વાંચવા જેવી છે. જો વાંચીએ તૌ તેમનાં જીવન સંઘર્ષના પ્રસંગો વાંચીને આંખો ભીની થઈ જાય.
આર્થિક વિટંબણા મા તેમની યુવાની વીતી હતી. તેમણે જીવન જીવવા પ્રતિકૂળ સંજોગો સામે ભીષણ જંગ ખેલ્યો હતો.
ઘણા વર્ષો સુધી તેઓ નાટકો લખતા રહ્યાં, પરંતું તેમને એકેય પૈસો મળતો નહીં...!
એવાં સંઘર્ષમાં તેઓ નાટકો લખતાં જ રહ્યાં, બસ લખતાં જ રહ્યાં....અને છેવટે વિશ્વના મહાન નાટ્યકાર તરીકે જાણીતા અને માનીતા થયાં...!
એક જિજ્ઞાસુ માણસે તેમને એક દિવસ એક સમારંભમાં પ્રશ્ન પૂછયો: "આપ વિશ્વના મહાન નાટ્યકાર કેવી રીતે બની શક્યા?"
સફળતાનું સાચું રહસ્ય તેમનાં ઉત્તરમાંથી પ્રાપ્ત થાય છે. એમનો ઉત્તર હતો, " હુ દસ કામ કરતો હતો પરંતું તેમાંથી મને એકમાં જ સફળતા મળતી હતી! મારે સો ટકા સફળતા જોઈતી હતી, એટ્લે મેં મારા કાર્યોમાં દસ ગણો વધારો કરી દીધો!! પરિશ્રમ દસ ગણો થવાથી સફળતા શાને ન મળે???!!!"
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...