Monday, March 28, 2016

જગદીશચંદ્ર બી. બોઝ

જગદીશચંદ્ર બી. બોઝ ( ભૌતિક અને વનસ્પતિ વિજ્ઞાની, 1858-1937)

ફરીદ્પુર (ઉત્તરપ્રદેશ)ના એક ન્યાયાધીશે એક કુખ્યાત લુંટારાને સજા કરી. એણે કોર્ટમાં જ ન્યાયાધીશ ને એવી ધમકી આપી કે જેલમાંથી છૂટ્યા પછી એ એનું વેર લેશે. અને ખરેખર, એણે એવું જ કર્યું.

ન્યાયાધીશનો બંગલો એણે સળગાવી દીધો. તેમની તમામ મિલકત એમાં સ્વાહા થયી ગઈ. અને તેઓ માત્ર એમના પુત્ર સાથે ફક્ત પહેરેલ કપડે બચી શક્યા.

એ લુટારો ફરી પકડાઈ ગયો અને ફરી તેમની જ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. એણે ગળગળા થઈને ન્યાયાધીશને કહ્યું, " તમે મને કોઈ ઈજ્જતની નોકરી અપાવો, તો હું મારો ધંધો છોડી દેવા તૈયાર છું."

અને એ ન્યાયાધીશે ન કેવળ એ ગુનેગારને માફ કરી દીધો, પણ પોતાના જ ઘરે કામ ઉપર રાખ્યો. અને પોતાના બાળકને નિશાળે લઇ જવા માટે નું મુખ્ય કામ સોંપ્યું.

આ ન્યાયાધીશનું નામ છે, ભગવાનચંદ્ર બોઝ, વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ ના પિતા.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...