Wednesday, March 23, 2016

મહાન વ્યાકરણ આચાર્ય -- "પાણીની"

મહાન વ્યાકરણ આચાર્ય  --  "પાણીની" 
(સંસ્કૃત ભાષાના વ્યાકરણ આચાર્ય, અષ્ટાધ્યાયી ના કરતા અને સંસ્કૃતના કવિ, ઈ.પૂ.4થી સદી)

એક મહત્વાકાંક્ષી કિશોરની હથેળી જોઇને કોઈ જ્યોતિષીએ કહ્યું: " તારા હાથમાં વિદ્યા નથી, એ સિવાયની બધી રેખાઓ સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવીશ પણ વિદ્યા નહિ, કેમ કે એ રેખા ઘણી ટૂંકી અને આછી છે. "
 " પંડિતજી,..!" એ કિશોરે કહ્યું, " વિદ્યા વિનાની કીર્તિ અને સમૃદ્ધિ નું હું શું કરીશ? મારા હાથમાં એ રેખા ટૂંકી છે, તો એને લાંબી કરી દઈશ." અને તરત એક ચપ્પુ લઈને એણે હથેળીમાં મોટો ચીરો પાડીને વિદ્યાની રેખા લાંબી કરી નાખી.

'અરે ગાંડા !' આ રીતે તો કઈ ભાગ્ય ઘડી શકાય ભલા ?? જ્યોતિષી એ ગભરાઈને કહ્યું।
એ કિશોર મોટો થઈને સંસ્કૃતનો એક મહાન વ્યાકરણ આચાર્ય બન્યો, જેનું નામ છે પાણીની.
--પાણીની (સંસ્કૃત ભાષાના વ્યાકરણ આચાર્ય, અષ્ટાધ્યાયી ના કરતા અને સંસ્કૃતના કવિ, ઈ.પૂ.4થી સદી)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...