Thursday, September 7, 2017

ગોપાલ કૃષ્ણ ગોખલે

ગોપાલ કૃષ્ણ ગોખલે આપણા દેશના એક મોટા નેતા થઈ ગયા. એમના બાળપણની એક વાત છે. એક દિવસ એમના શિક્ષક કહેવા લાગ્યા : ‘તેં બધા સવાલના જવાબ સાચા લખ્યા છે; માટે લે, હું તને આ પુસ્તક ઈનામમાં આપું છું.’ પણ આશ્ચર્યની વાત એ થઈ કે આ સાંભળીને ગોપાલ ખુશ થવાને બદલે રોવા લાગ્યો. શિક્ષક બિચારા હેબતાઈ ગયા. ધીરે ધીરે ગોપાલ રોતાં રોતાં બોલ્યો :
‘ગુરુજી, તમે મને ઈનામ નહીં, સજા આપો !’


‘સજા શું કામ બેટા ?’

‘વાત એમ છે કે આમાંથી એક સવાલ મને આવડતો ન હતો, તેનો જવાબ મેં મારા એક મિત્રની મદદથી લખ્યો છે. એટલે મને આ ઈનામ લેવાનો અધિકાર નથી.’ શિક્ષક આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. ગોપાલની પીઠ થાબડીને એમણે કહ્યું : ‘બેટા, પહેલાં આ ઈનામ હું તારી બુદ્ધિને માટે આપતો હતો, હવે બુદ્ધિ ઉપરાંત તારી સચ્ચાઈ માટે, તારી ઈમાનદારી માટે પણ આપું છું. લે, આવી રીતે હંમેશાં સાચું બોલજે. ભગવાન તારું ભલું કરે !’ આવી સચ્ચાઈ અને ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક્યો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...