Monday, September 25, 2017

લતાજી અને સચિનદા વચ્ચે એવું તે શું થયું ???


હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે સચિન દેવ બર્મનની કારકર્દિીની શરૂઆત ફિલ્મ ‘શિકારી’ (૧૯૪૬)થી થઈ. જોકે તેમને લોકપ્રિયતા મળી ૧૯૫૧માં ફિલ્મ ‘સઝા’થી.

ત્યાર બાદ તેમણે લતા મંગેશકર સાથે મળીને એકથી એક ચડિયાતાં અમર ગીતો સંગીતપ્રેમીઓને આપ્યાં. યાદ આવે છે આ ગીતો...

તુમ ન જાને કિસ જહાં મેં ખો ગએ (૧૯૫૧, ‘સઝા’, સાહિર લુધિયાનવી)

ઠંડી હવાએં, લહરા કે આએં, રુત હૈ જવાં, તુમ કો યહાં કૈસે બુલાએં (૧૯૫૧, ‘નૌૈજવાન’, સાહિર લુધિયાનવી)

યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસતાં (૧૯૫૨, ‘જાલ’, સાહિર લુધિયાનવી) અને બીજા કેટલાય....

પરંતુ ૧૯૫૮માં એક એવી ઘટના બની જેના કારણે આ બે મહાન કલાકારોના મીઠા સંબંધોમાં કડવાશ આવી ગઈ. એવું શું બન્યું એની વિગતવાર વાત લતા મંગેશકર અમીન સાયાનીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહે છે...

"દાદા કી એક ફિલ્મ થી. શાયદ ‘મિસ ઇન્ડિયા’. ઉસમેં નર્ગિસ હિરોઇન થી. ઉસકા એક ગાના રેકૉર્ડ હોનેવાલા થા. વો ફિલ્મ ક્યા થી, ઉસમેં નર્ગિસ કા ક્યા રોલ થા ઉસકા મુઝે કુછ પતા નહીં થા.

દાદાને મુઝસે કહા, ‘લતા, ઇસમેં મુઝે મીઠાસ ચાહિએ.’

મૈંને કહા, અચ્છા દાદા.

તો મૈંને ઉસ પ્રકાર સે ગાના થોડા સૉફ્ટ ગાયા. ઉનકો બહોત અચ્છા લગા.

બાદ મેં ક્યા હુઆ માલૂમ નહીં. ઉનકા ફોન આયા - ‘નહીં લોતા, ગાના ઠીક નહીં હુઆ. ફિર સે કરના પડેગા.’

મૈંને કહા, ‘દાદા, ઉસ દિન તો આપકો અચ્છા લગા થા.’

‘નહીં, હમ ફિર સે કરેગા.’ દાદાએ કહ્યું.

તો ફિર મૈંને કહા, ‘ઠીક હૈ દાદા, જૈસા આપ કહો.’

બાદ મેં ઉન્હોંને અપને એક ખાસ આદમી સે કહા તુમ લતા કે પાસ જાઓ ઔર ઉનકા ડેટ લે કર આઓ.

અચ્છા, ઉસકા કોઈ પ્રૉબ્લેમ નહીં થા, પર ઉન દિનોં મૈં બહોત ઝ્યાદા રેકૉર્ડિંગ કર રહી થી. તો મૈંને ઉસ આદમી કો કહા, ‘અગલે પાંચ-છ દિન મૈં રેકૉર્ડિંગ નહીં કર સકતી, મેરી સબ ડેટ ફિક્સ હો ગઈ હૈ.’

તો ઉસ આદમી ને જાકર દાદા કો કુછ ઇસ તરહ સે બોલા (જો મુઝે બાદ મેં પતા ચલા) : યે (દાદા) જબ મરઝી આએંગે તબ ગાના બદલેંગે ઔર મૈં (લતા) ગાઉંગી? મૈં તૈયાર નહીં.

ઐસા કુછ કહા.

હાલાંકિ મૈંને ઐસા કુછ નહીં કહા થા. મૈંને ઇતના હી કહા થા, ‘ચાર-પાંચ દિન મૈં બહુત બિઝી હૂં. ઔર દાદા કો મૈં ઐસા કહ નહીં સકતી. મૈં ઉનકો અપના પિતા સમાન માનતી હૂંં.’

તો ઉનકો જાકર યે આદમીને ઐસા કહા તો ઉનકો ગુસ્સા આ ગયા. અચ્છા, તો ફિર હમ લતા સે ગાના નહીં લેગા ઐસા કહા ઔર બાદ મેં વો ગાના ઉન્હોંને આશા સે લિયા. જો મુઝે બાદ મેં પતા ચલા.

અબ હમ લતા સે કભી નહીં ગવાએગા ઐસા ઉન્હોંને કિસીસે કહા જો ઉનકા ખાસ આદમી થા. વો જબ મુઝે મિલે તો ઉન્હોંને કહા, ‘દાદા કહતે થે કે અબ હમ લતા સે ગાના નહીં લેગા.’

મૈંને કહા, ‘દાદા ક્યૂં નહીં લેંગે? મૈં  હી નહીં ગાઉંગી. અગર ઉનકો ઝરૂરત નહીં હૈ તો મુઝે ભી ઝરૂરત નહીં હૈ. મૈં ભી નહીં ગાઉંગી.’

ઔર ઇસ તરહ હમારા મિલના-જુલના બંદ હો ગયા ઔર ગાના ભી બંદ હો ગયા."

અને એ દિવસથી આ બે મહાન કલાકારોના અબોલાની શરૂઆત થઈ જેનું સરવાળે તો નુકસાન થયું સંગીતને. બાળસહજ સ્વભાવના સચિનદાને કિશોરકુમાર, દેવ આનંદ અને બીજા કલાકારો સાથે વાંકું પડતું, પરંતુ તે દરેક કલાકાર અહમને વચમાં લાવ્યા વિના સચિનદાના સ્વભાવની આવી બાળસહજ હરકતોને વધુ મહત્વ ન આપતા.

જ્યારે અહીં તો લતા મંગેશકર હતાં. મોહમ્મહ રફી, સી. રામચંદ્ર, રાજ કપૂર અને બીજા અનેક દિગ્ગજ કલાકારો સાથે તેમને ક્યાંક અને ક્યારેક મનમુટાવ રહ્યો છે. (ઓ. પી. નૈયરની સાથે કોઈ જ અણબનાવ નહોતો એ વાત વિસ્તારથી આ પહેલાં લખી ચૂક્યો છું.) એ કિસ્સાઓની વાત ફરી ક્યારેક. એમાં ભૂલ કોની અને સત્ય શું હતું એ શોધવાની જરાપણ કોશિશ આપણે નથી કરવી. અહીં તો શું બન્યું એની સાક્ષી ભાવે વાત કરવી છે.

આ ઘટના બાદ ફિલ્મ ‘લાજવંતી’નાં ગીતો આશા ભોસલેએ ગાયાં અને ત્યાર બાદ સચિનદાની ફિલ્મોમાં આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરને પ્રાધાન્ય મળવાની શરૂઆત થઈ.

૧૯૫૮માં સચિનદાના સંગીતમાં આવેલી ફિલ્મો હતી ‘સોલવાં સાલ’, ‘સિતારોં સે આગે’, ‘કાલા પાની’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’.

૧૯૫૯માં તેમના સંગીત-નિર્દેશનમાં જે ફિલ્મો આવી એ હતી ‘સુજાતા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ઇન્સાન જાગ ઉઠા’. આ ફિલ્મોમાં પણ આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરનો ઉપયોગ સચિનદાએ કર્યો.

આ પરંપરા આગળ વધી. ૧૯૬૦ની ફિલ્મોમાં ‘મિયાં બીવી રાઝી’, ‘મંઝિલ’, ‘કાલા બાઝાર’, ‘એક કે બાદ એક’, ‘બંબઈ કા બાબુ’, ‘બેવકૂફ’ અને ‘અપના હાથ જગન્નાથ’માં આશા ભોસલે અને ગીતા દત્તના સ્વરનો મહદંશે સચિનદાએ ઉપયોગ કર્યો.

અપવાદરૂપે તેમણે બે બીજા અવાજની અજમાયશ કરી.
સુધા મલ્હોત્રા અને 
સુમન કલ્યાણપુર.... એક ફિલ્મ હતી ‘બાત એક રાત કી’

જેમાં સુમન કલ્યાણપુરે ગાયેલું મજરૂહ સુલતાનપુરીનું ગીત કેમ ભુલાય?

ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હેં જાને

આ સમય દરમ્યાન તેમનાં ગીતો લોકપ્રિય થયાં જ હતાં, પરંતુ સચિનદા અને લતા મંગેશકરની જોડીનો જાદુનો અભાવ સંગીતપ્રેમીઓને ખટકતો હતો.

જેમ લતા મંગેશકરના મોહમ્મદ રફી સાથેના અબોલા દરમ્યાન શ્રોતાઓની સાથે સંગીતકારો પણ બન્નેનો મેળાપ જલદી થાય એમ ઇચ્છતા એવું જ આ બન્ને દિગ્ગજોની બાબતમાં સૌકોઈ ઇચ્છતા હતા.

‘તેરે મેરે મિલન કી યૈ રૈના’ જેવી ઘટના અંતે કઈ રીતે ઘટી એ વાત ફરી ક્યારેક.....

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...