Tuesday, April 19, 2016

વિલંબ


કૌરવોના દરબારમાં દ્રૌપદીની ભારી વિટંબણા થઇ. દુર્યોધન, દુઃશાસન, કારણ વગેરે અણછાજતા કટુવચનો બોલ્યા. તેમનો ચોટલો ખેંચાયો અને ચીર હણાયા. એવા ટાણે શ્રી કૃષ્ણએ વસ્ત્રો પ્રદાન કરી તેમની લાજ બચાવી.
એ પ્રસંગ વીતી ગયા પછી દ્રૌપદિએ શ્રી કૃષ્ણને પૂછ્યું, " હે કૃષ્ણ! તમે છેલ્લી ઘડીએ મારી લાજ તો રાખી, પણ આટલી બધી સતામણી થઇ ત્યાં સુધી તમે કેમ ઉભા રહ્યા? તમે મારી સહાય માટે ત્વરિત કેમ આગળ ન આવ્યા?"
શ્રી કૃષ્ણ એ માર્મિક સ્મિત વેરીને કહ્યું, " હું બીજું શું કરું? તારી સામે ધર્મરાજા, ભીમ, અર્જુન વગેરે બેઠા હતા. એ સૌ મદદ કરશે એવી આશા રાખીને તું એમની સામે જોઈ રહી હતી, પણ તેમાં નિરાશ થઇ ત્યારે ન છૂટકે તે મને યાદ કર્યો. બધા લોકો આમ જ કરતા હોય છે. પણ જેવો તે મને યાદ કર્યો કે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું આવી પહોંચ્યો કે નહિ? વાર મેં નો'તી લગાડી, તે જ મને મોડો બોલાવ્યો હતો!!"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...