Thursday, April 14, 2016

સેમ્યુએલ ટેલર કોલારીજ

સેમ્યુએલ ટેલર કોલારીજ 
(અંગ્રેજ કવિ, 1772-1834)

એક વાર અંગ્રેજ કવિ કોલારીજ કોઈ વ્યક્તિ સાથે વાદવિવાદમાં અટવાઈ ગયા. એ વ્યક્તિની એવી માન્યતા હતી કે બાળકોને કોઈ પણ પ્રકારનું ધર્મ-શિક્ષણ આપવું જોઈએ નહિ. તેઓ જયારે સમજણા થાય ત્યારે પોતાના વિવેક પ્રમાણે ધર્મની પસંદગી કરવાની એમને સ્વતંત્રતા આપવી જોઈએ.

એમના આ વિચાર સાથે કોલારીજ સમંત નહોતા. અને તેમ છતાં તેઓ એમની સાથે દલીલમાં ઉતારવા નહોતા ઈચ્છતા. એમણે એક બીજી યુક્તિ વાપરી અને એ ભાઈને પોતાના બગીચામાં લઇ ગયા. ત્યાં એક ખૂણા માં ઉગેલા ઝાંખરા તરફ ઈશારો કરીને એમણે પૂછ્યું, " શું તમે એને બગીચો કહી શકશો? ત્યાં તો જંગલી ઝાંખરા સિવાય બીજું કશું નથી !!"

એ ભાઈ કોલારીજના પ્રશ્નનો મર્મ સમજી ગયા. કોલારીજે હસતા હસતા કહ્યું: " હું પોતે આ બગીચાની પ્રકૃતિ કે એની સ્વતંત્રતામાં કોઈ વિઘ્ન પહોંચાડવા નથી ઈચ્છતો. આથી, મેં એને અભિવ્યક્તિનો એક અવસર આપ્યો છે... પોતાનું મૌલિક સર્જન કરવાની છૂટ આપી જ છે... અને એનું જે પરિણામ આવ્યું છે તે તમે જાતે જોઈ શકો છો !!"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...