Friday, April 15, 2016

કવિ રામનરેશ ત્રિપાઠી -- "પ્રામાણિકતા"

મહાન હિન્દી કવિ અને લેખક (1889-1962)

એક ગામડા ગામનો છોકરો કોલકાતામાં રોજીરોટી મેળવવા ગયો. નોકરી  માટે બધે ફર્યો.

આખરે એક શેઠને ત્યાં ચાર કલાક રોજ વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચી સંભળાવવાનું કામ મળ્યું. આ કામ માટે એને રોજના ૬ આના (અડધા રૂપિયા થી પણ ઓછા) પગાર મળતો.  સવાર સાંજ રોજ નોકરીએ જતો.
એક દિવસ શેઠની પાંચ રૂપિયા ની નોટ કચરાપેટીમાં પડી ગયી. છોકરાએ એ જોઈ અને સાચા માલિકને આપવા તે પેટીમાં વ્યવસ્થિત ઢાંકી દીધી.

ત્યાં તો બીજે દિવસે પૈસાની શોધખોળ શરુ થઇ. બધાને શેઠના એક પટાવાળા તરીકે નોકરી કરતા ભાઈ પર શંકા હતી...પરંતુ એટલામાં તો એ છોકરો બધાના આશ્ચર્ય વચ્ચે આવ્યો અને કચરાપેટીમાંથી  ૫ રૂપિયા કાઢી  શેઠને  આપી દીધા.

તે છોકરાની પ્રામાણિકતાથી શેઠ તેના પર બહુજ ખુશ થઇ ગયા. તેમણે છોકરાની ભણવાની વ્યવસ્થા કરી આપી.

આગળ જતા આ છોકરો સુપ્રસિદ્ધ સાહિત્યકાર બની ગયો!! આ છોકરો એટલે સુપ્રસિદ્ધ મહાન સાહિત્યકાર -- કવિ રામનરેશ ત્રિપાઠી !!

મહાન-આદર્શ મનુષ્યમાં પરિશ્રમ અને પ્રમાણિક્તાના સદગુણો પહેલેથી જ રોપાયેલા હોય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...