Thursday, April 14, 2016

માર્શલ જોફ્રે


મોટા ભાગના લોકો એ જાણતા હતા કે, માર્નેની પહેલી લડાઈ માર્શલ જોફ્રે એ જીતી હતી, છતાં કેટલાક માણસો એ માનવા તૈયાર નહોતા. એક દિવસ એક પત્રકારે માર્શલ જોફ્રેને પૂછ્યું, 'માર્નેની લડાઈ ખરેખર કોણે જીતી, મને કહેશો?'
"એનો જવાબ હું આપી શકું તેમ નથી," જોફ્રે એ કહ્યું, " પરંતુ એક વાત હું તમને ખાતરીથી કહી શકું એમ છું કે, જો એ લડાઈ આપણે હારી ગયા હોત તો એનો બધો દોષ મારા શિરે આવત!"

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...