Monday, April 25, 2016

મહાન કવિ દાન્તે અને પ્રેમ


જગતનાં મહાન કવિઓમાં જેની ગણના થાય છે એ ઇટાલીનાં કવિ દાન્તે (Dante Alighieri – વિખ્યાત/અમર કૃતિ Divine Comedy – 14000 Lineનું મહાકાવ્ય)

આ કવિ માત્ર ૯ જ વર્ષનાં હતાં ત્યારે તેમણે એક હમઉમ્ર છોકરીને જોઇ: બિયાટ્રિસ પોર્ટિનારીને. અને મનોમન (OneSideLove) તેનાં પ્રેમમાં પડી ગયાં. એ વિશે દાન્તેએ કહ્યું છે કે, ‘આ બનાવની મારા ઉપર એટલી અસર પડી છે કે એ પછીનાં મારા જીવનમાં કોઇ બનાવને મેં એથી અગત્યનો ગણ્યો નથી.’

પોતે કવિ એટલે પોતાની પ્રિયતમાની કવિતાઓ લખતા ગયાં. પોતાનાં કાવ્યો દ્રારા પોતાની પ્રિયાને એમણે અમર બનાવી દીધી. પોતાને ચાહનાર કોઇ યુવાન પોતાની કૃતિમાં તેને અમર બનાવી દેશે એની બિયાટ્રિસને તો ખબર પણ ન હતી. ને આ કવિ એટલા તો શરમાતા કે પોતે ૧૮ વર્ષનાં થયા ત્યાં સુધી તો એમણે બિયાટ્રિસ સાથે વાત પણ કરી ન હતી. એ જીવીત હતી, પરિણીતા બની ત્યાં સુધી દાન્તે તેની આશામાં હતાં. નાની વયે બિયાટ્રિસનું અવસાન થયા બાદ દાન્તે પરણ્યા. અને પરણ્યા પછી ???
પત્નીનાં અતિ કર્કશ સ્વભાવને કારણે જીવનભર અસહ્ય ત્રાસ ભોગવતા રહ્યાં.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...