નિંદક / ટીકાકાર ને પાસે રાખો …
વિનોબાભાવે પોતાના પત્રોને હંમેશાં સંભાળીને રાખતા હતા અને તે બધાનો તે યોગ્ય ઉત્તર પણ હંમેશાં આપતાં હતા. એક દિવસ તેમની પાસે ગાંધીજી નો પટ આવ્યો, તો તેમણે તે પત્રને વાંચી અને ફાડી નાખ્યો. તેમની નજીકમાં જ કમલનયન બજાજ બેઠા હતા. તેમને આ જોઈને આશ્ચર્ય થયું. તે તેમની જિજ્ઞાસા ને દબાવી ન શક્યા અને તેમણે તે ફાટેલાં ટુકડાઓ ને સાથે રાખી જોડી ને વાંચ્યું તો તે પત્ર વિનોબાજી ની પ્રસંશાથી ભરેલો હતો. તેમાં લખ્યું હતું – “તમારા જેવો મહાન –ઉચ્ચ આત્મા મેં ક્યાંય જોયો નથી.”
આશ્ચર્યચકિત થઇ બજાજજી એ પૂછ્યું, “તમે આ પત્ર ફાડી કેમ દીધો – નાખ્યો ? સાચી વાત તો લખી છે તેમાં. આ તો સંભાળી ને રાખવો જોઈએ.” હસતાં હસતાં વિનોબાજી એ જવાબ આપ્યો, “આ પત્ર મારા માટે નકામો – બેકાર છે, તેથી મેં તેને ફાડી નાખ્યો. પૂજ્ય બાપુએ પોતાની વિશાળ દ્રષ્ટિથી જે રીતે મને જોયો, આ પત્રમાં તે લખી આપ્યું છે, પણ મારા દોષોની ક્યાં તેમને ખબર છે ? મને તો આત્મ પ્રસંશા બિલકુલ પસંદ નથી. કોઈ મારા દોષ – ભૂલ બતાવે, તો હું બરોબર તેનું ધ્યાન રાખીશ.”
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...