Monday, July 24, 2017

નમ્રતા


એક વખત ચીની સંત ચાંગ-ચુઆંગ બીમાર પડ્યા, ત્યારે તેને જોવા માટે લાઓત્સે તેમની પાસે ગયા.  લાઓત્સેએ  પોતાને  કશોક ઉપદેશ દેવા  માટે તેમને વિનંતી કરી.  ચાંગ-ચુઆંગ એ પૂછ્યું, “જ્યારે  કોઈ પોતાના મૂળ ગામડે-ગામ  જાય છે, ત્યારે ગામના સીમાડે પહોંચે ત્યારે પોતાની ગાડીમાંથી કેમ નીચે ઉતરી જાય છે ?”  લાઓત્સેએ જવાબ આપ્યો, આ પ્રથા નો ઉદ્દેશ – હેતુ એ છે કે મનુષ્યએ પોતાનાં ઉદ્દ્ગ્મ -ઉદભવ (સ્થળ) ને ન ભૂલવું જોઈએ.”

ત્યાર બાદ ચાંગએ પોતાનું મોઢું ખોલી બતાવીને  પૂછ્યું, “શું મારા મોઢામાં દાંત છે ?”  “ના, નથી તો.” – લાઓત્સેએ જવાબ આપ્યો.  “અને જીભ ?”  – ચાંગ નો બીજો સવાલ/ પ્રશ્ન હતો.  “તે તો છે.”  –  લાઓત્સેએ કહ્યું, “આમ કેમ છે.  શું તેનું કારણ જણાવી શકો છો ?”  – ચાંગ નો હવે પછીનો સવાલ  – પ્રશ્ન હતો. – “મહોદય શ્રી, મારી સમજ મુજબ નમ્ર હોવાથી જીભ કાયમ છે, જ્યારે દાંત કડક હોવાથી તેનો નાશ થવા જવા પામેલ છે.”

“તમે સાચો જ જવાબ આપ્યો છે.  મનુષ્યએ વિનમ્ર રહેવામાં જ તેમનું  હિત – ભલાઈ છે.  મને વિશ્વાસ છે કે તમે જગતના બધા જ સિદ્ધાંતો ને સમજી લીધા છે અને તમને ઉપદ્દેશ આપવાની કોઈ જ આવશ્યકતા – જરૂરત નથી.” – ચાંગએ સંતોષભર્યા શબ્દોમાં કહ્યું.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...