એક વખત ચીની સંત ચાંગ-ચુઆંગ બીમાર પડ્યા, ત્યારે તેને જોવા માટે લાઓત્સે તેમની પાસે ગયા. લાઓત્સેએ પોતાને કશોક ઉપદેશ દેવા માટે તેમને વિનંતી કરી. ચાંગ-ચુઆંગ એ પૂછ્યું, “જ્યારે કોઈ પોતાના મૂળ ગામડે-ગામ જાય છે, ત્યારે ગામના સીમાડે પહોંચે ત્યારે પોતાની ગાડીમાંથી કેમ નીચે ઉતરી જાય છે ?” લાઓત્સેએ જવાબ આપ્યો, આ પ્રથા નો ઉદ્દેશ – હેતુ એ છે કે મનુષ્યએ પોતાનાં ઉદ્દ્ગ્મ -ઉદભવ (સ્થળ) ને ન ભૂલવું જોઈએ.”
ત્યાર બાદ ચાંગએ પોતાનું મોઢું ખોલી બતાવીને પૂછ્યું, “શું મારા મોઢામાં દાંત છે ?” “ના, નથી તો.” – લાઓત્સેએ જવાબ આપ્યો. “અને જીભ ?” – ચાંગ નો બીજો સવાલ/ પ્રશ્ન હતો. “તે તો છે.” – લાઓત્સેએ કહ્યું, “આમ કેમ છે. શું તેનું કારણ જણાવી શકો છો ?” – ચાંગ નો હવે પછીનો સવાલ – પ્રશ્ન હતો. – “મહોદય શ્રી, મારી સમજ મુજબ નમ્ર હોવાથી જીભ કાયમ છે, જ્યારે દાંત કડક હોવાથી તેનો નાશ થવા જવા પામેલ છે.”
“તમે સાચો જ જવાબ આપ્યો છે. મનુષ્યએ વિનમ્ર રહેવામાં જ તેમનું હિત – ભલાઈ છે. મને વિશ્વાસ છે કે તમે જગતના બધા જ સિદ્ધાંતો ને સમજી લીધા છે અને તમને ઉપદ્દેશ આપવાની કોઈ જ આવશ્યકતા – જરૂરત નથી.” – ચાંગએ સંતોષભર્યા શબ્દોમાં કહ્યું.
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...