Friday, May 27, 2016

રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન


" સર, આપનું જ્ઞાન અગાધ છે. અહીં હિન્દુસ્તાનમાં આપની કોઈ જ કદર નહિ થાય. આપના જેટલું જ્ઞાન ધરાવતી વ્યક્તિ યુરોપમાં તો ખુબ જ આદર અને પ્રસિદ્ધિ પામે. આપ અહીં નકામા સમય વેડફી રહ્યા છો.", એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કોલેજકાળના પોતાના પ્રાધ્યાપકની પ્રશંશા કરતા કહ્યું. એ ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે ખુબ મોટો આઈ.સી.એસ. અમલદાર બની ગયો હતો.

"ભાઈ, આપણા હિન્દુસ્તાનમાં શાની ખોટ છે? મને પરદેશનો બિલકુલ મોહ નથી.", પ્રાધ્યાપકે વળતા કહ્યું.

"આપને ભલે મોહ ના હોય, પણ આપશ્રીની પ્રગતિમાં રસ મારા જેવા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીને તો હોય જ ને ! કેમ્બ્રિજ કે ઓક્સફર્ડની ડિગ્રી લઈને અહીં આવશો એટલે તમારા માનપાન અત્યારે છે એના કરતા અનેક ગણા વધી જશે."

આ વાત અંગ્રેજોનું હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતું એ સમયની છે. ત્યારે વિદેશનું આકર્ષણ ખુબ હતું. એ પ્રાધ્યાપકે ખુમારીપૂર્વક જવાબ આપતા કહ્યું: " ભાઈ, મેં અહીં હિન્દુસ્તાનમાં જ રહીને વિદ્યાભ્યાસ કર્યો છે. જે કઈ જ્ઞાન ની તમે પ્રશંશા કરો છો એ મને આ દેશે જ આપ્યું છે. મારા પર મારા દેશનું ઋણ છે, એ કઈ કેમ્બ્રિજ કરતા લગીરેય ઉતરતો નથી. હું ઇંગ્લેન્ડ જઈશ તો ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જ નહિ કે ભણવા માટે....!!"

આ પછી 1927માં આ તથાકથિત યુનિવર્સીટી તરફથી એમને " અપ્ટન લેક્ચર સિરીઝ " માટે સામેથી આમંત્રણ મળ્યું...! આ તેજસ્વી પ્રાધ્યાપક એટલે ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...