Sunday, November 26, 2017

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

તુષારભાઈ શુકલ્ કહે છે કે, અમે ભણતા તે શાળામાં શનિવારે સવારની સ્કુલ હતી . સ્કુલ બસ લેવા આવે ત્યારે ઉઠ્યા ન હોઇએ. એમાં ય શિયાળામાં તો એટલું અંધારું હોય ! તે અમને અમારા પપ્પાએ શનિવારે શાળાએ જવાનો કદી આગ્રહ ન કર્યો.


શાળામાંથી અપાતા ગૃહકાર્ય વિષે પણ એમનો એ જ અભિગમ . નોટબૂકમાં ચિટ્ઠી લંખી રાખેલી "ચિ. તુષારે ગૃહકાર્ય કર્યું નથી." એ માનતા કે ઘરમાં હોય ત્યારે બાળકે શીખવા જેવું બીજું ઘણું છે.

મને યાદ છે મારી નાની બ્હેનને ૧લા ધોરણમાં મૂકવા ગયેલા ત્યારે એ બહુ રડી તો અમે એને ઘેર લઇ આવેલાને એ વરસે નિશાળે ન મૂકી ને સીધી બીજા ધોરણમાં મૂકેલી.

મારા પૂત્રે એની શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં " ટીવી જોવાના ફાયદા " મૌલિક રીતે જ વર્ણવ્યા. પોતાને જે ગમતું હતું તે કહ્યું. પણ એના ગણિતના શિક્ષકને ન ગમ્યું. એમણે એના ભવિષ્ય વિષે ભાખ્યું કે  " કામ વગર ભૂખે મરશો ". તે હું જઇને એનું L C લઇ આવેલો.

એ જે પ્રાથમિક શાળામાં ભણેલો ત્યાંના શિક્ષકોનો અભિગમ અનેખો હતો પરિણામે બાળકો શાળાએ જવાની જીદ કરતા. ને આ શાળામાં પ્રથમ દીવસે ઘેર આવીને એણે મને પૂછેલું કે પપ્પા, શિસ્ત રાખો એટલે શું રાખવાનું ?
મને ત્યારે જ સમજાઇ ગયેલું કે આ શાળા સાથેના સંબંધનું ભાવિ બહુ ઉજળું નથી.
આપણે ત્યાં બાળક માટે શાળા પસંદગી, શાળા પ્રવેશ અને શિક્ષણ -પરીક્ષણની પદ્ધતિ એટલી તો horrible છે કે વાત ન પૂછો. અને વાલીઓએ પોતે પહેરેલી લાચારીનો લાભ શાળાઓ લે એ સ્વાભાવિક છે. આજે વાલીને બાળકના શાળા પ્રવેશ પૂરતો જ શાળા સાથે સંબંધ છે. ગરજવાનને અક્કલ નહીં એટલે જ ગરજે ... બાપ કહેવા ય તૈયાર !

આમાં શાળા સંચાલકો જ દયા ખાઇને
૧) નાના બાળકોને વહેલી સવારની શાળાના ત્રાસમાંથી બચાવી શકે.
૨) દફ્તરનો ભાર હળવો કરી શકે. અને 
૩) બાળક  અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતીમાં બોલે એને દંડ ન કરે.


વાલીએ તો હાથ જોડી પ્રવેશ લીધો છે એટલે એ તો નહીં જ બોલે.હમણાં જ એક વાલીએ મને કહ્યું કે જો બોલો તો તરત LC પકડાવી દે છે. એડમીશન માટે લાઇનમાં ઘણાં ઉભાં જ છે !

હે સંચાલકો, 
તમને તમારી દુકાન ચલાવવાનો પૂરો અધિકાર પણ ગ્રાહકની આટલી દયા તો તમે ખાઇ જ શકો.

અને છેલ્લે:

ભયજનક કે ચિંતાજનક દિશા તરફ પ્રવાસ શરૂ કરી ચૂકેલ આ અભ્યાસક્રમ ખરેખર કૈકેટલાય પ્રશ્નોનો જનક બની બેઠો છે. હવે આ પ્રશ્નો રૂપી સંતાનોને કયા, ક્યાં, ક્યારે, ને કોણ જવાબો આપશે એ સમયને જ આધીન છે. વાલી રૂપી વર્તુળ આ અભ્યાસક્રમના મધ્યબિંદુની ચોતરફ ફરી તો રહ્યું છે પણ એ બિંદુ સુધી પહોંચી શકતું નથી, અથવા તો સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યું નથી! હજુ એક પેઢી આ પ્રશ્નો રહેશે એમ ચોક્કસ લાગે છે.

- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...