Sunday, August 13, 2017

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે !!

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે 

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે.
ધરતી આવનારા 10 વર્ષમાં હિમયુગનો સામનો કરશે. આ દાવો વૈજ્ઞાનિકોએ સૂરજની અસામાન્ય ગતિવિધિઓ જોયા પછી કર્યો છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે સૂરજની અસામાન્ય ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે વર્ષ 2020 પછી ગ્લોબલ વોર્મિંગ ઓછુ થશે. અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે.

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે, પરંતુ સેટેલાઇટ અને ઉર્જા તંત્રમાં ફેરફાર ચોક્કસ આવી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય સૌર વેધશાળાના મુખ્ય શોધકર્તા ફ્રેંક હિલ અને તેમની ટીમ સૂરજના ધબ્બાઓમાં 3 પ્રકારના પરિવર્તનના આધારે આ ભવિષ્યવાણી કરી રહી છે.

તેમાં સૂરજના ધબ્બા નબળા થવા, સૂરજના ધ્રૂવોમાંથી કેટલીક ધારાઓ નીકળવી અને સૂર્ય ધારાઓને પ્રભાવિત થવી પણ સામેલ છે. સંશોધનના સહલેખક ભૌતિકવિદ ડો. રિચર્ડ એલ્ટ્રોકે જણાવ્યું છે કે આ 3 સંકેત દર્શાવે છે કે સૂરજની આવી અવસ્થા પાછી આવવામાં સમય લાગશે.

પહેલા પણ બન્યું છે!
સૂરજના ધબ્બા ગાયબ થવા એ કોઈ અનોખી ઘટના નથી, આવુ પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ 18મી સદી પછી આવો કિસ્સો ક્યારેય નથી બન્યો. ફ્રેંક હિલે જણાવ્યા પ્રમાણે સૂરજ ચક્ર ભંગ થવા જઈ રહ્યું છે.

આ શાંતિ શા માટે?
વૈજ્ઞાનિકોને એ સમજમાં નથી આવી રહ્યું કે સૂરજ શાંત શા માટે થઈ રહ્યો છે. સંશોધન સાથે જોડાયેલા પેન જણાવે છે કે સૂર્ય ધબ્બાઓની ચુંબકીય ક્ષેત્રની તાકાતમાં સન 1998 પછી સતત ઘટાડો થયો છે. જો આ ઘટાડો સતત ચાલતો રહેશે તો 2022 સુધી સૂર્યના ધબ્બા નબળા પડી જશે, જેનાથી આવી પરિસ્થિતિ સર્જાશે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...