ઇ.સ. ૧૯૩૦ની સાલ. કારાવાસ ભોગવતાં સરદાર વલ્લભભાઈ પટેલને મળવા મહાદેવભાઈ દેસાઈ આવ્યા. મુલાકાત પૂર્ણ થઈ. વિદાયવેળાએ મહાદેવભાઈ કહે, " તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે અને આ એક મુલાકાત તો થઈ ગઈ. હોવી તમે પાછા નહીં મળી શકો એનું દુઃખ થાય છે. "
સરદાર ― " મને અહીં કોઈએ મળવા આવાની જરૂર નથી. ઉલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે આ હજી બહાર રહી ગયેલા છે !! "
વાણીસ્વાતંત્ર્ય ના મિજાજી વિગ્રહ જેવા આચાર્ય રજનીશને એક દિવસ એક પત્રકારે પૂછ્યું, " તમે કહો છો કે ભારત શ્રેષ્ઠ દેશ છે, પણ ક્યારેક તમે તદ્દન વિરોધી વાત કહો છો કે ભારત દંભી, ખોખલો અને કંનિષ્ઠ દેશ છે - તો સત્ય શુ છે ? "
ઓશો મૃદુ સ્મિત સાથે બોલ્યા ― " આત્મન! આપની બંને વાત સાવ સત્ય છે! ભારતમાં હું પણ રહું છું અને આપ પણ રહો છો ! "
શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમના વિશે પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાએ ઘણી વખત અણછાજતી, અયોગ્ય ટીકાઓ કરેલી.
બન્યું એવું કે ઝિમ્બાબ્વેના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલિસબરી શહેરમાં પાકિસ્તાની વડા જનરલ ઝિયા ઉલ હક અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને એક સાથે આમંત્રણ અપાયું!
સલિસબરીમાં બંને મળ્યા ત્યારે જનરલ ઝિયાએ કહ્યું ― " મેડમ, પ્લીઝ અખબારમાં રજુ થયેલી બધી વાતો સાચી ના માનતા! "
ઇન્દિરા ગાંધી ― " જરાય નહીં, જનાબ! અખબારો નો કદીય વિશ્વાસ ન કરાય. આ અખબારો તો તમને લોકશાહી નેતા અને મને સરમુખત્યાર કહે છે !!!"
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...