Wednesday, January 2, 2019

સલાહ



વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિથી માંડીને મૂર્ખમાં મૂર્ખ સુધીની કોઈ પણ વ્યક્તિ પાસે વિપુલ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ હોય તો તે તેની સલાહ આપવાની શક્તિ છે! માણસ બીજાને સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોય છે. પોતાને વિદ્વાન ગણતા વિવેચકો વર્ષોથી લેખકોએ અને કવિઓએ કેમ લખવું જોઈએ એની સલાહ આપતા રહ્યા છે. રીતે ચિત્રકારોએ કેમ ચીતરવું જોઈએ કે સંગીતકારોએ સંગીતરચના કેવી કરવી જોઈએ એના પર દરરોજ કેટલાય વિવેચકો(?) કેટલુંય(?) કેટલીય(?) જગ્યાએ લખતા હોય છે!

બીજાને સલાહ આપવાનું હંમેશા સરળ હોય છે. એટલું નહીં સલાહ આપનારા ઘણી વાર બહુ મોટા ગણાય છે. શિક્ષકોના શિક્ષણકાર્યનું નિરીક્ષણ-ઇન્સ્પેકશન કરનાર, હિસાબોનું ઓડિટ કરનાર અને પોતાની નીચેના માણસો (ને ઘણીવાર તો દેશના પ્રધાનમંત્રી, વિજ્ઞાની, સ્પોર્ટ્સમેન, ગાયકો, પ્રખર નિષ્ણાત તજજ્ઞો) વિશે રિપોર્ટ લખનાર હંમેશા મોટા માણસો ગણાય છે. સલાહ આપવામાં ડાહ્યા કે હોશિયાર ગણાવાનું એક પ્રકારનું ગૌરવ હોય છે, જે ઝડપી લેવા સૌ કોઈ એકદમ તૈયાર બેઠા હોય છે! મારો પણ સ્વાનુભવ છે, અને મારું ચોક્કસ માનવું છે કે તમે આજે વાંચી રહ્યા છો તમે પણ અનુભવ્યું હશે! જે કામ ખૂબ મુશ્કેલ હોય તેના વિશે સલાહ આપવી કેટલી સરળ હોય છે, ખરું ને? સારું ગાઈ શકે પરંતુ કેવી રીતે ગાવું, સારું લખી શકે પરંતુ કેવી રીતે લખવું, સારું બોલી શકે પણ કેવી રીતે બોલવું વગેરે વિશે અઢળક સલાહો મળી રહેશે!!

ચાલો, થોડાં અનુભવો જોઈએ:

તમે સાયકલ પર જઇ રહ્યા છો. અચાનક એની ચેઇન ઉતરી જાય છે. રસ્તાની એક બાજુ ઊભા રહી તમે ચેઇન પાછી ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તરત રસ્તે જતો એકાદ પરોપકારી જીવ તમને સલાહ આપે છે"એમ કરો ભાઈ, ચેઇન પાછળથી ઉતરી ગઈ છે એટલે પહેલાં આગળથી ઉતારી નાખો અને પછી ચડાવો; ઝપાટાભેર ચડી જશે!"

હવે સાયકલ તમારી છે અને છેલ્લાં વર્ષથી તમે એને વાપરો છો. અનેકો વાર ચેઇન તમને તકલીફ આપી ચુકી છે અને એટલી અનેકો વાર તમે ચેઇન ચડાવી પણ ચુક્યા છો, પણ અજાણ્યા પરમાર્થી જીવને તમને સલાહ આપ્યા વગર શાતા નહિ મળે! કોઈ તમને કહેશે"ભાઈ, જરા નીચેથી ચેઇન ચડાવો, હા....બસ  બસ રીતે!" કોઈ કહેશે"એમ કરો ભાઈ, સહેજ સાઈડમાં ખસો. હું ચપટી વગાડતાં ચડાવી દઉં છું." એમનો વાંક નથી! બિરાદર તદ્દન અજાણ્યા માણસ છે! એમના હાથ બગડે તમને પસંદ નથી, પણ પરોપકાર કરવાની એમની ધૂન એટલી તીવ્ર છે કે તમને બાજુ પર ધકેલીને ઝંપશે!

હજું આગળ જઈએ તો બાજુમાંથી પસાર થનાર કોઈ અન્ય વ્યક્તિ, જેણે સક્રિય રીતે તમને મદદરૂપ થઇ શકવાની તક હવે ગુમાવી છે, મેદાનમાં ઝંપલાવી એક છેલ્લી ટકોર અચૂક કરશે"ભાઈ, તમારી સાયકલની ચેઇન તો બહુ ઢીલી જણાય છે. આગળ ડાબા હાથે મગનભાઈની દુકાન આવશે. જઈને જરા ટૂંકી કરાવી લો, નહીં તો દર પાંચ મિનિટે તમને તકલીફ આપશે!"  બધો બોધકારક વાર્તાલાપ આપશ્રીએ શાંતચિત્તે સાંભળવો પડે છે!

ભલે એમ કહેવાતું હોય કે માણસજાત સ્વાર્થી છે, સત્ય પણ હશે અને મોટી બાબતોમાં તમને એનો અનુભવ પણ થતો હશેપણ હું નથી માનતોજુઓ, તમને મેં ઉપર જણાવ્યું એમ રોજિંદી બાબતોમાં નિઃસ્વાર્થ સલાહ આપવા માટે, આપશ્રીનું ભલું કરવા માટે, મદદ કરવા માટે અનેક વ્યક્તિઓ પરોપકાર કરવા તૈયાર ઊભી હોય છે. અને એમના કાર્યમાં સ્વાર્થનો એક છાંટો પણ તમે શોધી નહીં શકો!!

તબિયત - સ્વાસ્થ્ય - અને ઔષધિ એવો એક ચુનિંદા વિષય છે, આવાં વિવેચકોનો!! બાબતમાં સલાહ આપનારોનો આપણાં ભારત દેશમાં તોટો નથીતમને સામાન્ય શરદી થઈ હોય કે ટાઇફોઇડ થયો હોય એવી દુર્લભ ઘટનામાં માત્ર વડીલ વૃંદાવન નહીં પણ, યુવાન, પ્રૌઢ સ્ત્રી, પુરુષ, અબાલવૃદ્ધ એમ સૌ સલાહ આપવા લશ્કરની જેમ સુસજ્જ હોય છેઅરે માત્ર હરડે ઉપર એક હજાર પુસ્તકો રચાઈ શકે એટલું અખૂટ જ્ઞાન અહીં ઉપલબ્ધ છે. આકડો, લીમડો, આમળા, વડ, પીપળો, આદુ, હળદર, દરેક વસ્તુ પર એટલું ઊંડું સંશોધન, મનન, ચિંતન હાજર હોય છે કે ચકિત થઇ જવાય! આપણને એક ઘડી એમ થઇ જાય કે સમાજનું ભલું કરવા માટે આયુર્વેદ અને ઊંટવૈદની ડિસ્પેન્સરી લોકો કેમ નહિ ખોલતા હોય

પછી તમને આપેલી સલાહ કે નુસખો જો કારગત ના નીવડે તો સલાહ આપનાર તરત હાથ ખંખેરી કહેશે"બીજાને તો આનાથી જોરદાર ફાયદો થયો છે, ખબર નહિ તમારે કેમ આવું થયું? સમજાતું નથી!"

આપણે ત્યાં નહિ પણ લગભગ દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં સલાહસુચના આપનારનો તોટો નથી અને નવાઈની વાત છે કે લોકો જેમાં કશું જાણતા હોતા નથી એમાં પણ સલાહ આપવામાં જરાય વાર લગાડતા નથી. જોકે, સંગીત, ચિત્રકલા, નૃત્યકલા વિગેરે બાબતમાં સલાહ આપનાર લોકોની સંખ્યા મર્યાદિત છે. હા, છે તો ખરા ...! પણ લેખન/કવિતા/વાર્તા વિગેરે બાબતમાં સૌ કોઈ સલાહ આપી શકે છે: "જમાવટ છે", "અહા", "ક્યા બાત, ક્યા બાત!", "અંત બરાબર નથી!", "બગાડી નાખ્યું", "સાવ વાહિયાત/રદ્દી છે", "નવોદિત", " કાવ્ય/ગઝલ/લેખમાં આમ લખ્યું હોત તો, નવલકથામાં પાત્રાલેખન જો રીતે થયું હોત તો પરિણામ સુંદર આવતકેટલાંક લોકો તો ખાસ કામ લઈને બેઠા હોય છે અને લોકો બહુ મોટા અને વિદ્વાન ગણાય છે

કોઈ દાઝેલા માણસે લખ્યું છે કે"ક્યારેય વિવેચકોની સલાહ માનશો નહિ. એક વાત યાદ રાખજો, કોઈ વિવેચકનું બાવલું એમના સન્માનમાં ક્યારેય અને ક્યાંય હજી સુધી મુકાયાનું ધ્યાનમાં નથી આવ્યું!"

પરંતુ વાત પણ પુરેપુરી સાચી નથી, લખાયા પછી, વિવેચકોએ પોતે પોતાના બાવલા મુકાય એવા પ્રબંધો કરી લીધા છે!
વિચારવા જેવી બાબત છે કે, દુનિયાનું સાહિત્ય જો વિવેચકોની સલાહ પ્રમાણે લખાયું હોત તો કેવું હોતપરંતુ વિવેચકો એવું કશું વિચારશે નહિ અને ઉલટું નારાજ થઇ જશે કારણ કે એમાં એમને પોતાનું અપમાન લાગશે! જોકેનિખાલસ પ્રતિભાવો આપનાર મિત્રની સલાહ લેખનશૈલીનું રૂપ નિખારે છેએમાં કોઈ બેમત નથી!

આવો એક ઉદાહરણ જોઈએ:

એકવાર એક ભાઈ મોટરકાર લઈને જય રહ્યા હતા. અચાનક કાર કાદવમાં ખૂંપી ગઈ. એક ખેડૂતે જોયું અને દોડતો દોડતો તરફ ઉપડ્યો. મોટરને કઈ રીતે બહાર કાઢી શકાય એની સરળ પદ્ધતિ જાણતો હતો. પણ નજીક પહોંચ્યો પહેલા મોટરકાર કાદવમાંથી બહાર નીકળી ગઈ. પરસેવે રેબઝેબ થઇ ગયેલો ખેડૂત હાંફતો હતો. મોટરવાળા ભાઈ સાવ અજાણતા  અને અજ્ઞાનતા સાથે પૂછ્યું"કેમ ભાઈ, કંઈ કામ છે? કેમ આટલો બધો હાંફે છે?" 

ખેડૂતે અફસોસ સાથે કહ્યું"નીકળી ગઈ?" અને લથડતે પગે પાછો ફર્યો.

સલાહ આપનાર મહાનુભાવની પણ આવી સ્થિતિ હોય છે. એમની સલાહ વિના કંશુંક થઇ શકે છે, અથવા તો પોતે જે રીત જાણતા હોય એથી બીજી રીતે પણ કામ, લેખન, કાવ્ય, ચિત્ર, ગીત, નૃત્ય, સંગીત રચાઈ શકે છે, જાણીને એમને બહુ લાગી આવે છે. પણ તમે લાચાર હોવ છો, તમારી ઘણી ઈચ્છા હોય છે કે, કોઈને નારાજ કરવા, કોઈની સલાહની અવગણના કરવી, પણ તમે એમ કરી શકતા નથી, કારણ કે પેલી ટટ્ટુ અને બાપદીકરાવાળી વાર્તાની જેમ સલાહ આપનાર એટલા બધા હોય છે કે પ્રત્યેકની સલાહ તમે માની શકતા નથી અને જો માનો તો તમે "તમે" રહેતા નથી.

સલાહ આપનારને ખબર હોતી નથી કે સલાહ આપતી વખતે  તમારા એકાંતની અને વ્યક્તિત્વની સરહદનો ભંગ કરીને અંદર ઘુસી ગયો હોય છે, જે તમારા માટે અસહ્ય હોય છે. એટલે જયારે તમે તેની સલાહ કે મદદ સ્વીકારતા નથી ત્યારે એને ખોટું લાગે છે પણ જો તમે સ્વીકારો તો તમારું "તમારાપણું" ખંડિત થાય છે

એક ડાહ્યા માણસે કહ્યું છે"ધ્યાન રાખજો, તમારો પાડોશી જે રીતે તમારી દીવાલ પાસે કચરો નાખવા આતુર હોય છે એટલી આતુરતા તમને મદદરૂપ થવા આવનાર સલાહકારમાં હોય છે - તમારું ધ્યાન હોય ના હોય ત્યાં પોતાની સલાહ ફેંકીને ચાલતો થઇ ગયો હોય છે."

આનો કોઈ ઈલાજ ખરો? દર પાંચ મિનિટે તમારા દ્વારે કોઈ પરોપકારી પુરુષોત્તમ જીવ તમને મદદ કરવા આતુર હોય ત્યારે મદદનો અસ્વીકાર કરવાનો કે એમાંથી છટકવાનો કોઈ રસ્તો છે ખરો?

હા, શક્ય એટલી ધીરજથી સલાહ આપનારની સલાહ સાંભળવી પણ તેમાંથી જરૂર જેટલીજ માનવી અને એક વાત ખાસ યાદ રાખવી:

"કોઈ માંગે નહિ ત્યાં સુધી ક્યારેય કોઈને સલાહ આપવી, કારણ કે, આપણને બીજાની વણમાગી સલાહ જેટલી કડવી લાગે છે, એટલી કડવી આપણી સલાહ બીજાને પણ લાગે છે!"

તા.. - ઉપર પ્રસ્તુત શબ્દ-સંપુટ કોઈને આપવામાં આવેલી સલાહ હરગીઝ નથી, વિચાર માત્રનું શબ્દ-નિરૂપણ છે!

- ડો. કાર્તિક શાહ (વિચારબીજ અને સૌ.: ચાલતા રહો, ચાલતા રહો, મોં. માંકડ)


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...