Monday, March 20, 2017

ન્યાયમૂર્તિ રાનડે


ન્યાયમૂર્તિ રાનડે 
(18.01.1842-16.01.1901)

ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે ભારતની એક નામાંકિત વ્યક્તિ હતા. ન્યાયક્ષેત્રે જ નહિ પરંતુ અન્ય વિવિધ સેવાભાવી ક્ષેત્રોમાં પણ તેમને સારી એવી નામના મેળવી હતી. એકવાર તેમની પત્ની રમાબેને તેમને ખાવા માટે રસદાર પાકી હાફુસની કેરીઓ આપી.

પતિએ માત્ર એકજ હાફુસની કેરી ખાધી. બીજી હાફુસ કેરીને તેઓ અડ્યા પણ નહિ. આ જોઈ તેમની પત્ની રમાબેનને ખુબ આશ્ચ્રર્ય થયું।.
તેમણે પતિને પૂછ્યું, "કેમ કેરી મીઠી નથી કે શું?"

"કેરીતો ખુબ જ મીઠી અને સ્વાદિષ્ટ છે."
"તો એક જ કેરી કેમ ખાધી? બીજી કેરી કેમ લેતા નથી? "

" એક કરતા વધુ આવી મીઠી અને સ્વાદિષ્ટ કેરીઓ ખાવાથી શું પરિણામ આવે છે તેની તમને ખબર નથી લાગતી।. કોઈ પણ સ્વાદિષ્ટ ચીજનું જો એક વાર વ્યસન પડી જાય તો એમાંથી છટકવું સરળ નથી હોતું।. પછી તો જીભને એવી સ્વાદિષ્ટ ચીજો ખાવાની એવી તો તાલાવેલી અને લોલુપતા સદા માટે રહે છે કે માનવી જીભનો ચલાવ્યો ચાલવા જ લાગે છે. જીભ પર પછી એનો કાબુ નથી રહેતો। અને તેથી તો શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે જેણે ઈચ્છા જીતી એને જગ જીત્યું! અને જેને સ્વાદિષ્ટ વસ્તુ જ ખાવાનું વ્યસન હોય તેની કેવી ખરાબ દશા થાય છે તે પણ મેં નજરોનજર જોયું જ છે."

પછી એમણે પોતે અનુભવેલી એક વાત વર્ણવી:

" એકવાર અમે મુંબઈ રહેતા હતા. એ દરમિયાન અમારા પાડોશમાં જ એક ધનવાન કુટુંબ રહેતું હતું. આ કુટુંબની ગૃહિણીને ભોજનમાં ચાર-પાંચ શાક બનાવાની  અને ખવડાવાની ટેવ...! એક શાકથી તો ચાલે જ નહિ! પણ પછી એ કુટુંબની સ્થિતિ બદલાઈ, કાળ નું ચક્ર ફર્યું, અને તે આર્થિક પૈસે સૌ કંગાળ બની ગયા. હવે બે-ચાર શાક તો શું? એક શાક માટે પણ પૈસાની તૂટ પડવા માંડી. ગૃહિણી પોતાની આગળની સાધનસંપન્ન પરિસ્થિતિ યાદ કરી ને થાળીમાં એક પણ શાક ના જોઈને દુઃખી થઈને આંસુ સારે. આ જોઈને મેં મનમાં દ્રઢ કરી લીધું કે સ્વાદિષ્ટ ચીજ બહુ જ ઓછા પ્રમાણમાં લેવી અને તે પ્રત્યે કોઈ જ આસક્તિભાવ રાખવો નહિ. તો એક વાર ભૂલેચૂકે પણ એવી આસક્તિ આવી જાય તો ઘણી વખત દુઃખી થવાનો વારો આવે. જીભના સ્વાદ માટે કદી આપણું મન લાલચુ બનાવવું નહિ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...