સર આઇઝેક ન્યુટન
(25.12.1642-20.03.1726/7)
આઇઝેક ન્યુટનને નજીકના મિત્રએ રાત્રિભોજ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુટન તે સ્થળે મોડા પહોંચ્યા અને પોતાના આગમનની કોઈને જાણ કર્યા વગર દીવાનખંડ માં જઈને બેસી ગયા. થોડો સમય રાહ જોયા પછી, તેમના મિત્રએ ગણી લીધું કે ન્યુટન ક્યાંક અટવાયા હશે અને તેમણે ધારી લીધું કે ન્યુટન નહોતા આવવાના, આથી તેમણે જમી લીધું અને સુઈ ગયા.
ન્યુટન, મહત્વની વૈજ્ઞાનિક બાબતોમાં સંપૂર્ણ ડૂબી જઈને ખાવાનું અને સુવાનું બંને ભૂલી જઈને, આખી રાત દીવાનખંડમાં બેસી રહ્યા.
બીજી સવારે તેમના યજમાને તેમેને દીવાનખંડમાં બેઠેલા જોયા. સ્વાભાવિક રીતે અસ્વસ્થ થયેલા યજમાનને જોઈને ન્યુટને તેમની માફી માંગી.
ખરેખર, એકાગ્રતા એ દરેક પ્રખર બુદ્ધિશાળીનો હોલમાર્ક છે.
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...