એક ભોજન સમારંભમાં અંગ્રેજોનાં વખાણ કરતાં એક અંગ્રેજે કહ્યું, ‘ઈશ્વર અમને અંગ્રેજોને ખૂબ જ ચાહે છે. એમણે અમારું નિર્માણ ખૂબ જ મહેનત અને પ્રેમથી કર્યું છે. એ કારણે જ અમે ગોરા અને સુંદર છીએ.’
એ સમારંભમાં ડૉ. રાધાકૃષ્ણન્ પણ ઉપસ્થિત હતા. એમને આ વાત ન ગમી. એટલે એમણે હાજર રહેલા મિત્રોને એક મજાકનો પ્રસંગ કહ્યો.
‘દોસ્તો, એકવાર ઈશ્વરને રોટલી બનાવવાનું મન થયું. એમણે જે પહેલી રોટલી બનાવી તે જરા ઓછી શેકાઈ. પરિણામે અંગ્રેજોનો જન્મ થયો. બીજી રોટલી કાચી ન રહે તેથી ભગવાને એને વધુ વાર શેકી અને તે બળી ગઈ. એમાંથી નિગ્રો લોકો પેદા થયા. પણ આ વખતે ભગવાન સચેત બની ગયા. તે ધ્યાનથી રોટલી શેકવા લાગ્યા. આ વખતે જે રોટલી શેકાઈ તે ન તો વધુ કાચી હતી કે ન વધુ શેકાયેલી. બરાબર શેકાયેલી હતી અને એના પરિણામ સ્વરૂપ અમે ભારતીયોનો જન્મ થયો.
આ પ્રસંગ સાંભળી પેલા અંગ્રેજનું માથું શરમથી ઝૂકી ગયું. અને બાકીનાનાં તો હસીહસીને પેટ દુખ્યાં.
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...