હેન્રી મૂર
હેન્રી મૂર નામનાં વિખ્યાત શિલ્પીએ તેનાં બે શિષ્યોને બે એકસરખા પથ્થર આપીને તેમાંથી પોતાની મરજી મુજબનું શિલ્પ બનાવવા કહ્યું.
બંને શિષ્યો સમાન હોશિયાર હતાં, પણ એક શિષ્યએ જે બનાવ્યુ એ બેડોળ હતું અને બીજાએ જે બનાવ્યું એ બેનમૂન હતું. આ જોઇ શરમ અનુભવતા પહેલા શિષ્યએ હેન્રી મૂરને કહ્યું, તમારૂ માર્ગદર્શન હોત, તમે પરીક્ષા કરી રહ્યાં છો એની મને ખબર હોત અને મને કહ્યું હોત કે આ પથ્થરમાંથી શ્રેષ્ઠ શિલ્પ બનાવવાનું છે, તો હું પણ બેનમૂન શિલ્પ બનાવત.’
હેન્રી મૂરે તેને સમજાવતા કહ્યું, ‘એવું મેં પહેલા શિષ્યને પણ કહ્યું ન હતું અને તેને મારૂ માર્ગદર્શન પણ ન હતું. આમ છતાં તેણે શ્રેષ્ઠ બનાવ્યું. કારણ કે તેને ખબર હતી કે તેને જે સોંપવામાં આવ્યું છે તે તેણે શ્રેષ્ઠ રીતે કરવાનું છે.’

Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...