આ કવિતા એટલે શું?
આ કાવ્ય/ કવિતા એટલે શું? આ કવિતા એટલે શું? ઘણી વાર મને આવો વિચાર આવે છે અને વિચારતા અને શોધખોળ કરતા એવું પણ જ્ઞાત થયું કે વેદકાળથી ભલભલા પંડિતોએ આ શબ્દ નો અર્થ શોધવામાં પોતાની જાત ઘસી નાખી છે. અને હું રહ્યો એક નાનો અબુધ જીવ...! મને કવિતાની ગૂઢ વ્યાખ્યાઓની તો ખબર નથી પણ મૂંઝવણ એક ચોક્કસ થઇ છે.... કવિતા લખે એ કવિ ? કે કવિ લખે એ કવિતા? કવિતાથી કવિનું અસ્તિત્વ/ઓળખ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ/ઓળખ છે? અન્ય મુંઝવણથી વાકેફ કરું તો છંદમાં લખાય એ કવિતા? જે ગાઈ શકાય એ કવિતા? જેનો પ્રાસ મળે એ કવિતા ? અલંકૃત શબ્દોથી મઢી હોય અને શબ્દો આગળ પાછળ કરી લખાઈ હોય એ જ કવિતા? આ કવિતા એટલે ખરેખર શું ? શું કવિતા સરળ અર્થસભર પણ હોઈ શકે? છંદ, લય, અર્થ, કલ્પના અને પ્રાસનો સરવાળો એ જ કવિતા? શું કવિતા છંદોબદ્ધ ન હોય તો પણ ગાઈ શકાય? પંડિતો ની વ્યથા હવે મને સમજાઈ કે એ અમસ્તી જ નથી....અને આનો સરળ જવાબ ઘાયલ પણ કહી ગયા છે કે ... તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં , પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી? કાવ્યની વ્યાખ્યા કવિએ કવિએ, ...