Posts

Showing posts from September, 2018

સામાજિક આભડછેટ, એક મહાન વૈજ્ઞાનિક અને ઉત્તમ વ્યક્તિત્વ

Image
ચાલો આજે એક એવા છોકરાની વાત કરીયે કે જેણે બાળપણમાં સામાજિક આભડછેટ ભોગવી હતી અને આ જ છોકરો આગળ જતાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યો અને ઇતિહાસમાં અમર થઇ ગયો... કોણ હતો આ? વાંચો આજે આ રોચક પ્રંસંગો: આ છોકરાનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. એના પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે આ કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો એમની સાથે જમતાં હતા!!! આ માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો.   આપણે જે બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ એ બાળક એમનાં અનેક સંતાનોમાંનો એક હતો. જેના મા...

આ હતા એ આપણા ગુજરાતીના પ્રસિદ્ધ સાહિત્યકાર !

Image
"સુખરૂ હોતા હૈ ઈન્સા આફ્તે સહને કે બાદ રંગ લાતી હૈ હીના પથ્થર સે પીસને કે બાદ!" ( ડો. કાર્તિકની કલમેનાં  07.09.2018નાં ગતાંકથી ચાલુ.....) બે વર્ષે પિતા અને બાર વર્ષે માતાને હમેંશ માટે ગુમાવી દેનાર, સદાય પોતાને 'એકલો' અનુભવતો બાળક ગટુ જીવનની કેવી કેવી વીટમ્બણાઓમાંથી પસાર થઈને જાતને ઘડે છે, એક સામાન્ય શ્રમજીવીમાંથી "શબ્દજીવી" કેવી રીતે બને છે,  અ-શિક્ષિતોની દુનિયામાં રહી આપ-દીક્ષિત કેવી રીતે બને છે, અને શારીરિક યાતનાઓ સહીને જિંદગીરૂપી સંજીવનીની કેવી રીતે પ્રાપ્ત કરે છે એ આકૃતિને તાદૃશ કરવાનો આપ સૌ સમક્ષ હું માત્ર અને માત્ર પ્રયત્ન કરી રહ્યો છું.  અત્યારે સુધી આપણે જોયું કે, માત્ર 6-7 વર્ષની ઉંમરે જે બાળક માવડિયો હતો એ એની માનો ખોળો છોડી, સાવ અજાણ્યા માણસની આંગળી પકડી અક્ષરજ્ઞાન પામવા નીકળી પડે છે. અને સંજોગોવશાત કુદરતના એક પછી એક વજ્રઘાત સહન કરી માત્ર આઠ ધોરણ સુધી ભણી શક્યા પછી જીવનની શાળામાં જાતને ઘડાવાનું શરુ કરે છે.  કિશોરાવસ્થાથીજ આ મેં જે ઉપર ટાંક્યો છે એ શેર ગટુને બહુ ગમતો. અને વારે તહેવારે ચર્ચામાં એને જરૂરથી રજ...

કોણ છે આ ગટુ ? આપણાં શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારોમાંથી જ એક!!

Image
કોઈ પણ સર્જક/ સાહિત્યકારના સાહિત્ય સર્જન પર જે-તે સર્જકનો ઉછેર, જીવન પ્રસંગો, જીવનઘડતર અને અન્ય સારા-માઠાં પરિબળોનો પ્રભાવ પડતો જ હોય છે. એવા જ એક ગુજરાતી સાહિત્યકારની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે ડો. કાર્તિકની કલમેમાં આ  સુંદર શબ્દ-સંપુટમાં !! એ વર્ષ હતું 1914નું... હજુ તો જન્મે માંડ 2 વર્ષ પુરા થયા છે ને ત્યાં એક ગટુ નામના છોકરાએ એના પિતાની છત્ર-છાયા ગુમાવી દીધી...!! પિતા વ્યવસાયે તો ખેડૂત હતા પણ વિદ્યાના ઘર તરીકે એમનું ઘર પૂજાતું. એની વ્હાલસોયી મા એક માત્ર આધાર બન્યા જીવનની હાડમારીઓમાં એના પ્રેરણાસ્ત્રોત તરીકે. આ છોકરો આમ તો કુટુંબમાં સૌથી નાનો એટલે સ્વાભાવિક રીતે જ લાડકવાયો હતો. અને એટલો જ માવડિયો પણ. મા ખેતરમાં ખેતી કરવા જાય ત્યાં પણ ગટુ એમની જોડે જ હોય. એ હંમેશા માના સાડલાની કોર જોડે કે આંગળીએ બંધાયેલો જ રહેતો. ખેતરમાં કામ કરતી વખતે મા ગટુને જીજ્ઞાસાપ્રેરક વાતો કરતાં અને એ જ વખતે માએ ગટુને છપ્પનિયા દુકાળ વિષે પણ જણાવેલું.  પોતાના ગામડેગામથી દૂર ઉત્તર ગુજરાતના એક નાનકડા હજારેકની વસ્તીવાળા ગામમાં સ્થળાંતર કરી ત્યાં પ્રાથમિક અભ્યાસ માટે ગટુને...