Posts

Showing posts from August, 2017

ઉત્તર - એક કળા

Image
 ઇ.સ. ૧૯૩૦ની સાલ. કારાવાસ ભોગવતાં સરદાર વલ્લભભાઈ પટેલને મળવા મહાદેવભાઈ દેસાઈ આવ્યા. મુલાકાત પૂર્ણ થઈ. વિદાયવેળાએ મહાદેવભાઈ કહે, " તમને ત્રણ મહિનામાં એક જ મુલાકાત મળે અને આ એક મુલાકાત તો થઈ ગઈ. હોવી તમે પાછા નહીં મળી શકો એનું દુઃખ થાય છે. " સરદાર ― " મને અહીં કોઈએ મળવા આવાની જરૂર નથી. ઉલટા કોઈ મળવા આવે તો મને યાદ આવે છે કે આ હજી બહાર રહી ગયેલા છે !! "  વાણીસ્વાતંત્ર્ય ના મિજાજી વિગ્રહ જેવા આચાર્ય રજનીશને એક દિવસ એક પત્રકારે પૂછ્યું, " તમે કહો છો કે ભારત શ્રેષ્ઠ દેશ  છે, પણ ક્યારેક તમે તદ્દન વિરોધી વાત કહો છો કે ભારત દંભી, ખોખલો અને કંનિષ્ઠ દેશ છે - તો સત્ય શુ છે ? " ઓશો મૃદુ સ્મિત સાથે બોલ્યા ― " આત્મન! આપની બંને વાત સાવ સત્ય છે! ભારતમાં હું પણ રહું છું અને આપ પણ રહો છો ! "  શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેમના વિશે પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયાએ ઘણી વખત અણછાજતી, અયોગ્ય ટીકાઓ કરેલી.  બન્યું એવું કે ઝિમ્બાબ્વેના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સલિસબરી શહેરમાં પાકિસ્તાની વડા જનરલ ઝિયા ઉલ હક અને ભારતના વડાપ...

ગુજરાતી લેખન: અધિકૃત, આકર્ષક અને સુવાચ્ય બનવાનો કસબ

Image
અર્વાચિન ગુજરાતી લેખનમાં વિસ્ફોટ થવો અપેક્ષિત હતો. વાચક પાસે પ્રતિ સપ્તાહ લગભગ 500 કૉલમોનું વૈવિધ્ય પત્રો-સામયિકો દ્વારા ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થાય છે, પણ હકીકત એ છે કે પાંચ, સાત જેટલી કૉલમો જ નિયમિત વંચાતી હોય છે. બાકીની કૉલમો પસ્તીબજારના ભાવ ટકાવી રાખવામાં સહાયક થાય છે. આજે ગુજરાતી પત્રોમાં કૉલમો લખવી એ એક પૂર્ણત: પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ છે. શીર્ષકથી અંત સુધી લેખકે પોતાના માધ્યમનો કસબ દેખાડતા રહેવાનું છે, અને અંદર અધિકૃત માહિતી ભરવાની છે, શૈલી આકર્ષક અને ભાષા સુવાચ્ય બનાવવી પડે છે અને બીજી એક વધારે ભયાવહ ચૅલેંજ લેખક સામે ઊભી છે, ગુજરાતી વાચક હવે 21મી સદીના આરંભે વધારે સ્માર્ટ, વધારે જિજ્ઞાસુ, વધારે દક્ષ થઈ ગયો છે. ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રાજ્ઞ બની રહ્યો છે, દુનિયાભરમાં ફરે છે, અન્ય ભાષાઓની ગતિવિધિઓથી પરિચિત છે, લેખકની જડ બની ગયેલી મૂઢ માનસિકતાથી એ દસપાંચ વર્ષ કે એક પેઢી આગળ નીકળી ગયો છે. એના ડ્રૉઈંગ-રૂમમાં ટી.વી.ની 60 ચેનલો વરસી રહી છે, અને એના બેડરૂમમાં ઈન્ટ...

કલાકાર કે વૈજ્ઞાનિક??!!

Image
લંડનના બર્લિંગ્ટન હાઉસમાં ભારતીય ચિત્રકળાનું પ્રદર્શન ભરાયું હતું. તેની બહાર લગાડેલા પોસ્ટર પર ઉપર બતાવેલો ફોટો પણ હતો. એડિનબર્ગમાં શાસ્ત્રીય યુરોપિયન સંગીતનો સમારોહ યોજાઈ રહ્યો હતો; અને તેમાં વિશ્વ વિખ્યાત સંગીતકાર બીથોવનના સંગીત અંગે બહુ ઊંડાણથી ચર્ચા થવાની હતી. ઉપરોક્ત ફોટા વાળો યુવાન બીથોવનના સંગીતનો ખાં ગણાતો હતો; બીથોવનની એક તર્જને સમજવા માટે જરૂરી ઓપસ નમ્બર વિશે તેણે વિદ્વત્તાવાળો લેખ લખેલો હતો; અને તેને પણ આ સમારોહમાં એ સમજાવવા આમંત્રણ અપાયું હતું. પણ તેમાં આ યુવાન ભાગ લઈ શકે તેમ ન હતું. એનું કારણ જાણવાની મજા આવશે....!! તે તેની લેબોરેટરીમાં એટોમિક એનર્જી અંગેની બહુ જટિલ ( અઘરી) ચકાસણી કરવામાં વ્યસ્ત હતો! કેમ નવાઈ લાગી ને? ભારતીય ચિત્રકળા, યુરોપિયન સંગીત અને એટોમિક એનેર્જી ત્રણેમાં ખાં? હા એ પ્રતિભાશાળી યુવાન હતો   હોમી ભાભા.  —————– આઝાદી પછી તરત જ ભારત માટે વિજ્ઞાનના રાહની કેડી કંડારનારા બે ગુજરાતીઓ હતા, ડોકટર હોમી ભાભા અને ડોકટર વિક્રમ સારાભાઈ. ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલા અને વિદેશી કેળવણીનો લાભ મેળવનારા આ બન્ને વૈજ્ઞાનિકોએ સંશોધનકાર્ય ઉપરાંત મ...

તુલસી

Image
તુલસીનું મહત્વ કેવળ રોગ નિવારણમાં નથી. તુલસીનું મહત્વ કેવળ હિન્દુત્વના રક્ષણ કરવા માટે નથી. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું મહત્વ વ્યવસ્થિત રીતે નિરૂપાયેલું છે. માટે તે સ્વીકારવું જોઈએ એ વાત વ્યાજબી ગણવી યોગ્ય નથી. હા, તુલસીનું મહત્વ આપણા ધર્મશાસ્ત્રોમાં ખુબ બતાવવામાં આવ્યું છે, પરંતુ એ કાંઈ લોકોને બહેકાવા માટે કે લોકોને અંધ વિશ્વાસમાં નાખવા માટે જરા પણ નહીં. પોતાની વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી જો તુલસીનું મહત્વ અને તેનો ઉપયોગ સમજવામાં આવશે તો જે કોઈ જગ્યાએ અને જે કોઈ ધર્મમર્યાદામાં તેને વિષે કહેવામાં આવ્યું છે એ સંપુર્ણ સત્ય દેખાશે. વિશ્વના પ્રબુદ્ધ વૈજ્ઞાનિકોએ તુલસીના મહત્વને વધારે સ્થાન આપ્યું. એમણે તુલસીના ઉપયોગ પાછળ ખૂબ પ્રયાસ આદરી દીધો છે. આપણા સિદ્ધ ઋષિમુનિઓની જે પ્રણાલિકા અને તુલસીના મહત્વ બતાવવાની રીત તેના કરતાં આજે વિજ્ઞાન લોકોને તુલસીના ઉપયોગ બતાવવામાં કાંઈ મણા ન રાખી. એ વિજ્ઞાન હજુ સંશોધન કરતું રહ્યું છે. કેટલાક શારીરિક વૈજ્ઞાનિકો અને ડૉકટરો, કેટલાક માનસશાસ્ત્રીઓ અને માનસચિકિત્સકોએ તો તુલસીને સર્વાર્થ આપનારું એક અનોખું અમૃત કહ્યું છે. તુલસીનું પાંદડું હોય કે તેનું કાચું...

શબ્દો ― બોલતાં વિચાર કરજો!

Image
એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી મોકલ્યા હતા. શબ્દ ઘણી વાર લાંબા વાક્યો કરતાં વધારે સચોટ અને અસરકારક બની શકે છે. એ વાતને યાદ કરીને એક ભાઈએ મને પત્ર લખ્યો હતો કે સોનેરી શબ્દો તો ઠીક છે, પણ સૌથી આઘાતજનક શબ્દો કયા છે, તે કહેશો ? એમની વાત વિચારવા જેવી હતી. દરેક ભાષામાં અમુક શબ્દો અત્યંત કડવા, તોફાની, આઘાતજનક હોય છે. એ સિવાય અમુક સંજોગોમાં અમુક સામાન્ય શબ્દ પણ ખૂબ જ આઘાતજનક બની જાય છે. એક વાર નવાં પરણેલાં પતિ-પત્ની એક નિર્જન રસ્તે એકલાં જઈ રહ્યાં હતાં. પતિ સ્વાભાવિક રીતે જ પોતે ભૂતકાળમાં કરેલાં પરાક્રમોની વાત કરતો હતો. બચપણમાં પોતે કેવો તોફાની હતો, કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે કેવા કેવા ગુંડાઓ સાથે બાથ ભીડી હતી, સી.આર.ની અને જી.એસ.ની ચૂંટણીઓમાં કેવાં પરાક્રમો કર્યાં હતાં એનું બયાન કરતો હતો. અચાનક એ વખતે બે માણસ બાજુમાંથી નીકળી આવ્યા ને છરી કાઢીને એક જણ બોલ્યો : ‘જે હોય તે જલદી આપી દો !’ બહાદુર પતિએ જીભના લોચા વાળતાં કંઈક બોલવા પ્રયત્ન કર્યો, પણ પેલાએ છરીનો આછો ઘસરકો કર્...

શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન

Image
કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહી રહ્યો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે. 'શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’ શ્રી વિનોબાજી નું વાંચવા જેવું પુસ્તક....કેટલાક અંશો રજૂ કરું છું.... ખરું જોતાં તો હકીકત એ છે કે આપણી ભાષાઓ બહુ જ વિકસિત ભાષાઓ છે. સેંકડો વરસથી આપણી બધી ભાષાઓનો વિકાસ થતો આવ્યો છે. આજ સુધી તે ઘણી વિકાસ પામી છે અને હજીયે વિકાસ પામતી રહેશે. જુઓ, કન્નડમાં એક હજાર વરસથી ઉત્તમ સાહિત્ય લખાઈ રહ્યું છે. તેમાં જ્ઞાનની કોઈ કમી નથી. ત્યારે ખરું જોવા જશો તો એક હજાર વરસ પહેલાં અંગ્રેજી ભાષા નહોતી. મેં જોયું કે તમિલમાં કેટલું બધું પ્રાચીન સાહિત્ય છે ! કદાચ સંસ્કૃતને બાદ કરતાં આટલું વિશાળ સાહિત્ય હિંદુસ્તાનની બીજી કોઈ પ્રચલિત ભાષામાં નથી . અને છતાં આપણે એમ માનીએ કે આપણી ભાષાઓ પૂરતી વિકસિત નથી, પૂરતી સમર્થ નથી ?! બીજો એક દાખલો આપું ‘કેન્ટરબરી ટેઈલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ સમયનો લખેલો જ્ઞાનેશ્વર મ...

ઉપાધિનું પોટલું

Image
  એક વર્ગમાં પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી ને તેના હાથમાં એક પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યુ કે તારે આ ગ્લાસને પકડીને ઉભા રહેવાનું છે. વિદ્યાર્થીને આ કામ તો બહુ જ આસાન લાગ્યુ એ ગ્લાસ પકડીને ઉભો રહ્યો થોડો સમય થયો એટલે વિદ્યાર્થીએ કહ્યુ કે સાહેબ હવે હાથ થોડો થોડો દુખે છે આ ગ્લાસને પકડી રાખવાથી. પ્રોફેસરે કહ્યુ ભલે દુખે તુ એમ જ પકડી રાખ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીંની દુખાવાની ફરિયાદ વધતી ગઇ અને એક સમય તો એવો આવ્યો કે સાહેબની મંજૂરી મેળવ્યા વગર જ પેલો ગ્લાસ ધડામ કરતો નીચે મુકી દીધો.  પ્રોફેસરે વિદ્યાર્થીને પુછ્યુ કે બેટા હવે કેવું લાગે ?  વિદ્યાર્થીએ કહ્યુ અરે સાહેબ વાત જ કરોમાં બહું મોટો ભાર હલવો થયો હોય એમ લાગે છે બહું જ રીલેક્ષ ફીલ કરું છું. મિત્રો આપણે બધા પણ આપણા ભૂતકાળની કેટલીક એવી ઘટનાને પકડી રાખીએ છીએ. એને જેટલી વાર યાદ કરીએ એટલી વાર વધુ ને વધુ દુખી થઇએ છીએ એ ભૂતકાળની આવી યાદો વર્તમાનનો આનંદ પણ લેવા દેતી નથી. પેલા પાણીના ગ્લાસની જેમ આવી યાદોને પણ છોડતા શીખીએ તો કેવા હળવા થઇ જઇએ..... હું સમજુ છુ કે આ બહુ અઘરું છે પણ ...

અવલોકન

Image
અવલોકનની ટેવ : સમજીએ પ્રેરક પ્રસંગો દ્વારા માણસો બે પ્રકારના જોવા મળે છે. કેટલાક જે દેખાય તે જુવે છે અને કેટલાક જે જુવે તેને ધ્યાનથી જુવે અને તેના ઉપર મનન કરે અથવા કહો કે નિરિક્ષણ કરી તેના આગળ પાછળનો ય વિચાર કરે. આપણે જાણીએ છીએ કે અવલોકન એ નિરિક્ષણ માટે પાયાનું પગથીયું છે. હવે, આપણે બે વાર્તારૂપી ઉદાહરણથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. (1) એક વાર એક ફકીર ચાલતો-ચાલતો વગડામાં જતો હતો. રસ્તામાં તેને એક વાણિયો સામો મળ્યો. ફકીરે તેને પૂછયું, ''શેઠ, તમારું એકાદ ઊંટ ખોવાય છે ?'' વેપારીએ કહ્યું, ''હા, હું તેને શોધવા જ નીકળ્યો છું.'' એટલે ફકીરે કહ્યું, ''તેની જમણી આંખ ફૂટેલી છે ને તે ડાબે પગે ખોડું છે. તેનો આગલો દાંત પડી ગયો છે. તમે તેની એક બાજુ મધ લાદ્યું છે અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે, ખરું ?'' વેપારીએ કહ્યું, ''ખરી વાત, બાબા. તમે એને આટલું ધારી-ધારીને જોયું છે તો ચાલો, બતાવો તે કઈ તરફ ગયું છે અને ક્યાં છે? ફકીરે જવાબ દીધો, ''શેઠ, મેં તમારું ઊંટ જોયું નથી, તેમ તમારા સિવાય બીજા કોઈને મોઢે એની વાત પણ સાંભળી નથી, ...

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે !!

Image
અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે  જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે. ધરતી આવનારા 10 વર્ષમાં હિમયુગનો સામનો કરશે. આ દાવો વૈજ્ઞાનિકોએ સૂરજની અસામાન્ય ગતિવિધિઓ જોયા પછી કર્યો છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે સૂરજની અસામાન્ય ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે વર્ષ 2020 પછી ગ્લોબલ વોર્મિંગ ઓછુ થશે. અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે. જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે, પરંતુ સેટેલાઇટ અને ઉર્જા તંત્રમાં ફેરફાર ચોક્કસ આવી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય સૌર વેધશાળાના મુખ્ય શોધકર્તા ફ્રેંક હિલ અને તેમની ટીમ સૂરજના ધબ્બાઓમાં 3 પ્રકારના પરિવર્તનના આધારે આ ભવિષ્યવાણી કરી રહી છે. તેમાં સૂરજના ધબ્બા નબળા થવા, સૂરજના ધ્રૂવોમાંથી કેટલીક ધારાઓ નીકળવી અને સૂર્ય ધારાઓને પ્રભાવિત થવી પણ સામેલ છે. સંશોધનના સહલેખક ભૌતિકવિદ ડો. રિચર્ડ એલ્ટ્રોકે જણાવ્યું છે કે આ 3 સંકેત દર્શાવે છે કે સૂરજની આવી અવસ્થા પાછી આવવામાં સમય લાગશે. પહેલા પણ બન્યું છે! સૂરજના ધબ્બા ગાયબ થવા એ કોઈ અનોખી ઘટના નથી, આવુ પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ 18મી સદી પછી આવો કિસ્સો ક્યારેય નથી...

આર્યભટ્ટ

Image
ઇ. સ. ૪૯૯ ની ૨૧ મી માર્ચનો દિવસ. નાલંદા વિશ્વવિદ્યાલયની વેધશાળા પાસે ખગોળશાસ્ત્રના અભ્યાસ માતે નવી શાળાના ખાતમુહુર્તની હવનક્રિયા ચાલતી હતી. પૂજાવિધિ પત્યા બાદ યજ્ઞ–બ્રાહ્મણોએ ૨૩ વર્ષના યુવાન ખગોળશસ્ત્રીની કલમ ઉપર પવિત્ર પાણી છાંટયું, શ્લોક ઉચ્ચાર્યા,અને માથા ઉપર તપતા સૂર્ય સામે જોયું. તેમણે કલમ લઇને ગ્રંથ ઉપર પ્રથમ અક્ષર લખ્યો. પછી મંત્રોચ્ચાર સાથે આ યુવાન ખગોળશાસ્ત્રી પર પુષ્પવર્ષા કરી. આ યુવાન ખગોળશાસ્ત્રીનું નામ આર્યાભટ્ટ અને તેમણે લખેલો ગંથ એટલે ‘આર્યભાટીય’. તેમનો જન્મ ઇ. સ. ૪૭૬ માં કેરાલામાં થયો હતો. એ વખતનાં વિદ્યાજગતના મહાકેંદ્ર સમા નાલંદા વિશ્વ વિધ્યાલયમાં તેમણે અભ્યાસ કર્યો અને પછીથી તેમના ગ્રંથ ‘આર્યાભાટીય’ને ચોમેરથી સ્વિકૃતિ મળતાં, બુધ્ધગુપ્ત નામના રાજવીએ તેમને વિશ્વવિદ્યાલયના વડા તરીકે નીમ્યા. પૃથ્વી ગોળ છે.અને તેની ધરી પર ફરે છે એવું સૌ પ્રથમ અનુમાન કરનાર આર્યભટ્ટ હતા, વળી તેમણે જાહેર કરેલું કે, ‘ચંદ્ર કાળો છે અને તે સૂર્યપ્રકાશમાં જ પ્રકાશિત થાય છે. રાહુ નામનો ગ્રહ સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે તેથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે’.  એવા...

ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી

Image
તબીબી ક્ષેત્રે થયેલી વિશ્વની નોંધપાત્ર શોધોમાં પણ ભારતના અનેક વિજ્ઞાનીઓએ ફાળો આપેલો છે.  આવા જ એક ઓછા જાણીતા એવા વિજ્ઞાની ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ કાલા અઝાર નામના ઝેરી તાવની દવા શોધીને અનેક દર્દીઓની જીંદગી બચાવી છે. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીનો જન્મ બિહારના જમાલપુર ખાતે ઇ.સ.૧૮૭૩ના ડિસેમ્બરની ૧૯ મી તારીખે થયો હતો.તેમના પિતા ભારતીય રેલ્વેમાં ડૉક્ટર તરીકે સેવા આપતા હતા. તેમની માતાનું નામ સૌરભસુંદરી હતું. જમાલપુરની રેલ્વે હાઇસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ હુબલીની મોહસીન કૉલેજમાં ઇ.સ. ૧૮૯૩ માં ગણિત અને રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ પરિણામ મેળવી બી.એ. ની ડિગ્રી મેળવી. ત્યારબાદ કલકતાની પ્રેસીડેન્સી કૉલેજમાં થી મેડીસીનમાં ઉચ્ચ અભ્યાસ કરીને એમ.એ.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૦૦ માં મેડીસીન અને સર્જરીમાં તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા અને ગુડ્ડેવ અને મેકલીઓડ એવોર્ડ એનાયત થયા. ઇ.સ. ૧૯૦૪ માં તેઓ પી.એચ.ડી. થયા. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ ૧૮૯૮ માં નાની બાલાદેવી સાથે લગ્ન કરેલા.  ત્યારબાદ ઢાકાની મેડીકલ કૉલેજમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. તે સમયગાળામાં તેમણે કાળા અઝાર તા...

વેણુ બાપ્પુ

Image
અવકાશી સંશોધનોમાં ગ્રહો,તારા અને ધૂમકેતૂઓ વિગેરેનો ખૂબ જ ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનમાં અનેક સાધનો પદ્ધતિઓ વિકસ્યા છે કે જેના વડે અવકાશી પદાર્થોની વધુ ને વધુ માહિતી મેળવી શકાય છે. આવા સંશોધનોમાં વિશ્વભરમાં ભારતને પ્રતિષ્ઠા  અપાવનાર ભારતીય ખગોળશાસ્ત્રી ડૉ.વેણુ બાપ્પુનો ફાળો અનન્ય છે. ડૉ. વેણુ બાપ્પુનો જન્મ ઇ.સ. ૧૯૨૭ ના ઑગસ્ટની નવમી તારીખે દક્ષિણ ભારતના એક શહેરમાં થયો હતો. સ્થાનિક શાળામાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરો કરી તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા હતા.ઉચ્ચક્રમે ગ્રેજ્યુએટ વેણુ બાપ્પુ વધુ અભ્યાસ માટે  અમેરિકા ગયા હતા અને ત્યાંની હાવર્ડ યુનિવર્સિટીમાંથી ખગોળ વિજ્ઞાનમાં પી.એચ.ડી ની પદવી  પ્રાપ્ત કરી હતી. અમેરિકામાં જ તેમણે ખગોળીય સંશોધનો કરવાનું શરૂ કર્યુ હતું. ઇ.સ. ૧૯૪૯ માં તેમણે અન્ય સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને એક નવો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો. તે ધૂમકેતુ બપુ-બોક-ક્રિક ધૂમકેતુના નામે ઓળખાય છે . વેણુ બાપ્પુએ તારાઓના ભૌતિકશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો.તારાઓના રંગ અને ઉષ્ણતામાન વચ્ચ...

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ

Image
દક્ષિણ ભારતના જાણીતી યાત્રાધામ રામેશ્વરના જાણીતા મંદિરથી થોડેક દૂર એક મસ્જિદ ગલી આવેલી છે. આ જ ગલીમાં અબ્દુલ કલામ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. એ દરિયામાંથી છીપ, શંખ, મોતી વગેરે વીણીને એમને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અબ્દુલ કલામને પકીર ઝૈનુલાબુદ્દીન નામનો એક દીકરો હતો. જે એમના પિતાના કામમાં મદદ કરતો હતો. લગ્ન પછી પકીરનું કુંટુંબ વધવા લાગ્યું તો એણે માછલી પકડવાનો ધંધો શરૂ કર્યો. પકીરના મોટા દીકરાને ભણવામાં રસ નહોતો  એટલે એણે ગામમાં પાનની એક દુકાન શરૂ કરી. ૧૪ મી ઑક્ટોબર ૧૯૩૧ ના દિવસે પકીર ઝૈનુલાબુદ્દીનને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો. જેનું નામ એના દાદાએ ‘અબ્દુલ’ પાડ્યું હતું. આ અબ્દુલ એટલે આપણા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ. એ ભાઇઓમાં સૌથી નાના હતા, એટલે લાડમાં ‘ થામ્બી ’ કહેવાતા. અબ્દુલ કલામ કુંટુંબમાં ઉછરીને મોટા થવા લાગ્યા. પડોશમાં રહેતા લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામનધા સાથે અબ્દુલ કલામને મિત્રતા હતી. બંને સાથે જ રમતા હતા. લક્ષ્મણ શાસ્ત્રી પણ અબ્દુલ કલામ પરિવારના સારા મિત્ર હતા. ભણવાની ઉંમરના થયા એટલે રામેશ્વરની જ...

વરાહમિહિર: ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતબીજના પ્રણેતા

Image
લગભગ બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. ‘વરાહ’ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય. આમાં ‘વરાહ’ તો વિક્રમાદિત્ય રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને ‘વરાહ’ નું બિરુદ આપ્યું હતું.  ભારતના જ્યોતિષ,ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનન...

શ્રી વિજય ભાટકર

Image
વિજય ભાટકરનો જન્મ અકોલા. મહારાષ્ટ્રના એક મરાઠા પરિવારમાં ૧૧ ઑક્ટોબર ૧૯૪૯ ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અકોલા ગામમાં જ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૬૫ માં એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ વી.એન.આઇ.ટી. નાગપુર ગયા. વી.એન.આઇ.ટી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજની સ્થાપના જૂન ૧૯૬૦ માં ભારતીય સરકારના શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત થઇ હતી. આ કોલેજનું પ્રથમ સત્ર ૧૯૬૦ માં શરૂ  થયું અને બોર્ડ ઓફ ગવર્નરે સર એમ. વિશ્વેશ્વરૈયા ના નામથી કોલેજનું નામકરણ કર્યું. એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૬૮ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ એન્જિનિયર વિશ્વવિદ્યાલય, વડોદરા ગયા. ૧૯૭૨ માં આઇ.આઇ.ટી. દિલ્હીથી તેમણે એન્જિનિયરીંગમાં ડોકટરેટની પદવી મેળવી. ત્યારબાદ વિજય ભાટકરે આઇ.ટી.માં  શિક્ષણના વ્યાપ માટે આંતરરાષ્ટ્રીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાનની સ્થાપના કરી. આ સંસ્થાનમાં ઉચ્ચતર શિક્ષણ માટે શોધ-સંશોધન સુવિધા ઉપરાંત  એક હજારથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે શિક્ષણ મેળવી શકે તેવી યોજના તૈયાર કરવામાં આવી. શ્રી વિજય ભટનાગરના આઠ પુસ્તકો અને ૮૦ થી વધારે શોધ સંશોધન પત્રો પ્રકાશિત થઇ ચુક...