Posts

Showing posts from January, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો: કિર્લોસ્કર (ભાગ ૩)

Image
ગતાંકથી ચાલુ... લક્ષ્મણરાવ કિર્લોસ્કરે " કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ " નામે પબ્લિક લિમિટેડ કંપની સ્થાપી અને દ્રઢ નિર્ધાર સાથે ખાતરી આપતા કહ્યું, "જ્યાં સુધી કંપની ૯ ટકા ડિવિડન્ડ નહીં આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહીં લે...!" હવે આગળ... આ વાત હતી ઇ.સ. ૧૯૧૯-૨૦ની. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. આ જ વર્ષે તેઓએ કંપનીના બીજા બે નવા ઉત્પાદનો બજારમાં મુક્યા. એક શેરડી પીલવાનું મશીન અને બીજું ડ્રિલિંગ મશીન!! આ ઉપરાંત, તેઓ ખેતીવાડીમાં ઉપયોગી એવા નાનામોટા સાધનો બજારમાં મુકતા જ રહયા. જો કે, હળનો ધંધો હજુ પણ મુખ્ય હતો. તેની માંગ અને સૂચનો મુજબ જરૂરી સુધારા વધારા કરી ક્રમશઃ નવી આવૃત્તિઓ બજારમાં મૂકી. કિર્લોસ્કરવાડી ત્રણ ત્રણ શિફ્ટમાં ધબકવા લાગી. પરિણામ સ્વરૂપ, કંપની સ્થપાયાના પહેલા જ વર્ષે ઇ.સ. ૧૯૨૧માં તમામ શેરહોલ્ડર માટે કંપનીએ ૬ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું! ડિવિડન્ડનો આ સિલસલો આજ સુધી ઇ.સ. ૨૦૧૯ સુધી અવિરત પણે ચાલુ જ છે. ઇ.સ. ૧૯૨૪માં અત્યાર સુધી વર્ષના સર્વાધિક ૪૦,૦૦૦ નંગ હળનું વેચાણ થયું!! આ ઉપરાંત કૂવામાંથી પાણી ખેંચવા માટેના ડીઝલ એન્જ...

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો - 2

Image
ગયા શુક્રવારે આપણે જોયું કે એક લક્ષ્મણ નામે યુવાન યંત્રવિદ્યામાં ભારે રસ ધરાવતો હોવાથી એના પિતા કાશીનાથે ઈચ્છામુજબ એને છૂટ આપી અને બેલગામમાં સાયકલ સેલ્સ એન્ડ સર્વિસની દુકાન ખોલી, એ દુકાનનું નામ આપતું એક પાટિયું માર્યું! શું નામનું પાટિયું માર્યું હતું? ચાલો જાણીયે આ રસપ્રદ સત્યઘટના હવે આગળ... લક્ષ્મણ અને એના ભાઈએ એ દુકાન પર પાટિયું માર્યું, "કિર્લોસ્કર બ્રધર્સ!" કિર્લોસ્કર બ્રધર્સ નામની આ સાયકલની દુકાનથી, શરુ થઇ છે એક ઐતિહાસિક ધંધાની સફર...!!  કદાચ, આપણામાંથી ઘણા આ નામથી પરિચિત હશે જ અને જો ન હોય તો, આ અંકમાં નિકટથી પરિચય થઇ જ જશે! જી, આ લક્ષ્મણ એટલે બીજું કોઈ નહિ પણ લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર!   હવે, થોડા સમયમાં બેલગામમાં પણ રોગચાળો ફેલાયો. એટલે હવે જગ્યા બદલવા સિવાય કોઈ છૂટકો નહોતો. વળી, લોકો શહેર છોડીને ફરવા આવતા પણ ઘટી ગયા અને રોગચાળાના ભયથી બેલગામ પણ ખાલી થઇ ગયું હતું. આથી, સાયકલના એક માત્ર ધંધા પર ખાલી દારોમદાર રાખી શકાય એમ નહોતું. લક્ષ્મણની આજુબાજુ નિરીક્ષણ કરવાની ટેવથી એક તુક્કો સુજ્યો. એમણે જોયું કે આસપાસના ખેડૂતો તેમના ઢોરને...

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો

Image
શબ્દસંપુટની ઝળહળતી સફળતા માટે સૌ પ્રથમ આપ સર્વ વાચક મિત્રોનો ધન્યવાદ.  ચાલો, આજની આપણી રોચક સત્ય ઘટના તરફ આગળ વધીએ... આજે હું વાત કરીશ, લગભગ ૧૮૮૦-૧૮૯૦ના દશકની! 140 વર્ષ પહેલાંની આ વાત છે. કર્ણાટક જિલ્લામાં ધારવાર નામે એક સાવ નાનકડું ગામ હતું. નકશામાં ટપકાં જેટલોય એનો નિર્દેશ ન મળે! ત્યાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતાં. તેઓ વિદ્યાવ્યાસંગી, વેદ અને હિંદુ સંસ્કૃતિના પાકા અભ્યાસી તથા નોકરી લેન્ડ સર્વેયરની હતી. તેઓને પાંચ સંતાનો હતાં. સૌથી નાનકો એ લક્ષ્મણ! એનો જન્મ, કાશીનાથ નિવૃત થયા એ બાદ થયેલો! લક્ષ્મણની ઉંમર 3 વર્ષની થઈ ત્યાં માતાનું અવસાન થયું એટલે એનો ઉછેર બાપની છત્રછાયામાં જ થયો! કાશીનાથની આર્થિક સ્થિતિ આમ તો ખાસ સારી ન ગણાય. ૧૨-૧૫ રૂપિયાનો મહિને પગાર હતો. અલબત્ત, એ સમયનું રૂપિયાનું મૂલ્ય જોતાં એ સાવ નાનકડી રકમ પણ ન ગણાય. કાશીનાથે પોતે અને સંતાનોમાં પણ કરકસરથી જીવવાની આદત વિકસાવેલી! સંતાનોને ઉચ્ચ ભણતર મળવું જોઈએ તેના તેઓ આગ્રહી! જે દીકરાને પોતાની ઈચ્છા મુજબ જ્યાં ભણવું હોય તેની સગવડ કરી આપવા એ તૈયાર. સૌથી મોટો દીકરો બેલગામની શાળામાં શિક્ષક હતો. બીજો દીકરો મુંબઇ ...

સલાહ

Image
વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિથી માંડીને મૂર્ખમાં મૂર્ખ સુધીની કોઈ પણ વ્યક્તિ પાસે વિપુલ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ હોય તો તે તેની સલાહ આપવાની શક્તિ છે ! માણસ બીજાને સલાહ આપવા માટે હંમેશા તૈયાર હોય છે . પોતાને વિદ્વાન ગણતા વિવેચકો વર્ષોથી લેખકોએ અને કવિઓએ કેમ લખવું જોઈએ એની સલાહ આપતા રહ્યા છે . એ જ રીતે ચિત્રકારોએ કેમ ચીતરવું જોઈએ કે સંગીતકારોએ સંગીતરચના કેવી કરવી જોઈએ એના પર દરરોજ કેટલાય વિવેચકો (?) કેટલુંય (?) કેટલીય (?) જગ્યાએ લખતા હોય છે ! બીજાને સલાહ આપવાનું હંમેશા સરળ હોય છે . એટલું જ નહીં સલાહ આપનારા ઘણી વાર બહુ મોટા ગણાય છે . શિક્ષકોના શિક્ષણકાર્યનું નિરીક્ષણ - ઇન્સ્પેકશન કરનાર , હિસાબોનું ઓડિટ કરનાર અને પોતાની નીચેના માણસો ( ને ઘણીવાર તો દેશના પ્રધાનમંત્રી , વિજ્ઞાની , સ્પોર્ટ્સમેન , ગાયકો , પ્રખર નિષ્ણાત તજજ્ઞો ) વિશે રિપોર્ટ લખનાર હંમેશા મોટા માણસો ગણાય છે . સલાહ આપવામાં ડાહ્યા કે હોશિયાર ગણાવાનું એક પ્રકારનું ગૌરવ હોય છે , જે ઝડપી લેવા સૌ કોઈ એકદમ તૈ...