Posts

Showing posts from September, 2019

સ્પર્ધામુક્ત શિક્ષણ

Image
સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ અતૃપ્તિ થશે... સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ થશે! પરમપૂજ્ય મોરારીબાપુએ કહ્યું છે કે, " હું અવારનવાર કહું છું કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું પરંતુ દ્વેષ અને ઇર્ષ્યાથી કર્યું એટલે ચૌદ રત્નો નીકળ્યાં. જો સ્પર્ધામુક્ત અને દ્વેષમુક્ત સમુદ્રમંથન થયું હોત તો સમુદ્રમાંથી અનંત રત્નો નીકળ્યા હોત. બધાં શાસ્ત્રોને આદર આપીને ‘માનસ’નું મંથન કરીએ છીએ તો એમાંથી અગણિત રત્નો નીકળે છે. મારે સિદ્ધાંત રજૂ નથી કરવો. મારે વિચાર જરૂર રજૂ કરવો છે ." આવો, સરળ દૃષ્ટાંતથી સમજીએ: દિગ્વિજયી થવા સૈન્ય સાથે સંચરતા એક સમ્રાટને નગરદ્વાર પાસે જ મહાન સંત મળી ગયા. સમ્રાટે એમને નમન કરી સફળતાના- વિજયી થવાના આશીર્વાદ યાચ્યા. દયાર્દ્ર અને વિચક્ષણ સંતે વિચાર્યું કે આ તો મોતની મહેફિલ અને લોહીની નદીઓ વહાવવાના આશીર્વાદ આપવાની વાત. એ ક્યાંથી અપાય ? એમણે સમ્રાટને નવી જ વાત કરી કે, ''જો તને વિના યુદ્ધે દિગ્વિજયી થવાનો કિમીયો મળી જાય તો ચાલે ?''  ખુશ ખુશ થઈ જતાં સમ્રાટે કહ્યું : ''તો તો બહુ સારું. યુદ્ધમાં તો માથાં સાટે માથા...