Posts

Showing posts from November, 2017

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ તુષારભાઈ શુકલ્ કહે છે કે, અમે ભણતા તે શાળામાં શનિવારે સવારની સ્કુલ હતી . સ્કુલ બસ લેવા આવે ત્યારે ઉઠ્યા ન હોઇએ. એમાં ય શિયાળામાં તો એટલું અંધારું હોય ! તે અમને અમારા પપ્પાએ શનિવારે શાળાએ જવાનો કદી આગ્રહ ન કર્યો. શાળામાંથી અપાતા ગૃહકાર્ય વિષે પણ એમનો એ જ અભિગમ . નોટબૂકમાં ચિટ્ઠી લંખી રાખેલી "ચિ. તુષારે ગૃહકાર્ય કર્યું નથી." એ માનતા કે ઘરમાં હોય ત્યારે બાળકે શીખવા જેવું બીજું ઘણું છે. મને યાદ છે મારી નાની બ્હેનને ૧લા ધોરણમાં મૂકવા ગયેલા ત્યારે એ બહુ રડી તો અમે એને ઘેર લઇ આવેલાને એ વરસે નિશાળે ન મૂકી ને સીધી બીજા ધોરણમાં મૂકેલી. મારા પૂત્રે એની શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં " ટીવી જોવાના ફાયદા " મૌલિક રીતે જ વર્ણવ્યા. પોતાને જે ગમતું હતું તે કહ્યું. પણ એના ગણિતના શિક્ષકને ન ગમ્યું. એમણે એના ભવિષ્ય વિષે ભાખ્યું કે  " કામ વગર ભૂખે મરશો ". તે હું જઇને એનું L C લઇ આવેલો. એ જે પ્રાથમિક શાળામાં ભણેલો ત્યાંના શિક્ષકોનો અભિગમ અનેખો હતો પરિણામે બાળકો શાળાએ જવાની જીદ કરતા. ને આ શાળામાં પ્રથમ દ...

જીવન સંઘર્ષ

Image
છેલ્લા ૫૦ વર્ષમાં સમગ્ર અમેરિકન પોલિટિશિયન્સના લેખનમાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને સફળ નીવડેલ આત્મકથા તરીકે 'ધ ગાર્ડિયન' નામક પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન દ્વારા નવાજાયેલ 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર : અ સ્ટોરી ઓફ રેસ એન્ડ ઇન હેરિટન્સ' (૧૯૯૫) બરાક ઓબામાની પ્રેસિડન્ટ બન્યા પહેલાં લખાયેલ આત્મકથા છે, જે શ્વેત વિશ્વમાં વસતા અશ્વેત પ્રજાના સ્વપ્નોના એક અતિ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સમી છે. આ પુસ્તકે તેમના રાજનેતા તરીકેના વ્યક્તિત્વનો પાયો નાખેલો. નેશનલ ડેમોક્રેટીક પાર્ટીએ ૨૦૦૪ના પોતાના ઇલેક્શન મેનીફેસ્ટો તરીકે આ પુસ્તકને જાહેર કરેલું. વિશ્વના ઇતિહાસમાં આત્મકથાને મેનીફેસ્ટો જાહેર કરવાનો આ પ્રથમ કિસ્સો હતો. આ પુસ્તક વિશે નોબેલ વિજેતા ટોની મોરીસન લખે છે 'મારા મતે ઓબામા લેખક તરીકે સન્માનને પાત્ર છે. તેમનું આ પુસ્તક અદ્‌ભુત છે... જીવનની આંટીઘુંટી તથા પ્રસંગોને વર્ણવવાની તેમની યોગ્યતા, તથા વેદનાપૂર્ણ અનુભૂતિઓમાંથી અર્થ તારવવાની તેમની આવડત બેજોડ છે. પ્રસંગોના તાદૃશ વર્ણન માટે સંવાદોને પોતાના નેરેટિવમાં વણવાની તેમની ટેકનિક આશ્ચર્ય પમાડે છે ! કેમ કે આ બધું તો કોક નવલકથાકારને શોભે......

અરરૂણાચલમ મુરુગનાથન

Image
તમિલનાડુના અરરૂણાચલમ મુરુગનાથનની ગણતરી આજે દેશના સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક મશીનના કારણે ભારતમાં એક એવી ક્રાંતિ આવી કે મહિલાઓને તેના દ્વારા ખૂબ જ ફાયદો થયો. મહિલાઓ માટે સસ્તા, પરંતુ ગુણવત્તાથી ભરપૂર સેનિટરી નેપકીન બનાવનારી મશીનની શોધ કરી અરૂણાચલમે દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી . આ મશીન તૈયાર કરવા માટે તેમણે એક કારખાનું પણ ખોલ્યું. અરૂણાચલમની કંપની જયશ્રી ઇન્ડસ્ટ્રીઝે દેશના 29 રાજ્યોમાંથી 23 રાજ્યોમાં પોતાનું મશીન વેચ્યું છે અને હવે વિદેશોમાં પણ તેમના મશીનની માંગ થઇ રહી છે. ક્રાંતિકારી શોધ અને સફળ ઉદ્યોગના કારણે 2014ના વર્ષમાં તેમને વિશ્વપ્રસિદ્ધ ‘ટાઇમ્સ મેગેઝિન’માં દુનિયાના સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. અરૂણાચલમને માત્ર એક કે બે નહીં પણ અનેક પુરસ્કારો મળ્યા છે. પરંતુ સફળતા પાછળ તેમની પત્ની અને માતાનો બહિષ્કાર અને સમાજનો તિરસ્કાર પણ છે. માત્ર પરિવારના સભ્યોએ જ નહીં પરંતુ અન્ય સાથી મિત્રોએ પણ તેમની સાથે સંબંધો તોડી ...

અમિતાભ-જયાના લગ્ન અને ખલિલ ધનતેજવી

Image
અમિતાભ-જયાના લગ્ન અને ખલિલ ધનતેજવી ફિલ્મ પત્રકારત્વનું કેન્દ્ર મુંબઈ છે અને મુંબઈમાં ઘણા ગુજરાતી પત્રકારોએ ફિલ્મ જર્નાલિઝમમાં કાઠું કાઢ્યું છે પણ ગુજરાતના કોઈ પત્રકારે ગુજરાતમાં રહીને ફિલ્મ જર્નાલિઝમમાં ડંકો વગાડ્યો હોય તો એ "ખલીલ ધનતેજવી" છે. અમિતાભ અને જયા વચ્ચે પ્રણય ચાલતો હતો તેની સૌને ખબર હતી પણ બંને અચાનક લગ્ન કરી લેશે તેવી કોઈને ધારણા સુદ્ધા નહોતી.  ખલીલ ધનતેજવી એ દિવસોમાં ફિલ્મોને લગતી સ્ટોરીઝ માટે વડોદરાથી મુંબઈ આવનજાવન કાર્ય કરતા. ફિલ્મોના સેટ પર જવું અને કલાકારોને મળીને ઇન્ટરવ્યૂ કરવા, ગોસિપ મેળવવી વગેરે કામ કરતા. ફિલ્મ કલાકારો ના મેનેજરો, મેકઅપમૅન, સ્પોટ બોય વગેરે સાથે ઘરોબો કેળવીને તે એવા અંદરના સમાચાર ગોસિપ કાઢી લાવતા  કે સૌ દંગ રહી  જતા. અમિતાભ-જયાએ લગ્ન  અચાનક નિર્ણય લીધો હતો ને કોઈ પત્રકારને જાણ નહોતી કરી. કોઈને બંને લગ્ન કરવાના છે તેની ગંધ સુદ્ધાં નહોતી. ખલીલને પણ પોતાના કોન્ટેકટ્સના લીધે અચાનક જ આ વાત ની જાણ થઇ.  ખલિલ એમ જ એક ફિલ્મના સેટ પર ગયેલા, જયા બચ્ચન નો મેકઅપ કરતી છોકરી ત્યાં હાજર હતી. પણ એ જબરજસ્ત ઉતાવળ અને હડબડાટી મ...

સાચું સુખ એ સંબંધ અને ખરી મૂડી એ પણ સંબંધ

Image
ઓશો કહેતા કે માણસ હંમેશા સુખની પાછળ ભાગે છે. ખુશીની પાછળ ભાગે છે. કોઈને પૈસામાં સુખ દેખાય છે તો કોઈને પ્રસિદ્ધિમાં સુખ દેખાય છે. કોઈને નવું મકાન, કારમાં સુખ દેખાય છે. કોઈને તપમાં, પોતાના કોઈ શોખમાં (પૅશન લખું? લોકોએ ઘસી નાખ્યો છે આ શબ્દ તો સુખ શોધવામાં!!), મહત્ત્વકાંક્ષામાં સુખ દેખાય છે. માણસ આખી જિંદગી સુખ પાછળ દોડતો રહે છે. સુખને પોતાને ગમતા રસ્તે પામી લેવા ભાગતો રહે છે. ઘણીવાર ભૂલી ય જાય છે કે એ જે સુખ અથવા જેના થકી સુખ પામવા માગતો હતો એ કરવા માટે જ એને પૈસા કમાવાના હતા; પૈસો કમાવો જ સુખ નહોતું.  એક સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમારો મેજર લાઈફ ગૉલ શું છે? ત્યારે એમનો જવાબ હતો: પૈસા કમાવા! હેપ્પીનેસ પર થયેલા રિસર્ચ કહે છે કે પૈસા અને હેપ્પીનેસને એક લેવલ પછી વધુ સંબંધ હોતો નથી. એક લેવલ પછી મોંઘી સુવિધાઓ હેપ્પીનેસ લેવલમાં ઝાઝો વધારો કરતી નથી. એના મૂલ્યને સાપેક્ષે, જિંદગી અને સમયની ચૂકવાતી કિંમતને સાપેક્ષે એ બહુ નજીવો વધારો હોય છે.  વળી, રિસર્ચ તો એવું પણ કહે છે કે વસ્તુઓ/ Things નહીં, અનુભવો/ Experiences થકી મેળવેલી હેપ્પીનેસની અસર વધુ રહે છે. સુખ જત...

જન્મદિવસ

Image
  નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, ‘કેમ નહોતાં આવતાં ? તમે આમ ગાપચી મારો એ ન ચાલે હં ! તમારા વિના સૂનું સૂનું લાગે છે.’ ‘સાચ્ચે જ, આંટી, તમારા હસવાનો રણકાર એટલો મીઠો છે કે, એ સાંભળીને દિવસ સુધરી જાય.’ રેણુએ વ્હાલથી કહ્યું. ‘મારો દીકરો અને વહુ એના નાનકાને લઈને ફરવા ગયા છે એટલે ઘરમાંથી નીકળી નહોતી શકી. આજે રાત સુધીમાં તો એ લોકો આવી જશે એટલે કાલથી પાછી હું નિયમિયપણે આવીશ, બસ ?’ નંદિતા ઘર તરફ જતાં વિચારી રહી, એ હતા ત્યારે એ પણ રેણુની જેમ જ કહેતાને ! ‘તું હસે ત્યારે એવું લાગે છે કે, મંદિરમાં એકસાથે ઘંટડીઓ રણકી ઊઠી. તારા હાસ્યને કદી વિલાવા ન દઈશ. બધા માટે ભલે તું નંદિતા હોય, મારે માટે તું સુહાસિની. દિલ ખુશ કરી દે એવું સુંદર હસનારી મારી સુહાસિની.’ ઘરે જઈને પહેલું કામ એણે મોબાઈલમાં મિસ્ડ કૉલ જોવાનું કર્યું એક્કે ફોન નહોતો. એનું મન...

આંસુ વિના અંતરથી રડે એ પિતા!

Image
જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા. દિકરાને મા પ્રત્યે સવિશેષ લાગણી હોય છે અને માને પણ સંતાન પ્રત્યે સવિશેષ લાગણી હોય છે કારણ કે મા અને દિકરાનો સંબંધ માત્ર સંબંધ નથી હોતો ઋણાનુબંધ હોય છે. પિતાને દિકરા સાથેનો સંબંધ દિકરાના જન્મ પછી હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ નથી હોતો ! ઇતિહાસમાં કેટલાય એવા પ્રસંગો ઘટ્યા છે કે મા વિનાના દિકરાને પિતાએ જ મોટો કર્યો છે. પિતા વિનાના દિકરા-દિકરી માટે મા જેમ પિતાનો રોલ કરી શકે છે એમ મા-વિનાના દિકરા-દિકરી માટે પિતા પણ માનો રોલ કરી શકે છે. એ ક્યારેય ન ભૂલશો… દિકરાનું બચપન માના હાથમાં હોય છે તો બચપનથી પચપન સુધી સાચવનાર પિતા હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે પિતા બોલી નથી શકતા મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે, બાપ બનનાર દરેકને આ અનુભવ હશે.   જન્મ દાત્રી માતા છે તો જીવનદાતા પિતા છે. કલ્પના કરજો કે જે બાળકને પિતા જ ન હોય એની સ્થિતિ કેવી હોય ? યાદ કરો સાયકલ ચલાવતા કોણે શીખવ્યું ? મોટા થયા ત્યા...

પિતા - પપ્પા - બાપુજી

Image
મારા પિતા એ વખતે ગામડામાં દરબારી કામ કરતા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો એ વખતની આ વાત છે. મારા પિતાનો આમ તો કશો સામાજિક હોદ્દો નહોતો, કારણ કે એમને દરબારી હવાલદારથી સહેજ જ ઊંચું કામ કરવાનું હતું અને દરબાર ઉપરાંત દરબારના કારભારીની આજ્ઞા પણ ઉઠાવવી પડતી. ખળા ભરવાનું, ખેડૂતોના લેણા વસુલ લેવાનું આંટી ઘૂંટીવાળુ અને આંકડાની ભૂલભૂલામણી જેવું દરબારી નામું લખવાનું, દરબારના નાના છોકરાથી માંડીને બૈરાઓ સુધીના સૌના મોઢે રહેવાનું, એમ અનેકવિધ કામ એમને કરવાં પડતાં. આ બધા પાછળ જો કે એમની ઈચ્છા મોડે મોડે પણ દરબારના કારભારી થવાની હતી. પરંતુ એ પદ ઉપર પહોંચતા પહેલાં એમને અનેક વાડ ઠેકવાની હતી. અને સાથો સાથ ઘરના ખર્ચને પહોંચી વળવા જેટલું રળવાનું હતું. આ પેટપૂરી રળવા માટે એમને ટાઢ તડકો જોયા વિના ગામડાઓમાં અથડાવાનું હતું. અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે બાજુના શહેરમાં હું એક ઓરડી ભાડે રાખી ભણતો હતો. એ વખતે મારી ઉંમર સોળ-સત્તર વર્ષની હતી. આ ઉંમરનો છોકરો અનેક વિચિત્રતાઓનું મિશ્રણ હોય છે. ક્યારેક પીઢ, ક્યારેક ઉછાંછળો, ક્યારેક ચુસ્ત ધર્માત્મા તો ક્યારેક ભયંકર નાસ્તિક, રંગીલો તો ક્યારેક ત્યાગી, મિત્તભાષી તો ક...

આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી!

Image
"પપ્પા તમે અમને ગમતા નથી!!" આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી! આ હૃદયસ્પર્શી લેખ લખવાનું આજે એકદમ જ કેમ મન થયું? એની તો મને ખબર નથી પણ હા એક વાત ચોક્કસ છે કે સંતાનોને મમ્મી કદાચ પપ્પા કરતા વધારે જ વ્હાલી હોય છે! અને કેમ ન હોય? મમ્મી, મા, બા એ તો વ્હાલનો દરિયો છે! મમતા અને હુંફનું આજીવન વહેતું અખૂટ ઝરણું છે!! બા એટલે બાળકના જન્મદાતા, પોષક અને રક્ષક. બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા...! બા એટલે સંતાનના જીવનનો પાયો...! બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી...! બાપુજી એટલે બાની પુંજી...! બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે...! બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે...! બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે...! બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)...! બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે....! બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે....! અને અંતે  બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી. જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે "બા-પા...