Posts

Showing posts from May, 2020

મોહે પનઘટપે નંદલાલ છેડ.. અજાણી વાત: આ ગીત માટેની

Image
" રસકવિ"  જેમનું ઉપનામ છે, શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ... એક સિદ્ધહસ્ત નાટ્યકાર હતાં. અને એમના નાટકો  ખાસ એમનાં ગીતો માટે જ વખણાતાં!! નડિયાદના આ ગીતકાર દ્વારા પોતાના જ ગુજરાતી નાટક " છત્રવિજય"માં  કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું. નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા " મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે… " ની કોઈપણ જાતની મંજુરી વિના એમ કહી શકાય કે શબ્દોમાંથી પ્રે રિત થઈને એક આવું જ ગીત  કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું, જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો, પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા. સૌથી વધુ સાહિત્યકારોની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો. અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુ...