Posts

Showing posts from 2020

જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!

Image
  જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ! મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના  નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો?  એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!' કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને...

જીવન જીવવાની કળા !

Image
વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું  એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ! ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી!  ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી  ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં  એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી! જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેન...

માણસો કામ કેમ ટાળે છે?

Image
  જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે.  અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?! જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે! અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન ...

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય - કહેવત, લોકોક્તિ, લોકગીત કે રચના?

Image
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય! લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના?   ―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ) અવિનાશ વ્યાસજી આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!! ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી!  અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય? દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકર...

મોહે પનઘટપે નંદલાલ છેડ.. અજાણી વાત: આ ગીત માટેની

Image
" રસકવિ"  જેમનું ઉપનામ છે, શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ... એક સિદ્ધહસ્ત નાટ્યકાર હતાં. અને એમના નાટકો  ખાસ એમનાં ગીતો માટે જ વખણાતાં!! નડિયાદના આ ગીતકાર દ્વારા પોતાના જ ગુજરાતી નાટક " છત્રવિજય"માં  કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું. નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા " મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે… " ની કોઈપણ જાતની મંજુરી વિના એમ કહી શકાય કે શબ્દોમાંથી પ્રે રિત થઈને એક આવું જ ગીત  કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું, જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો, પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા. સૌથી વધુ સાહિત્યકારોની જન્મભૂમિ, કર્મભૂમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો. અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુ...

કર્તવ્યનિષ્ઠા અને પુરુષાર્થ

Image
આ સમય જે ભાગી રહ્યો છે, આપણે તેને પકડી રાખવાનો છે. એટલે કે એનો સદુપયોગ કરવાનો છે. ધન ગયું તો કશું નહિ, પણ સમય ગયો તો જિંદગીનો એક અંશ ગયા બરાબર છે. ફક્ત રાત્રિમાંસૂવા અને દિવસમાં નિત્ય કર્મ તેમજ જરૂરી આરામના પળ સિવાય સમય વ્યર્થ કરવો ભગવાનનું આપેલું જીવન નષ્ટ કરવાની સમાન છે. નિત્ય-પ્રતિના કાર્યોને કરવા સમયની બરબાદી નથી. ફક્ત આળસ તેમજ પ્રમાદવશ બસ એમ જ પડે-પડે સમયને પસાર કરતો જોવો હકીકતમાં એટલા સમયની આત્મહત્યાની સમકક્ષ છે. કેટલાક વ્યક્તિ સમયને એમ સમજી કાપી રહ્યા હોય છે જેમ કે એમને હજારો વર્ષો જીવવાનું છે. પળ-પળ, મિનિટ, કલાકો તો વીતતા નજરે આવે છે, પણ એમની સાથે સાથે જીવન પણ ચાલી જઈ રહ્યું છે, એ ખબર નથી પડી શકતી!! પણ જયારે એ સમયની અણમોલતાનો આભાસ થાય છે, ત્યારે પક્ષી ઉડી ચૂક્યું હોય છે અને પશ્ચાતાપ તેમજ આત્મગ્લાનિ સિવાય કશું નથી બચતું. હકીકતમાં સમયનો સર્જનાત્મક કાર્યોમાં ખર્ચ થવો એ જ એનો સાચો ઉપયોગ છે. સમયનો તકાજો એ છે કે ધનને છોડીને સમયને પકડો, ધન તો આપમેળે આવી જશે. જેણે  પણ સમયના મહત્વને જાણી લીધું, સમજો કે એણે  સૌથી મોટી દોલત મેળવી લીધી. સમયની નિયતિ એ છે કે તે બતાવ્ય...