ન્યાયમૂર્તિ રાનડે
ન્યાયમૂર્તિ રાનડે (18.01.1842-16.01.1901) ન્યા યમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે ભારતની એક નામાંકિત વ્યક્તિ હતા. ન્યાયક્ષેત્રે જ નહિ પરંતુ અન્ય વિવિધ સેવાભાવી ક્ષેત્રોમાં પણ તેમને સારી એવી નામના મેળવી હતી. એકવાર તેમની પત્ની રમાબેને તેમને ખાવા માટે રસદાર પાકી હાફુસની કેરીઓ આપી. પતિએ માત્ર એકજ હાફુસની કેરી ખાધી. બીજી હાફુસ કેરીને તેઓ અડ્યા પણ નહિ. આ જોઈ તેમની પત્ની રમાબેનને ખુબ આશ્ચ્રર્ય થયું।. તેમણે પતિને પૂછ્યું, "કેમ કેરી મીઠી નથી કે શું?" "કેરીતો ખુબ જ મીઠી અને સ્વાદિષ્ટ છે." "તો એક જ કેરી કેમ ખાધી? બીજી કેરી કેમ લેતા નથી? " " એક કરતા વધુ આવી મીઠી અને સ્વાદિષ્ટ કેરીઓ ખાવાથી શું પરિણામ આવે છે તેની તમને ખબર નથી લાગતી।. કોઈ પણ સ્વાદિષ્ટ ચીજનું જો એક વાર વ્યસન પડી જાય તો એમાંથી છટકવું સરળ નથી હોતું।. પછી તો જીભને એવી સ્વાદિષ્ટ ચીજો ખાવાની એવી તો તાલાવેલી અને લોલુપતા સદા માટે રહે છે કે માનવી જીભનો ચલાવ્યો ચાલવા જ લાગે છે. જીભ પર પછી એનો કાબુ નથી રહેતો। અને તેથી તો શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે જેણે ઈચ્છા જીતી એને જગ જીત્યું! અ...