Posts

Showing posts from April, 2017

ક્રોધ

હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે . માણસ માટે ક્રોધ એ એના શરીર અને મન માટે એક ધીમું ઝેર છે . ક્રોધ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે . એની અસર નીચે એ સારા કે નરસાનું ભાન ગુમાવી દે છે.  બધાં જ દર્દોની એક દવા-જડીબુટ્ટી જેવી આપણી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં  જે લક્ષણો બતાવ્યાં છે , એમાં પણ જણાવાયું છે કે – *' વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે,* *જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નિપજે.* *ક્રોધથી મૂઢતા આવે , મૂઢતા સ્મૃતિને હરે,* *સ્મૃતિલોપે બુદ્ધિ નાશ , બુદ્ધિનાશે વિનાશ છે.' * સંત કબીરે પણ એમના એક દુહામાં ગાયું છે કે; *" કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,* *તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન. * * જ્યારે માણસની બુદ્ધિ ઉપર ક્રોધની લાગણી હાવી થઇ જાય છે ત્યારે ન કહેવાનું કહેવાઈ જાય છે અને ન કરવાનું કાર્ય થઇ જાય છે.ક્રોધ કર્યાં પછી જ્યારે માણસની બુદ્ધિ ઠેકાણે આવે છે ત્યારે એને સાચી વાત સમજાતાં પુષ્કળ પસ્તાવાની લાગણી થતી હોય છે .* "એક ...

મરસીડીઝની માનસિકતા (ડો. કાર્તિક દિલીપકુમાર શાહ)

Image
"મરસીડીઝની માનસિકતા" (ડો. કાર્તિક દિલીપકુમાર શાહ) અક્ષરશઃ સત્યઘટના "શાહ સાહેબ, ક્યાં છો? એક પેશન્ટ તાત્કાલિક દાખલ કરવું પડે એમ છે. મારે ત્યાં આવ્યા છે પણ શરીર એકદમ ફિક્કું પડી ગયું છે. નાડી 160 ઉપર દોડી રહી છે! અને બ્લડ પ્રેશર મેઝર થાય એમ જ નથી.!! પેશન્ટને ઝાડા વાટે ખૂબ જ લોહી વહી રહ્યું છે!!" ડો. પટેલ (જનરલ પ્રેક્ટિશનર) નો ઇમર્જન્સી ફોન આવ્યો! હું એ વખતે મારા પપ્પાજીના બાયપાસ ઓપરેશન સમયે એમની જોડે બીજા હોસ્પિટલમાં બીજા સગા વ્હાલા ની જેમ જ એક રિલેટિવ તરીકે ચિંતામાં હતો... ફોનની વાત સાંભળી તરત પ્રત્યુત્તર આપતા કહ્યું, "પટેલ સાહેબ, આમ તો હું ના ન પાડું પણ હું અહી મારા પપ્પાજીના બાયપાસ ઓપરેશન માં છું. તમે થઈ શકે તો બીજા કોઈ ડોક્ટર ને રીફર કરી શકો તો સારું." "અરે, મેં તો એને તમારી હોસ્પિટલ તરત જ મોકલી દીધા છે ને ત્યાં મેં જાણ પણ કરી દીધી છે...તમે પહોંચી જાવ તો સારું. એ કદાચ ત્યાં પહોંચી પણ ગયા હશે..મારે ત્યાં રાહ જોવાય એમ જ નહોતી!! " "જો જો દર્દી ઝટ એટેન્ડ કરવું પડે એમ છે. વાર ના કરતા" છેલ્લે ટકોર થઈ...

"વિશ્વાસ"

Image
ગયા અઠવાડિયાની એક સત્યઘટના: " વિશ્વાસ " " સાહેબ, મારી પત્નીને શુ બીમારી છે? એનો જીવ આપના હાથમાં જ છે. ગમે એ કરો પણ તમારે જ એને સાજી કરવાની છે...!" મેં કહ્યું, " ભાઈ, એમને આંતરડાના કેન્સર ની જટિલ બીમારી છે. પાછું સ્ટેજ 3 માં છે, એઆજુબાજુ ના અવયવો સાથે પણ ચોંટી ગયું લાગે છે. ગામડાં માં આની સવલત ના હોવાથી તમારે અમદાવાદ જ આવવું પડે ત્યાર બાદ બીજી સારવાર પણ લેવી પડે. અને કદાચ, મારા સિવાય જો કોઈ બીજા સર્જનનો અભિપ્રાય લેવો હોય તો તમારે એ લઇ લેવો જોઈએ." ના અમારે ક્યાંય નથી જવું. તમે કાઈ ખોટું થોડું વિચારો અનારા માટે. અમને તો તમારા પર જ ભરોસો. " ખર્ચ બોલો કેટલો થશે? " હવે હું જરાક વિચાર સાથે એમની આર્થિક નબળી પરિસ્થિતિ જોઈ બોલ્યો. ભાઈ, આનું ઓપરેશન કરવું પડે. કદાચ એવું પણ બને કે ગાંઠનું ઓપરેશન આપણે સંપૂર્ણ ના કરી શકીયે ને ખાલી બાયપાસ જ આપવું પડે....પછી કેમોથરાપીને એવું બીજું ઘણું...અમદાવાદ જેવા સેન્ટરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 10 દિવસ રહેવુય પડે...ખરચ થાય કદાચ સિવિલ હોસ્પિટલ માં તમારે સારું રહેશે. " ના. તમારે જ કરવાનું....