ક્રોધ

હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે .

માણસ માટે ક્રોધ એ એના શરીર અને મન માટે એક ધીમું ઝેર છે . ક્રોધ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે .

એની અસર નીચે એ સારા કે નરસાનું ભાન ગુમાવી દે છે. બધાં જ દર્દોની એક દવા-જડીબુટ્ટી જેવી આપણી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો બતાવ્યાં છે , એમાં પણ જણાવાયું છે કે –

*'વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે,*
*જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નિપજે.*
*ક્રોધથી મૂઢતા આવે , મૂઢતા સ્મૃતિને હરે,*
*સ્મૃતિલોપે બુદ્ધિ નાશ , બુદ્ધિનાશે વિનાશ છે.'*

સંત કબીરે પણ એમના એક દુહામાં ગાયું છે કે;
*"કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,*
*તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન.*

*જ્યારે માણસની બુદ્ધિ ઉપર ક્રોધની લાગણી હાવી થઇ જાય છે ત્યારે ન કહેવાનું કહેવાઈ જાય છે અને ન કરવાનું કાર્ય થઇ જાય છે.ક્રોધ કર્યાં પછી જ્યારે માણસની બુદ્ધિ ઠેકાણે આવે છે ત્યારે એને સાચી વાત સમજાતાં પુષ્કળ પસ્તાવાની લાગણી થતી હોય છે.*

"એક પિતા એમની ગુલાબના ગોટા જેવી નાની નિર્દોષ બાલિકાને એમણે હમણાં જ ઘસી ઘસીને ચકચકિત કરેલી મોટર ગાડી ઉપર કલરના ક્રેયોનથી કઈક લખતી જુએ છે અને આ પિતાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય છે .
તેઓ ગુસ્સામાં કશું જોયા વિચાર્યા વિના એમને બહું પ્રિય એવી એમની ગાડીનું બારણું જોરથી બંધ કરે છે .

આ બારણામાં એમની નાની દીકરીના એક હાથની નાજુક આંગળીઓ ચગદાઈ જાય છે .
ગાડીનું બારણું બંધ કરીને જ્યારે પિતાએ જોયું તો એમની પુત્રીએ ક્રેયોનથી આ લખ્યું હોય છે:  ” આઈ લવ યુ પપ્પા !!!! “

રોતી કકળતી નાની બાલિકાની એક આંગળીને હોસ્પીટલમાં  કપાવી નાખવી પડે છે .
નાની અબુધ દીકરી પિતાને પૂછે છે “મારી આ આંગળી ક્યારે પાછી ઉગશે પપ્પા .”
આ છોકરી જ્યારે મોટી થશે ,પરણશે ત્યારે જ્યારે જ્યારે કપાયેલી આંગળીઓ ઉપર નજર કરશે ત્યારે એને વર્ષો પહેલાંનો પિતાનો ક્રોધિત ચહેરો નજર સામે દેખાશે ."
આ બનાવ બન્યા પછી પિતાને પુષ્કળ પસ્તાવો થાય છે કે મેં મારી દીકરી કરતાં મારી ગાડીને વધુ મહત્વ આપ્યું એનું કેવું ખરાબ પરિણામ આવ્યું !


નાનકના શબ્દોમાં-
અબ પસ્તાયે ક્યાં હોત જબ ચીડીયા ચુગ ગઈ ખેત

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?