ગણેશ ચતુર્થી નું મહત્વ
ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિધ્ધી સિદ્ધિ સાથે કૈલાસ જઇ રહ્યાં હતાં. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યો. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈને ચંદ્ર તેમની ઠેકડી ઉડાડવા લાગ્યો. ચંદ્ર બોલ્યો: " કેમ ગણેશજી, આજે બ્રહ્મદેવ એ તમને ભૂખ્યા જ કાઢ્યા કે શુ? જુઓને, તમારુ પેટ તૌ દેખાતું જ નથી ??!!" છતાં ગણેશજી કાંઇ બોલ્યા નહીં. એ ધીમા પગલે ચાલતા જ રહ્યાં. એટ્લે વળી પાછો ચંદ્ર બોલ્યો, " આમ ધીમે પગલે કૈલાસ પર કયારે પહોંચશો ? વાહન જોઇયે તૌ લેતા જાઓ !!" છતાં ગણેશજી એ પાછું વાળીને જોયું પણ નહીં અને ધીમા પગલે ચાલતા જ રહ્યાં. પણ ફરીથી " શુ રુપ ઘડ્યું છે, વાહ! " એમ કહીને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો. અત્યાર સુધી ચુપ રહેલ ગણેશજી ચંદ્ર નું અભિમાન અને મશ્કરી હવે સહન ના કરી શક્યા. તેઓ ચંદ્ર ઉપર ખૂબ જ ગુસ્સે થયાં, અને શાપ આપતાં બોલ્યા:" ચંદ્ર, તને તારા રૂપનું ખૂબ જ અભિમાન છે ને?, તેં આજે મારી ઠેકડી કરીને મને ઉશ્કેર્યો છે આથી મારો તને શાપ છે કે આજના દિવસે એટલેકે ભાદરવા સુદ ચોથ ને દિવસે કોઈ તારી સામે જોશે નહીં.અને જો કોઈ ભૂલ...