Posts

Showing posts from August, 2018

આર્ટસ કે આટર્સ અને માર્કસ કે માર્ક્સ ?

Image
આર્ટસ કે આટર્સ ??? --------------------------- કોલેજના નામમાં ARTS આવતું હોય ત્યારે કેટલીક કોલેજો 'ટ' પર રેફ કરે છે અને કેટલીક કોલેજો 'સ' પર રેફ કરે છે. 'ટ' પર રેફ કરનાર અધ્યાપકોની દલીલ એવી હોય છે કે મૂળ શબ્દ ARTમાં 'ટ' પર રેફ આવે છે: આર્ટ    તેની પાછળ બહુવચનનો પ્રત્યય લાગે છે, તેથી ARTSમાં રેફ 'ટ' પર આવે અને તેથી જ આર્ટસ એમ જ લખાય.  ખરેખર શું હોઈ શકે? અને શા માટે? તેનો ઉત્તર મેળવવાની કોશિશ કરીયે ચાલો...... ગુજરાતી ભાષાના મૂળાક્ષરો આકારની દ્રષ્ટિએ બે પ્રકારના છે: (1) લીટી-કાનાવાળા જેમ કે, ખ, પ, લ, ય, ત વગેરે. (2) ગોળાકાર જેમ કે, ક, ટ, ઠ, ડ, જ વગેરે. જયારે લીટીવાળા અક્ષર જોડાક્ષરમાં પૂર્વવ્યંજન તરીકે આવે ત્યારે તેનો કાનો દૂર કરવામાં આવે છે. જેમ કે, 'પ' - 'કાપ્યો', 'શ' - 'રશ્મિ' વગેરે. જયારે ગોળાકાર અક્ષર હોય તો તેને 'ખોડો' 'હલન્ત'નું ચિહ્ન કરવામાં આવે છે અથવા આજુબાજુમાં કે ઉપરનીચે જોડીને લખાય છે જેમ કે, 'જ' - 'જ્યોત', 'ઠ' - 'લઠ્ઠો' વગેરે.  એટલે કે...

ગુજરાતી સુગમસંગીતનાં Don અને Dawn!!

Image
પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રત્યેના પર્દાપણ અને તેમની સંગીતની સાધનાને આજે 80 વર્ષે પણ સંગીત પ્રેમીઓ પ્રેરણાદાયી માની રહ્યા છે અને ભવિષ્યમાં પણ માનતા રહેશે. 3 વર્ષની ઉંમરથી શરૂ થયેલી તેમની સંગીતની સફર યાદગાર રહી છે. 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં જ્યારે તેઓએ ગાયું ત્યારે 17 વખત વન્સ મોરની બૂમો પડી હતી.  તેઓ સંગીત પ્રત્યે એટલા રૂચિકર હતા કે 1944ની સાલમાં તેઓએ ઘર છોડી દીધુ અને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઇ પહોંચી ગયા હતા. પણ તેઓ તરત પાછા પણ ફરી ગયા. પછી 1947માં કાયમ માટે મુંબઇ ગયા. જ્યાં તેઓ  જીવણલાલ કવિના ઘેર ઘરઘાટીઓ સાથે ઓટલા પર સૂઇ રહેતા. પહેલી વાર મુંબઇમાં દિલીપ ધોળકીયા સાથે તેઓએ રાસ ગીત ગાયું. આપ માનશો નહીં પણ, જીવનમાં તીવ્ર સંઘર્ષ વેઠી ચૂકેલા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય શરૂમાં એમનાં  મહેનતાણાની રકમ લેવા ગોરગાંવથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયા હતાં..!  અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા. 1950 પછી – અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં તથા "આ ...

સત્યઘટના -- ડો. કાર્તિક શાહ

Image
હેમુ ગઢવી: એક સત્ય પ્રસંગ સંકલન:  ડો. કાર્તિક શાહ   ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. આ 20મી ઓગસ્ટે એમની 53મી પુણ્યતિથિ આવી રહી છે તો એમને યાદ કરી એમના જ જીવનનો એક બહુ જ ઓછો જાણીતો પણ આપ સૌની આંખો ખરેખર અશ્રુભીની કરી દે એવો એક પ્રસંગ અહીં ટાંકી રહ્યો છું. આશા છે કે આપ સૌને એ વાંચી કેમ હેમુભાઈ આટલી નાની ઉંમરે પણ લોકહૃદયમાં અમરત્વ પામી ગયા છે એનો ખ્યાલ આવી જશે. 4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો.  તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં  કૃષ્ણની  ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે "ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ  જામનગર  શહેરમાં  રાણકદેવી  નામનું નાટક ભજવવા ગયેલા. જ...

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

Image
ઈ.સ ૧૯૧૧ સુધી ભારતની રાજધાની બંગાળ હતી પરંતુ ઈ.સ ૧૯૦૫ માં જયારે બંગાળના વિભાજનને લઈને અંગ્રેજોની સામે બંગભંગ આંદોલનના વિરોધમાં બંગાળના લોકો જાગૃત થયા તો અંગ્રેજોએ પોતાને બચાવવા માટે કલકતાથી હટાવીને રાજધાનીને દીલ્હી લઈ ગયા અને ૧૯૧૧ માં દિલ્હીને રાજધાની જાહેર કરી દીધી. સંપૂર્ણ ભારતમાં લોકો વિદ્રોહની ભાવનાથી ભરેલા હતા ત્યારે અંગ્રેજોએ પોતાના ઇંગ્લેન્ડ ના રાજા ને ભારત આવવાનું  આમત્રણ આપ્યું કારણકે લોકો શાંત થઇ જાય. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ૧૯૧૧ માં ભારત આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પર દબાણ કરવામાં આવ્યું કે તેમને એક ગીત જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખવું  પડશે. તે સમયે ટાગોરનો પરિવાર અંગ્રેજોથી ખુબ નજીક હતો, તેમના પરિવારના ઘણા બધા લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા હતા, તેમના મોટા ભાઈ અવનીન્દ્ર નાથ ટાગોર ઘણા દિવસો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કલકતા ડીવીઝન ના નિર્દેશક રહ્યા .તેમના પરિવારના ઘણા નાણા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રોકાયેલા હતા અને પોતે રવીન્દ્રનાથ ટાગોરની પણ અંગ્રેજો માટે સહાનુભૂતિ હતી. રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત લખ્યું તેમના બોલ છે  “ જન ગણ મન અધ...

કઈ રીતે તૈયાર થયા કિશોરદા ગુજરાતી ગીત ગાવા માટે?

Image
હજુ બે અઠવાડિયા પહેલા શરુ કરેલ આ ડો. કાર્તિકની કલમે નામની સિરીઝમાં ગુજરાતી રંગભૂમિ, સંગીત અને ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓ અંગેની રસપ્રદ વાતો આપ સૌ સાથે શેર કરવાની શરૂઆત સાથે ફોન પર અનેક લોકો સાથે કિશોરકુમારની કૉલમની વાત થઈ ત્યારે કહે, ‘તમારી કૉલમની ખાસ વાત મને એ ગમે છે કે કિશોરકુમારના સ્વભાવના એ પાસાની વાતો લોકો સુધી પહોંચાડો છો જેની બહુ ઓછાને ખબર છે. લોકોને મન તો તે એક ધૂની, તરંગી અને કંજૂસ વ્યક્તિ હતા જે કોઈ પણ કારણ વગર લોકોને મુશ્કેલીમાં મૂકતા. પણ ખરેખર તો તેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમના આ પાસાની મોટા ભાગના લોકોને જાણ જ નથી. હું માનું છું કે ઘણાને તેમના આ સ્વભાવનો પરિચય થયો છે. ક્યારેક વિગતવાર વાતો કરીશું.’ ‘વાત ૧૯૭૫ની છે. નિરંજન મહેતા અને દિગંત ઓઝા ઘનિષ્ઠ મિત્રો. તેઓ ગુજરાતી ફિલ્મો, ખાસ કરીને રવીન્દ્ર દવેના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ સમય ગુજરાતી ફિલ્મોનો ટોચનો સમય હતો. એટલે તેઓ બન્નેએ પણ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ  કરવાનો વિચાર કર્યો. વાતવાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાંના કચ્છના રાજાના જીવન પરથી એક ફિલ્મ બનાવવાનું...