લિયોનાર્ડો દ વીન્સી

લિયોનાર્ડો દ વીન્સી (1452-1519)


ઇટલીના ફ્લોરેન્સ નામના નગરમાં બે છોકરા વાતો કરતા હતા. એક છોકરો જે મોટો હતો તેણે  નાના છોકરાને કહ્યું: ' દોસ્ત, જીવનમાં કશું કરી શકીશ નહિ, કારણકે નસીબ જ બહુ ખરાબ છે. માતાપિતા પણ સાવ ગરીબ છે. કોઈનો સ્નેહ મળતો નથી. કોઈ કશી જ મદદ કરતુ નથી. એના કરતા તો આત્મહત્યા કરી લેવી બેહતર છે.'

નાના છોકરાએ અત્યંત આત્મવિશ્વાસથી તેને આશ્વાસન આપતા કહ્યું, ' દોસ્ત, પ્રતિકુળતાઓને અનુકુળતાઓમાં બદલી નાખ. પુરુષાર્થ કરવામાં પાછી પાની ના કર. સફળતા કુદરત આપશે જ. '

આ આશ્વાસન આપનારો નાનો છોકરો બીજો કોઈ નહોતો, પરંતુ વિશ્વ વિખ્યાત બહુમુખી પ્રતિભા સંપન્ન મહાપુરુષ લિયોનાર્ડો હતો.

લિયોનાર્ડોનો જન્મ બહુજ રંક પરિવાર માં થયો હતો. બે વર્ષની ઉંમરે તેની માતાનું અવસાન થયું હતું. તેને પોતાનું ઘડતર સ્વયમ કર્યું. પોતે જ પોતાનો ભાગ્યવિધાતા બન્યો. ઘોર હાડમારી, અવરોધો, ગરીબીનો મક્કમતાથી સામનો કરી એક પછી એક પ્રગતિના સોપાન સર કર્યા અને સફળતાના શિખરે પહોંચી ગયો.

તે બહુ નીરોગી, બળવાન, મહાન શિલ્પી, ચિત્રકાર, સાહિત્યકાર, કવિ, દાર્શનિક, ગણિતશાસ્ત્રી, સંગીતકાર, વૈજ્ઞાનિક, મિસ્ત્રીકલાનો તજજ્ઞ, વિદ્વાન, સફળ વક્તા,યુદ્ધકલા માં નિપુણ, અને સારા વ્યક્તિત્વનો સ્વામી બની ગયો. આવો બહુમુખી પ્રતિભાવંત પુરુષ ઇતિહાસમાં ક્યાંય જોવા-સાંભળવામાં નથી આવ્યો !!

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન