ગોવિંદ વલ્લભ પંત

ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) 

એક વાર ગોવિંદ વલ્લભ પંતએ પોતાના મિત્રો માટે ભોજન સમારંભ ગોઠવ્યો હતો. એમાં આવેલા મહેમાનોએ જમી લીધું ત્યારે રફી અહમદ કિડવાઈ ત્યાં પહોંચ્યા. એમણે જોયું કે બધા લોકોએ જમી લીધું છે. આથી તેમણે દરવાજા પાસે ઉભા રહીને જ બૂમ પાડી, " પંત સાહબ, મેં જૂતા ઉતારું ??"

પંતજી એ કટાક્ષ ઝીલતા જવાબ આપ્યો, " અરે યાર !! કયા બાત કરતે હો ?? જૂતા ઉતારોગે નહિ તો ખાયોગે કૈસે ???!!! "

નોંધ:-
ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતન્ત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ અલમોડા જિલ્લામાં આવેલા ખોત નામક સ્થાન ખાતે થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ તેઓ ભારતના ગૃહમંત્રી બન્યા હતા. હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભારત રત્ન સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન