નેપોલિયન
નેપોલિયન એક પછી એક પ્રદેશો, રાજ્યો જીતતો આગળ ધપી રહ્યો હતો. એક રાત્રિએ ગાઢ નિંદ્રા લેતો હતો.
એ વખતે એનો સેનાપતિ ત્યાં આવ્યો અને નેપોલિયનને જગાડ્યો. સેનાપતિએ સમાચાર આપતા દક્ષિણ મોરચા પર દુશ્મનોએ અચાનક આક્રમણ કર્યાનું કહ્યું અને સાથે સાથે તેનો સામનો કરી આગળ ધપવા માટે માર્ગદર્શન માંગ્યું.
નેપોલિયન આંખો ચોળતો ઉભો થયો અને દીવાલ પર ચોંટાડેલ કેટલાક નકશાઓમાંથી એક નકશો ઉતારીને આપતા કહ્યું: 'એમાં બતાવ્યા મુજબ વ્યૂહરચના કરો. એમાં લખ્યા પ્રમાણે ઉપાય કરશો તો ચોક્કસ સફળતા મળશે જ!'
સેનાપતિને આશ્ચર્ય થયું કે, ' જેનું અનુમાન કે કલ્પના સુદ્ધાં ન કર્યા હતા તેની નેપોલિયાને અગાઉ થી શી રીતે તૈયારી કરી લીધી?
નેપોલિયને સેનાપતિ ને થતું આશ્ચર્ય સમજીને કહ્યું: 'હું હંમેશા સફળતાની જ આશા રાખું છું. તે છતાં નિષ્ફળતા મળે તો તેને સફળતામાં પલટાવી દેવા શું કરવું જોઈએ તેનું આયોજન પણ પ્રથમથી જ કરી લઉ છું. તેથી મને નિષ્ફળતા મળતી નથી!'
હંમેશા સફળતા પ્રાપ્ત કરવા જ સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. તેની સાથે સાથે નિષ્ફળતા મળે ત્યારે તેને સફળતા માં પલટી નાખવાની પૂર્વતૈયારી અને આયોજન પણ કરવા જોઈએ.
Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...