ઈ.સ ૧૯૧૧ સુધી ભારતની રાજધાની બંગાળ હતી પરંતુ ઈ.સ ૧૯૦૫ માં જયારે બંગાળના વિભાજનને લઈને અંગ્રેજોની સામે બંગભંગ આંદોલનના વિરોધમાં બંગાળના લોકો જાગૃત થયા તો અંગ્રેજોએ પોતાને બચાવવા માટે કલકતાથી હટાવીને રાજધાનીને દીલ્હી લઈ ગયા અને ૧૯૧૧ માં દિલ્હીને રાજધાની જાહેર કરી દીધી. સંપૂર્ણ ભારતમાં લોકો વિદ્રોહની ભાવનાથી ભરેલા હતા ત્યારે અંગ્રેજોએ પોતાના ઇંગ્લેન્ડ ના રાજા ને ભારત આવવાનું આમત્રણ આપ્યું કારણકે લોકો શાંત થઇ જાય. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ૧૯૧૧ માં ભારત આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પર દબાણ કરવામાં આવ્યું કે તેમને એક ગીત જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખવું પડશે. તે સમયે ટાગોરનો પરિવાર અંગ્રેજોથી ખુબ નજીક હતો, તેમના પરિવારના ઘણા બધા લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા હતા, તેમના મોટા ભાઈ અવનીન્દ્ર નાથ ટાગોર ઘણા દિવસો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કલકતા ડીવીઝન ના નિર્દેશક રહ્યા .તેમના પરિવારના ઘણા નાણા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રોકાયેલા હતા અને પોતે રવીન્દ્રનાથ ટાગોરની પણ અંગ્રેજો માટે સહાનુભૂતિ હતી. રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત લખ્યું તેમના બોલ છે “ જન ગણ મન અધ...
પૈસા-દોલત એ કીમતી ધન નથી પણ સમય સૌથી કીમતી ધન છે એ વસ્તુ તમે હંમેશાં યાદ રાખો. સમયસર કરેલાં કામ જ ઊગી નીકળે છે. સમય વીતી ગયા પછી કામનું ફળ મળતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે નિશ્ચિત સમયે ન કરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી. યુરોપનો વિજેતા નેપોલિયન સમયની કિંમત સુપેરે સમજતો હતો અને તે યુદ્ધ જીતવામાં અનુકૂળ સમયને ધ્યાનમાં રાખી સંગ્રામ ખેલતો અને તેને વિજય જ હાંસલ થતો. અંતિમ યુદ્ધ વેળા તે યોગ્ય સમય ચૂકી ગયો અને વોટરલૂના મેદાનમાં તેણે અને સેનાપતિ ગ્રાઉચીએ થોડી મિનિટનું મોડું કર્યું અને પરિણામે બાજી પલટાઈ ગઈ. વિજેતા બનવાને બદલે તે પરાજિત બની ગયો. કેટલીક વખત તક સામે આવીને ઊભી હોય છે પરંતુ એ વખતે લાંબો વિચાર કરવા રહો, અન્યની સલાહ લેવા જવાનું તમે વિચારો, કોઈ હા પાડે અને કોઈ ના પાડે ત્યારે દ્વિધા અનુભવો અને કોઈ એક ચોક્કસ નિર્ણય પર ન આવી શકો તો હાથમાં આવેલી એ તક સરી પડે છે અને કેટલીક વાર તો જીવનમાં એવી તક ફરી સાંપડતી નથી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જશો નહિ. વિશ્વના મહાન પુરુષો સમયની કિંમત સારી પેઠે જાણતા હતા અને તેમને મળતી પ્રત્યેક ક્ષણોનો તેમણે સદઉપયોગ કર...
ભાઈ-બહેનની જોડી ભાઈ અને બહેનની જોડી એટલે હલેસાં અને હોડીની જોડી. બંને એકબીજા વગર નકામા. પણ બંને જો મળી જાય તો દરિયા પાર થઈ જાય. ભાઈ-બહેન એટલે રાઈ-જીરાનું કોમ્બીનેશન. વઘાર કરતી વખતે રાઈ-જીરુ જ્યારે તેલમાં નાખીએ ત્યારે તતડતા હોય. વધારે નજીક જાવ તો તમને પણ દજાડે. એમ ભાઈ―બહેન બંને એકબીજા સાથે રમશે, ઝઘડશે, તતડશે. એકબીજામાં એવા ગુલતાન હશે કે બહારનું કોઈ એમની નજીક જાય તો એને એકાદ ચમકાવી પણ દેશે. પણ એક વાત સાચી કે જેમ રાઈ-જીરા વગર દાળ-શાકનો સ્વાદ ન આવે એમ કુટુંબમાં પણ ભાઈ-બહેન વગર મજા ન આવે. ભાઈ એટલે લીમડી. નાનપણમાં બહેનને ભાઈના વેણ કદાચ લીમડી જેવા કડવા લાગે. હંમેશા કહે કે 'મને અહીં નથી જવા દેતા', 'મને પેલા સાથે નથી રમવા દેતા, 'મને આ કપડાં નથી પહેરવાં દેતા' વગેરે. પણ જ્યારે સમય જાય અને પાકટ થાય ત્યારે એ જ લીમડી મધ જેવી મીઠી થઈ જાય છે. બહેન છે એ પીપળી છે. એના નાનપણના મૂળ ખૂબ ઊંડે સુધી હોય અને મોટા થાય ત્યારે પણ તેનું થડ ઘટાદાર બની જાય છે. આવા વૃક્ષની છાંયડી કેટલી શીતળ હોય? આ લીમડી-પીપળીને લીધે જ આપણું એક ખૂબ જૂનું અને ...
વાહ ખુબજ સુંદર આપશ્રીની હરેક પોસ્ટ માત્ર પોસ્ટ નથી પણ એવું લાગે છે કે જાણે કોઈએ પોતાના હૃદય રૂપ સહી ઘોળી ઘોળી ને લખી હોઈ
ReplyDelete🙏🙏
ReplyDelete