પૃથ્વી ગોળ છે, એ કોણે શોધી કાઢ્યું ? અને પૃથ્વીના પરિઘની ચોક્કસ પ્રથમ માપણી ખરેખર કોણે કરી? આપણાં પુસ્તકો આપણને આવું કહે છે અને શીખવે છે : કેપ્લર, ક્પોરનિકસ અને ગેલેલિયો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ૧૬મી અને ૧૭મી સદીના છે. પ્રાચીન સમયમાં આ વિશે ભારતની માન્યતા કેવી હતી ? પૃથ્વી ગોળ છે, એમ તેઓ જાણતા હતા? આનો જવાબ 'હા' છે. તેઓ એટલે કે ભારતીયો આ હકીકતને પ્રાચીન સમયથી એટલે કે યુગોથી જાણતા હતા. અહીં એ વિશેની હકીકતના કેટલાક સંદર્ભો પ્રસ્તુત છે. ૧. ભારતના સુખ્યાત ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬) આમ કહ્યું હતું: 'ભૂગોલ: સર્વતો વૃત્ત:-પૃથ્વી બધી બાજુએથી ગોળ છે.' ( આર્યભટ્ટીયમ્ , ગોલપદ, શ્વલોક -૬ ) એણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. ( આર્યભટ્ટીયમ્ , પ્રકરણ -૧, શ્વલોક -૫ ) ૨. પોતાના આ ગ્રંથનાં ગોલપદના શ્વલોક -૩૭માં આર્યભટ્ટે ગ્રહણનાં કારણો પણ આપતાં કહ્યું છે: 'છાદ્યતિ સૂર્યમ્ શશિનમ્ મહતી ચ ભૂચ્છાયા - જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે કે સૂર્ય પર ચંદ્રનો પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે પૃથ્વી ચંદ્રને ઢાંકી દે કે પૃથ્વીનો પડછાયો...
ઈ.સ ૧૯૧૧ સુધી ભારતની રાજધાની બંગાળ હતી પરંતુ ઈ.સ ૧૯૦૫ માં જયારે બંગાળના વિભાજનને લઈને અંગ્રેજોની સામે બંગભંગ આંદોલનના વિરોધમાં બંગાળના લોકો જાગૃત થયા તો અંગ્રેજોએ પોતાને બચાવવા માટે કલકતાથી હટાવીને રાજધાનીને દીલ્હી લઈ ગયા અને ૧૯૧૧ માં દિલ્હીને રાજધાની જાહેર કરી દીધી. સંપૂર્ણ ભારતમાં લોકો વિદ્રોહની ભાવનાથી ભરેલા હતા ત્યારે અંગ્રેજોએ પોતાના ઇંગ્લેન્ડ ના રાજા ને ભારત આવવાનું આમત્રણ આપ્યું કારણકે લોકો શાંત થઇ જાય. ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ ૧૯૧૧ માં ભારત આવ્યો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર પર દબાણ કરવામાં આવ્યું કે તેમને એક ગીત જ્યોર્જ પંચમના સ્વાગત માટે લખવું પડશે. તે સમયે ટાગોરનો પરિવાર અંગ્રેજોથી ખુબ નજીક હતો, તેમના પરિવારના ઘણા બધા લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરતા હતા, તેમના મોટા ભાઈ અવનીન્દ્ર નાથ ટાગોર ઘણા દિવસો સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કલકતા ડીવીઝન ના નિર્દેશક રહ્યા .તેમના પરિવારના ઘણા નાણા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રોકાયેલા હતા અને પોતે રવીન્દ્રનાથ ટાગોરની પણ અંગ્રેજો માટે સહાનુભૂતિ હતી. રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત લખ્યું તેમના બોલ છે “ જન ગણ મન અધ...
આ કાવ્ય/ કવિતા એટલે શું? આ કવિતા એટલે શું? ઘણી વાર મને આવો વિચાર આવે છે અને વિચારતા અને શોધખોળ કરતા એવું પણ જ્ઞાત થયું કે વેદકાળથી ભલભલા પંડિતોએ આ શબ્દ નો અર્થ શોધવામાં પોતાની જાત ઘસી નાખી છે. અને હું રહ્યો એક નાનો અબુધ જીવ...! મને કવિતાની ગૂઢ વ્યાખ્યાઓની તો ખબર નથી પણ મૂંઝવણ એક ચોક્કસ થઇ છે.... કવિતા લખે એ કવિ ? કે કવિ લખે એ કવિતા? કવિતાથી કવિનું અસ્તિત્વ/ઓળખ છે કે કવિથી કવિતાનું અસ્તિત્વ/ઓળખ છે? અન્ય મુંઝવણથી વાકેફ કરું તો છંદમાં લખાય એ કવિતા? જે ગાઈ શકાય એ કવિતા? જેનો પ્રાસ મળે એ કવિતા ? અલંકૃત શબ્દોથી મઢી હોય અને શબ્દો આગળ પાછળ કરી લખાઈ હોય એ જ કવિતા? આ કવિતા એટલે ખરેખર શું ? શું કવિતા સરળ અર્થસભર પણ હોઈ શકે? છંદ, લય, અર્થ, કલ્પના અને પ્રાસનો સરવાળો એ જ કવિતા? શું કવિતા છંદોબદ્ધ ન હોય તો પણ ગાઈ શકાય? પંડિતો ની વ્યથા હવે મને સમજાઈ કે એ અમસ્તી જ નથી....અને આનો સરળ જવાબ ઘાયલ પણ કહી ગયા છે કે ... તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં , પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી? કાવ્યની વ્યાખ્યા કવિએ કવિએ, ...
વાહ ખુબજ સુંદર આપશ્રીની હરેક પોસ્ટ માત્ર પોસ્ટ નથી પણ એવું લાગે છે કે જાણે કોઈએ પોતાના હૃદય રૂપ સહી ઘોળી ઘોળી ને લખી હોઈ
ReplyDelete🙏🙏
ReplyDelete