જગદીશચંદ્ર બી. બોઝ

જગદીશચંદ્ર બી. બોઝ ( ભૌતિક અને વનસ્પતિ વિજ્ઞાની, 1858-1937)

ફરીદ્પુર (ઉત્તરપ્રદેશ)ના એક ન્યાયાધીશે એક કુખ્યાત લુંટારાને સજા કરી. એણે કોર્ટમાં જ ન્યાયાધીશ ને એવી ધમકી આપી કે જેલમાંથી છૂટ્યા પછી એ એનું વેર લેશે. અને ખરેખર, એણે એવું જ કર્યું.

ન્યાયાધીશનો બંગલો એણે સળગાવી દીધો. તેમની તમામ મિલકત એમાં સ્વાહા થયી ગઈ. અને તેઓ માત્ર એમના પુત્ર સાથે ફક્ત પહેરેલ કપડે બચી શક્યા.

એ લુટારો ફરી પકડાઈ ગયો અને ફરી તેમની જ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. એણે ગળગળા થઈને ન્યાયાધીશને કહ્યું, " તમે મને કોઈ ઈજ્જતની નોકરી અપાવો, તો હું મારો ધંધો છોડી દેવા તૈયાર છું."

અને એ ન્યાયાધીશે ન કેવળ એ ગુનેગારને માફ કરી દીધો, પણ પોતાના જ ઘરે કામ ઉપર રાખ્યો. અને પોતાના બાળકને નિશાળે લઇ જવા માટે નું મુખ્ય કામ સોંપ્યું.

આ ન્યાયાધીશનું નામ છે, ભગવાનચંદ્ર બોઝ, વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ ના પિતા.

Comments

Popular posts from this blog

પૃથ્વી ગોળ છે અને એના પરિઘની ચોક્કસ માપણી ખરેખર કોણે સાબિત કરી?

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

આ કવિતા એટલે શું?