નેઇલ એસ્કેલીન

એક વખત ડૅરી મા પડેલા મલાઇના એક વાસણમા બે દેડકા પડી ગયા. બહાર નીક્ળવા માટે ઘણી મહેનત કર્યા પછી એક દેડકા એ કહ્યુઃ ‘બધી મહેનત ફોગટ છે. આપણે મરી જ જવાના છીએ !’  “ છતા મહેનત તો કરવી જ જોઇએ.” બીજાએ કહ્યુ, “ કદાચ બહાર નીક્ળી જઇએ !!”  “ એવી નકામી મહેનતથી આપણને શો ફાયદો?” પહેલાએ કહ્યુ, “ તરવા માટે આ વસ્તુ વધુ પડતી ઘટ્ટ છે, પગ ટેકવીને કૂદવા માટે વધુ પડતી પાતળી છે. ઉપર ચડવા માટે વધુ પડતી લપસણી છે. આમા આપણુ મ્રુત્યુ નિશ્ચિત છે. પછી, મિથ્યા પ્રયત્ન શા માટે?” અને વાસણ ના તળીયે ડુબીને મ્રુત્યુ પામ્યો.  પરન્તુ બીજા દેડકાએ પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પગ હલાવીને એ થાકી ગયો. પણ એની એ હલચલ ને કારણે સવાર સુધીમા મલાઇમાથી ઘટ્ટ માખણ છૂટુ પડી ગયુ, જેના ઉપર એને બેઠેલો જોઇને, વાસણ લેવા આવનારે તેને ઊચકી લીધો અને એનો જીવ પણ બચી ગયો. 

-- નેઇલ એસ્કેલીન  



માત્ર ધન-સમ્પતિ ભેગા કરવાથી જીવન સફળ થતુ નથી. એક કન્જુસ પણ ધન એક્ઠુ કરી શકે છે, પરન્તુ માણસ તરીકે તે નિષ્ફ્ળ માનવી છે. જીવનની સફળતા માટે બે વસ્તુ ખાસ જરુરી છેઃ એક તો વ્યક્તિની આન્તરિક શક્તિ નો વિકાસ અને બીજુ, સમાજ્ના વિકાસમા તેનો કોઇક જાતનો ફાળો. સન્ગીત સમ્રાટ મોજાર્ટ મ્રુત્યુ પામ્યો, ત્યારે તેની પાસે કોઇ ધન-સમ્પતિ ન્હોતા પરન્તુ પોતાના ટૂકા જીવન દરમિયાન પોતાની સન્ગીત કલાથી તેણે માનવજીવન ને અને વિશ્વને વધુ સમ્રુદ્ધ બનાવ્યુ હતુ. આપણા અસ્તિત્વ અને કાર્યથી વિશ્વ વધુ સમ્રુદ્ધ બને તેમાજ આપણી આખરી સફળતા રહેલી છે. 

-- ઇલીનોર રુજવેલ્ટ

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન