આશુતોષ મુખર્જી


આશુતોષ મુખર્જી 
બંગાળી શિક્ષણશાસ્ત્રી અને ન્યાયવિદ, 1864-1924

કલકત્તા હાઇકોર્ટ ના જજ અને યુનિવર્સીટીના કુલપતિ આશુતોષ મુખર્જીએ મિત્રો અને સંબંધીઓના આગ્રહ છતાં વિલાયત જવાની નાં પાડી. કારણ ફક્ત એટલુંજ કે તેમના માતુશ્રીનો વિરોધ હતો. આ વાત સાંભળીને ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને તેમને કહ્યું : " તમે તમારા માતાને એમ કહો કે ગવર્નર જનરલે મને વિલાયત જવાનો હુકમ આપ્યો છે. એ પછી તેઓ વિરોધ નહિ કરે. "

"મને માફ કરશોજી, હું મારી માતાને આવું કહી શકું નહિ, કેમ કે મારે મન ગવર્નર જનરલની આજ્ઞા કરતા મારી માતાની આજ્ઞા વધારે મહત્વની છે...!"

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન